રવિવાર, 11 નવેમ્બર, 2018

અસ્થમાના દર્દી હતા એક સમયે હવે 5 જ્વાળામુખી સર કરનાર ભારતીય બન્યા સત્યરુપ સિદ્ધાંત

 



ભારતીય પર્વતારોહી સત્યરૂપ સિદ્ધાંત પાપુઆ ન્યૂ ગિનીના સૌથી ઊંચા જ્વાળામુખી પર્વત શિખર માઉંટ ગિલુવેને સર કરનાર પહેલા ભારતીય બન્યા છે. સત્યરૂપ શુક્રવારે પાપુઆ ન્યૂ ગિનીમાં 4,367 મીટરની ઊંચાઈ પર પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં તે સાતમાંથી પાંચ જ્વાળામુખીની ચઢાઈ સફળતાપૂર્વ કરી ચુક્યા છે. 

સત્યરુપ માઉંટ સિડલેની ચઢાઈ પૂર્ણ કરનાર પહેલા ભારતીય છે. સત્યરરૂપ દક્ષિણી ધ્રુવના અંતિમ છોર સુધી પણ પહોંચી ચુક્યા છે. તેમણે 50 કિલો સ્લેજ સાથે 6 દિવસમાં 111 કિમીની યાત્રા પૂર્ણ કરી છે. 

મહત્વપૂર્ણ છે કે સત્યરૂપ કોલેજના સમયમાં અસ્થમાના રોગના દર્દી હતા. પરંતુ આજે જે સિદ્ધિ તેમણે પ્રાપ્ત કરી છે તેના માટે મણિપાલ ગૃપ અને ટાટા ટ્ર્સ્ટ અને અન્ય પ્રાઈવેટ ફર્મ તરફથી તેને સહયોગ મળ્યો છે. સત્યરૂપ જાન્યુઆરી 2019માં માઉંટ સિડલે પર્વત ચઢશે.