શનિવાર, 8 ઑગસ્ટ, 2020

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ, ‘ગંદકી ભારત છોડોનો નારો આપ્યો

Swachh Bharat Mission - Major Initiatives Taken by Governtment of ...

- આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજધાની દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ છે. આ કેન્દ્ર દેશના સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને બાળકો સાથે સંવાદ પણ કર્યો. તેમણે બાળકોના સવાલોના જવાબ પણ આપ્યા. આ સાથે જ નરેન્દ્ર મોદીએ ગંદકી ભારત છોડોનો નારો પણ આપ્યો. મહાત્મા ગાંધીએ આજના દિવસે આઝાદીની લડત દરમિયાન અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો. ત્યારે આ અવસર પર તેના અનુસંધાને વડાપ્રધાને ગંદકી ભારત છોડોનો નારો આપ્યો છે.

નરેન્દ્ર મોદીએ આ સ્વચ્છતા કેન્દ્રની ઘોષણા 10 એપ્રિલ 2017ના દિવસે કરી હતી. આ દિવસે મહાત્મા ગાંધીએ કરેલા ચંપારણ સત્યાગ્રહને 100 વર્ષ પુરા થયા હતા. 

આજનો દિવસ આપણા માટે ઐતિહાસિક છે. દેશની આઝાદીમાં આજની તારીખ એટલે કે 8 ઓગષ્ટનું મોટું યોગદાન છે. આજના દિવસે 1942માં ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજો ભારત છોડો અભિયાન શરુ થયું હતું, ત્યારે આપણે આજના દિવસે ગંદકી ભારત છોડો અભિયાન શરુ કરવાનું છે.

 

કેવો હોય છે ટેબલટોપરનવે? જેના પર થતું દરેક લેન્ડિંગ જોખમી હોય છે


- કેરળના કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના માટે આ ટેબલટોપરનવેને પણ જવાબદાર ગણવમાં આવી રહ્યો છે

શુક્રવાર સાંજે કેરળમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. જેમાં અનેક લોકોના મોત થાય છે તો કેટલલાય લોકો ઘાયલ થયા છે. કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી ઉતરી ગયું અને તેના બે ટૂકડા થયા. વિમાન દુર્ઘટના કઇ રીતે થઇ તે તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ કોઝિકોડ એરપોર્ટ ભૌગોલિક રીતે ટેબલટોપ’. વા રનવે પર થતું દરેક લેન્ડિંગ જોખમી હોય છે. આ પ્રકારના રપોર્ટ અને રનવેને લેન્ડિંગ માટે ખતરનાક ગણવમાં આવે છે.

કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના માટે આ ટેબલટોપરનવેને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ટેબલટોપરનવે એટલે એવો રનવે જેની આસપાસ ઉંડાઇ હોય. ઉપરાંત રનવે પુરો થયા પછી પણ વધારે જગ્યા નથી હોતી. જેના કારણે જ કોઝિકોડ એરપોર્ટ પર વિમાન સીધું ઘાટીમાં ઉતરી ગયું, જ્યાં તેના બે ટૂકડા થઇ ગયા. 

રનવેની બંને બાજુ અથવા તો એક બાજુ ઘાટી હોવાના કારણે લેન્ડિંગમાં જોખમ રહેલું હોય છે. લેન્ડિંગ અને ટેક ઓફ વખતે સાવધાની રાખવી પડે છે. મોટાભાગે ટેબલટોપરનવે પહાડી વિસ્તારમાં બનેલા હોય છે. ભારતમાં કર્ણાટકના મેંગલોર, કેરળના કોઝિકોડ અને મિજોરમની અંદર આવા રનવે છે. ત્યારે આવા રનવે પર જો વિમાન પર નિયંત્રણ ના રહે તો તે સીધુ રનવે પરથી ઉતરી જાય છે. જેના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ રહે છે. આવી જ ઘટના કેરળના કોઝિકોડ એરપોરેટ પર બની છે.