સોમવાર, 31 ડિસેમ્બર, 2018


ત્રણ દ્વીપોના નામ બદલાશે, રોસ આઈલેન્ડનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ કરાશે
Image result for pm-modi-in-andaman-and-nicobar

વડાપ્રધાન નરેન્દ્રમોદી પહેલી વખત 2004ના સુનામીમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આંદામાન-નિકોબાર પહોંચ્યા હતા. મોદી આજે કેન્દ્ર શાસિત સ્થિત દ્વીપોનાં નામ બદલવાની જાહેરાત કરી શકે છે.

અંગ્રેજોનાં નામ પર રખાયેલા દ્વીપોનાં નામ બદલશે મોદી સરકાર
રોસ આઈલેન્ડ, નીલ આઈલેન્ડ, અને હૈવલોક આઈલેન્ડ દ્વીપોનું નામ બદલશે. આ દ્વીપોને ક્રમશઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈલેન્ડ , શહીદ દ્વીપ  અને સ્વરાજ દ્વીપ નામ આપવામાં આવશે. 

30 ડિસેમ્બર, 1943નાં રોજ નેતાજી બોઝે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનીયો દ્વારા કબ્જો કર્યા બાદ પહેલી વખત ત્રિરંગો લહેરાવ્યો હતો.  ત્યારે નેતાજીએ આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહનું નામ બદલીને શહીદ અને સ્વરાજ દ્વીપ કરવા અગેનું સૂચન કર્યુ હતુ. તેમની યાદમાં મોદી સરકાર પોસ્ટે સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડશે. 



આજથી જૂના મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ/ડેબિટ કાર્ડ કામ નહિ લાગે, EMV ચિપ હવે ફરજિયાત
Debit cards
ગત સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કે જાહેર કરેલ સુચના મુજબ 31 ડિસેમ્બરની મધરાત સુધીમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બદલાઈ રહ્યા છે. મોટાભાગની બેન્કો દ્વારા અત્યાર સુધી વપરાશમાં લેવાતાં કાર્ડમાં બ્લેક કલરની મેગ્નેટિક સ્ટ્રિપના ડિકોડિંગ વડે ટ્રાન્જેક્શન થતા હતા. હવે એ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને મોબાઈલના સિમકાર્ડ જેવી EMV ચિપ ફરજિયાત થઈ રહી છે. SBI સહિત દરેક બેન્કોએ પોતાના કસ્ટમરને નવા કાર્ડ ઈસ્યુ કરી દીધા છે, પરંતુ હજુ પણ અડધો-અડધ કાર્ડ એક્ટિવેટ થયા નથી આથી 1 જાન્યુઆરીથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં ખાસ્સો ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે.

શા માટે કાર્ડ બદલવા પડ્યા?

અત્યાર સુધી વપરાતાં કાર્ડમાં પાછળની બાજુએ કાળા રંગની મેગ્નેટિક સ્ટ્રિપ હતી, જેમાં ગ્રાહકના એકાઉન્ટની વિગતો સમાયેલી હતી. આ ભાગ મશીનમાં ઘસવાથી કમ્પ્યૂટર પ્રોગ્રામ દ્વારા તેને ડિકોડ કરીને ટ્રાન્જેક્શન થઈ શકતા હતા. 

પરંતુ આ કાર્ડની મર્યાદા એ હતી કે સ્વાઈપ મશીન વગર પણ મેગ્નેટિક સ્ટ્રિપ ડિકોડ કરવી બહુ આસાન હતી. આથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં છેતરપીંડીનું પ્રમાણ ખાસ્સું ઊંચું બન્યું હતું. આથી રિઝર્વ બેન્ક દ્વારા EVM ચિપ ફરજિયાત બનાવવામાં આવી. 
 
શું છે EMV ચિપ?

EMV કાર્ડને ચિપ કાર્ડ અથવા IC કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડમાં ડાબી બાજુ મોબાઈલના સિમકાર્ડ જેવી ચીપ હોય છે, જેમાં એકાઉન્ટ સંબંધિત માહિતી એન્ક્રિપ્ટેડ કરેલ હોય છે. 
 
મેગ્નેટિક સ્ટ્રિપ પરની માહિતી ડિકોડિંગથી જાણી શકાય છે, પરંતુ EMV ચિપ પરની માહિતી એન્ક્રિપ્ટેડ (સાંકેતિક) હોવાથી ડિકોડ કર્યા પછી પણ તેને ઉકેલવા માટે ખાસ પ્રકારનું (બેન્કિંગનું) પ્રોગ્રામિંગ હોવું જોઈએ. આથી મેગ્નેટિક સ્ટ્રિપની સરખામણીએ EMV ચિપ વધુ ભરોસાપાત્ર ગણાય છે. 
 
સુરક્ષા અંગે ત્રણ મોટી ક્રેડિટ કાર્ડ કંપની યુરો-પે, માસ્ટરકાર્ડ અને વિઝા દ્વારા સ્વિકૃત હોવાથી આ કાર્ડ EMV તરીકે ઓળખાય છે. 



દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મ સર્જક મૃણાલ સેનનું 95 વર્ષની વયે અવસાન
- સત્યજીત રે અને ઋતવિક ઘટક શ્રેણીના મૃણાલ સેન અંતિમ મણકા સમાન હતા
સત્યજીત રે અને ઋતવિક ઘટક શ્રેણીના મૃણાલ સેન  અંતિમ મણકા સમાન ફિલ્મ સર્જક અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા મૃણાલ સેનનું આજે ૯૫ વર્ષની વયે અવસાન થયું હતું.વય સબંધીત બીમારીઓના કારણે તેઓ લાંબા સમયથી બીમાર રહેતા આજે સવારે સાડા દસ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, એમ તેમના પરિવારના સ્ત્રોતોએ કહ્યું હતું.' વય સબંધીત બીમારીઓના કારણે મૃણાલ સેન આજે અવસાન પામ્યા હતા'એમ તેમના પરિવારના એક સભ્યે આજે કહ્યું હતું.


શનિવાર, 29 ડિસેમ્બર, 2018

મેઘાલયની ખીણમાં ફસાયેલા 15 મજૂરોને બચાવવા 20 હાઈપાવર પંપ લઈને એરફોર્સનું વિમાન રવાના

airforce plane with 20 powerful engines on the way to meghalya rescue mission

જયંતી હિલ્સ જિલ્લામાં 15 મજૂરો ગેરકાયદે ખાણમાં 15 દિવસથી ફસાયેલા છે. 

ખાણમાં પાણી ભરાઈ ગયું છે. તે માટે વાયુસેનાનું એક વિમાન શુક્રવારે 20 હાઈપાવર પંપ લઈને રવાના થયા છે. તે સિવાય ઓરિસ્સાની ફાયર સર્વિસ ટીમના 20 સભ્યો પણ બચાવ અભિયાન માટે રવાના થયા છે. અંદાજે 350 ફૂટ ઉંડી ખાણમાં 13 ડિસેમ્બરથી પાણી ભરાઈ ગયું છે અને તેથી તેમાં મજૂર ફસાઈ ગયા છે.

બુધવાર, 26 ડિસેમ્બર, 2018


ગુગલએ કર્યુ ડૂડલ : બાબા આમટેની 104મી જન્મદિવસની ઉજવણી
Image result for google doodle
ગૂગલે બાબા આમટેની ડૂડલ પર 104મી જન્મદિવસની ઉજવણી કરી રહ્યુ છે. બાબા આમટે મહારાષ્ટ્રના સમૃદ્ધ પરિવારમાં 26 ડિસેમ્બર, 1914 ના રોજ જન્મ્યા હતા. તેના સમયમાં, બાબા આમટે શિકાર, રમતો અને ખર્ચાળ ગાડીઓ ચલાવવાનો શોખ હતો.
ગૂગલે પ્રખ્યાત સામાજિક કાર્યકર એવા મુર્લિધર દેવીદાસ અમતે પર ડૂડલ બનાવ્યું છે.તેઓ બાબા આમટે તરીકે પણ ઓળખાય છે. મુર્લિધર દેવીદાસ આમટે ના જીવનના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ બતાવવામાં આવી છે. તેમણે તેમના જીવનમાં કોઢ અથવા કુષ્ઠ રોગથી પીડાતા લોકો માટે ઘણું કામ કર્યું હતું. 

26-12-2018


મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

Merry Christmas

Image result for happy christmas

હવે બહાર પડશે 20 રૂપિયાની નવી નોટ, આ ઐતહાસિક ધરોહરનો ફોટો નોટ પર હશે


 
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 20 રુપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે.
અત્યાર સુધીમાં 10.50,100, 200, 500 અને 2000ની નવી નોટો બહાર પડાઈ છે.હવે તેમાં 20ની નોટનો ઉમેરો થયો છે.
20 રુપિયાની નવી નોટ પર ઐતહાસિક ઈમારતનો ફોટો હશે અને શક્ય છેકે અંજતા ઈલોરાની ગુફાઓ આ નોટ પર દર્શાવાય.જુની નોટની સરખામણીમાં આ નોટની સાઈઝ નાની હશે.
નવી નોટોમાં સુરક્ષા ફીચર્સ પણ વધારે હશે.નોટનો રંગ ડાર્ક રેડ હોઈ શકે છે.હાલમાં 20 રુપિયાની 10 કરોડો નોટો ચલણમાં છે.ચલણી નોટોમાં 20 રુપિયાની નોટનુ પ્રમાણ 9.8 ટકા છે.



જાણો દેશના સૌથી લાંબા રેલ રોડ પુલની ખાસિયતો


 
પીએમ મોદીએ બ્રહ્મપુત્રા નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનુ આજે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસે ઉદઘાટન કર્યુ છે.

આ પુલના કારણે અરુણાચલ અને સીમા સાથે જોડાયેલા અન્ય વિસ્તારોમાં આવાગમન સરળ થઈ જશે.1997માં આ પુલનો શિલાન્યાસ કરાયો હતો.જોકે તેનુ કામ 2002માં અટલ સરકારે શરુ કરાવ્યુ હતુ.

જાણો પુલની વિશેષતાઓ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે.જે આસામાના દિબ્રુગઢને ધીમાજી સાથે જોડશે. પુલની ઉપર ત્રણ લેનનો રસ્તો અને તેની નીચે ડબલ રેલવે ટ્રેક છે.પુલ બ્રહ્મપુત્રા નદીથી 32 મીટરની ઉંચાઈ પર છે.જેની ડિઝાઈન સ્વીડન અને ડેનમાર્કને જોડતા પુલથી પ્રભાવિત છે.

હાલમાં દિબ્રુગઢથી અરુણાચલ જવા માટે વાયા ગૌહાટી થઈને જવુ પડે છે.જેનાથી 500 કિલોમીટરની મુસાફરી કરવાનો વારો આવે છે.આ પુલના કારણે મુસાફરી ઘટીને 100 કિમી થઈ જશે.

દુનિયાની સૌથી મોટી તોપ

 

ભારતીય મહારાજાઓનો ઈતિહાસ, તેમનો વારસો અને તેમની જાહોજલાલી રસપ્રદ છે. તેમના અસ્ત્ર શસ્ત્ર પણ ખાસ હતા. આજે પણ મહેલોમાં રાજા મહારાજાઓના શસ્ત્ર જેવા કે તીર, ભાલા, બંદૂક અને તોપ જોઈ શકાય છે. હવે વાત તોપની નીકળી જ છે તો આજે જાણો દુનિયાની સૌથી મોટી તોપ વિશેની રસપ્રદ જાણકારી. આ તોપ વિશે તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય. આ તોપ એશિયાની સૌથી મોટી તોપ છે અને તે જયપુરમાં જયગઢ કિલ્લા પર રાખવામાં આવી છે. આ તોપ જયબાણ નામથી પ્રખ્યાત છે. 
આ તોપ વિશેની રસપ્રદ વાત એ છે કે તેમાંથી ફેંકવામાં આવેલા ગોળાથી શહેરથી 35 કિલોમીટર દૂર એક ગામમાં તળાવ બની ગયું હતું. આજે પણ તોપના કારણે બનેલું તળાવ અસ્તિત્વમાં છે અને લોકો તેના પાણીથી પોતાની જરૂરીયાત પૂરી કરે છે. 
ઈતિહાસકારો અનુસાર જયગઢ કિલ્લાનું નિર્માણ 1726માં થયું હતું. વિશ્વની સૌથી મોટી તોપ જયગઢ કિલ્લાના દરવાજા પર રાખવામાં આવી છે. તેનું કુલ વજન 50 ટન છે. જયબાણ તોપની કુલ લંબાઈ 31 ફૂટ અને 3 ઈંચ છે. 35 કિલોમીટર સુધી વાર કરી શકતી આ તોપમાં એકવાર ફાયર કરવા માટે 100 કિલો ગન પાવડરની જરૂર પડતી. જયબાણ તોપનું જ્યારે પહેલીવાર ટેસ્ટ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે 35 કિમી દૂર ચાકસૂ નામના ગામમાં ગોળો પડ્યો અને તે જગ્યાએ તળાવ બની ગયું.
આ તોપનો ગોળો બનાવવાના ઉપકરણ પણ ખાસ છે. જયબાણ તોપમાં 8 મીટર લાંબી બેરલ રાખવાની સુવિધા છે. આ તોપ વિશ્વભરમાં પ્રસિદ્ધ તોપ છે. આ કિલ્લામાં તોપને લગતી જાણકારી અંકિત કરવામાં આવી છે. વધારે વજનના કારણે આ તોપને ક્યારેય બહાર લઈ જવામાં નથી આવી અને તેનો ઉપયોગ ક્યારેય યુદ્ધમાં પણ કરવામાં આવ્યો નથી.

સોમવાર, 24 ડિસેમ્બર, 2018

PM મોદીએ અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂ. નો સ્મારક સિક્કો રજૂ કર્યો



PM નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો રજૂ કર્યો છે. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર છે.
 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતી છે. તે અવસરે સ્મારક સિક્કો રજૂ કરાયો છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924એ ગ્વાલિયરમાં થયો હતો. સરકાર તેમની 95મી જન્મતિથિને યાદગાર બનાવી રહી છે.
PM મોદીએ કહ્યુ કે અટલજીનો સિક્કો અમારા દિલો પર 50 વર્ષથી વધારે ચાલ્યો. જો આપણે તેમના આદર્શો પર ચાલીએ તો આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. 
સિક્કાની ખાસિયત
- સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર હશે
- સિક્કાની બીજી તરફ અશોક સ્તંભ હશે. આની પર એક બાજુ પૂર્વ વડાપ્રધાનનું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવશે
- તસવીરના નીચેના ભાગમાં વાજપેયીનો જન્મ વર્ષ 1924 અને દેહાંતનું વર્ષ 2018 અંકિત કરવામાં આવશે
- સિક્કાનું વજન 35 ગ્રામ હશે અને આમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકિલ અને 5 ટકા જસત હશે. 
- સરકાર સિક્કાની બુકિંગ માટે સમય નક્કી કરશે અને આમાં પ્રીમિયમ દરો પર વેચવામાં આવશે. આને ટંકશાળથી પણ ખરીદી શકાશે.
- સિક્કાને 3300થી 3500 રૂપિયાની પ્રીમિયમ દરો પર વેચવાની આશા છે.

ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ-૪ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ

 

ચાર હજાર કિ.મી. દૂર સુધી પ્રહાર કરી શકતી અગ્નિ ૪ ઉડાન વખતે ગરબડી સર્જાય તો જાતે જ ઠીક કરવા અને માર્ગદર્શન આપવા સક્ષમ

વીસ મીટર લાંબી ૧૭ ટનની અગ્નિ ૪ મિસાઈલ સૌથી પહેલાં ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ લૉન્ચ કરાઈ હતી


ભારતે રવિવારે ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી ચાર હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકતી સરફેસ ટુ સરફેસ અગ્નિ ૪ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા હાથ ધરાયેલું આ સાતમું પરીક્ષણ હતું. સવારે ૮ઃ૩૫ વાગ્યે ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જના ચોથા લોન્ચ કોમ્પ્લેક્સ પરથી સેનાએ તાલીમ અભ્યાસના ભાગરૃપે આ પરીક્ષણ કર્યું હતું. આ પહેલાં બીજી જાન્યુઆરી


૨૦૧૮ના રોજ અબ્દુલ કલામ ટાપુ પરથી જ પરીક્ષણ કરાયું હતુંજે અગાઉ વ્હિલર આઈલેન્ડ તરીકે ઓળખાતો હતો. સંપૂર્ણ સ્વદેશી ગણાતી આ મિસાઈલમાં અનેક એડવાન્સ્ડ હાઈટેક સિસ્ટમ છે. જેમ કેઅગ્નિ ૪ બેલિસ્ટિક મિસાઈલ ઉડાન વખતે કોઈ ગરબડી સર્જાય તો જાતે જ ઠીક કરવા તેમજ માર્ગદર્શન આપવા સક્ષમ છે. આ ઉપરાંત તે એવિયોનિક્સફિફ્થ જનરેશન ઓન બોર્ડ કમ્પ્યુટર અને ડિસ્ટ્રિબ્યુટેડ આર્કિટેકચર ધરાવે છે. આ ઉપરાંત તેમાં માઈક્રો નેવિગેશન સિસ્ટમથી સજ્જ 'રિંગ લેસર ગાયરો બેઝડ્ ઈનએર્ટિયલ નેવિગેશન સિસ્ટમ' (RINS) પણ છેજેના કારણે મિસાઈલને ઈચ્છીએ તે ચોક્કસ સ્થળે સહેલાઈથી પહોંચાડી શકાય છે.


સેનાના સૂત્રોના જણાવ્યાનુસારઆ મિસાઈલ પર રડારટ્રેકિંગ સિસ્ટમ અને રેન્જ સ્ટેશનોની મદદથી નજર રખાઈ હતીજેને એક મોબાઈલ લૉન્ચરની મદદથી છોડવામાં આવી હતી. અગ્નિ ૪ બે તબક્કામાં બનાવાયેલી મિસાઈલ છે. આશરે ૧૭ ટન વજન ધરાવતી અગ્નિ ૪ મિસાઈલ વીસ મીટર લાંબી છે. અગ્નિ ૪ને સૌથી પહેલાં ૨૦મી જાન્યુઆરી૨૦૧૪ના રોજ લૉન્ચ કરાઈ હતી. હાલમાં જ અગ્નિ ૫ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સરફેસ ટુ સરફેસ પ્રહાર કરી શકતી આ મિસાઈલ પાંચ હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ છે.

નોંધનીય છે કેહાલ ભારતીય સેનાના શસ્ત્રભંડારમાં અગ્નિ ૧૩ અને પૃથ્વી જેવી મિસાઈલ સામેલ છેજેના કારણે ભારતની લશ્કરી ક્ષમતા અનેકગણી વધી ગઈ છે.

રવિવાર, 23 ડિસેમ્બર, 2018

ये है देश का सबसे बड़ा ब्रिज, 25 दिसंबर को पीएम मोदी करेंगे उद्घाटन


Image result for india-biggest-bridge-bogibeel-in-assam

असम के डिब्रूगढ़ में देश का सबसे बड़ा और एशिया का दूसरा सबसे लंबा रेल-सड़क पुल बोगीबील ब्रिज बनकर तैयार हो चुका है. पूर्वोत्तर राज्य असम में ब्रह्मपुत्र नदी पर बने इस बोगीबील पुल की लंबाई 4.94 किलोमीटर है. प्रधानमंत्री नरेंद्र मोदी इस ब्रिज का उद्घाटन 25 दिसंबर को करेंगे.