મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2019

પ્રયાગરાજ એક દિવસ માટે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું

સોમવારે મૌની અમાસ નિમિત્તે લગભગ 5 કરોડ શ્રદ્ધાળુઓ ઊમટી પડતાં એક દિવસ માટે પ્રયાગરાજ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું હતું. 41 ઘાટ પર ડૂબકી માટે વ્યવસ્થા કરાઈ હતી. સુરક્ષા માટે 30 હજારથી વધુ જવાનો ફરજ પર હતા. રાત્રે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 5 કરોડ લોકો અહીં આવ્યા હતા. 71 વર્ષ પછી કુંભમાં સોમવતી અને મૌની અમાસ એક દિવસે જ આવી હતી. વિશ્વમાં સૌથી વધુ 3.8 કરોડની વસ્તી સાથે જાપાનનું ટોકિયો ટોચ પર છે.