શુક્રવાર, 20 જુલાઈ, 2018


20 જુલાઇની મહત્વપુર્ણ ઘટનાઓ




·      રામ નાથ કોવિંદ 2017માં ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
  • અલ્લાઉદ્દીન ખિલજીએ પોતે 1296 માં દિલ્હીનું સુલતાન જાહેર કર્યું.
  • માનવે 1969માં, ચંદ્રની સપાટી પર પ્રથમ મુક્યુ હતું. અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે આ ઇતિહાસ બનાવ્યો હતો.
  • ભારતની પ્રથમ મહિલા ન્યાયાધીશ અન્ના ચાંડિનું 1966માં અવસાન થયું.


સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 1963માં મુકાયો હતો


સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 1963માં મુકાયો હતો


- જાણો આખો ઈતિહાસ..કયારે કોણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યુ

સંસદમાં હાલમાં મોદી સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.જોકે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પરંપરા આજની નહી વર્ષો જુની છે.
સૌથી પહેલા 1963માં જવાહરલાલ નહેરુ સરકાર સામે સમાજવાદી નેતા આચાર્ચ કૃપલાણી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.જે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વખત બન્યુ હતુ.જોકે આ પ્રસ્તાવ 347 મતોથી ફગાવી દેવાયો હતો અને નહેરુ સરકારને તેની કોઈ અસર થઈ ન હતી.
ભારતમાં સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો રેકોર્ડ  ઈંદિરા ગાંધીના નામે છે.જેમની સરકાર સામે 1966થી 1975 સુધીમાં 12 વખત અને 1981 તેમજ 82માં ત્રણ વખત એમ કુલ 15 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો હતો.
અવિશ્વાસના પ્રસ્તાવથી સરકાર ઉથલી પડી હોય તેવા કિસ્સા ત્રણ વખત જ બન્યા છે.જેમાં 1990માં વીપી સિહં સરકાર, 1997માં દેવગૌડા સરકાર અને 1999માં અટલ બિહારી વાજપાઈની સરકાર અવિશ્વાસના પ્રસ્તાવના કારણે પડી ગઈ હતી.
2003માં અવિશ્વાસનો પ્રસ્તાવ  કોંગ્રેસ દ્વારા અટલ બિહારી વાજપાઈની સરકાર સામે રજુ થયો હતો.જોકે સરકારના પક્ષમાં 325 અને વિરોધમાં 212 મત પડતા આ પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો.
3 કિસ્સા એવા પણ બન્યા હતા જેમાં તત્કાલીન વડાપ્રધાને અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થાય તે પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુ.જેમાં જુલાઈ 1979માં મોરારજીભાઈ દેસાઈ, ઓગષ્ટ 1979માં ચૌધરી ચરણસિંહ અને 1996માં અટલ બિહારી વાજપાઈએ મતદાન પહેલા રાજીનામુ ધરી દીધુ હતુ.
2008માં અમેરિકા સાથે ન્યુક્લીયર ડીલ પર લેફ્ટ પાર્ટીઓએ યુપીએ સરકારનુ સમર્થન પાછુ ખેંચ્યુ હતુ.એ પછી સરકારે 2008 જુલાઈમાં જાતે જ વિશ્વાસ પ્રસ્તાવ મુક્યો હતો.જેમાં યુપીએ સરકારની જીત થઈ હતી.
ભારતીય મૂળની પૂજા જોશીની નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક

NASA's Johnson Space Center named six new Mission Control flight directors in July 2018. Pictured L-R) are Marcos Flores, Allison Bolinger, Adi Boulos, Rebecca Wingfield, Pooja Jesrani, and Paul Konyha. Photo: NASA/Robert Markowitz / Robert Markowitz / NASA - Johnson Space Center

- સ્પેસ મિશન વખતે ડિરેક્ટરે કન્ટ્રોલ મથકમાં રહીને સ્થિતિ સંભાળવાની હોય છે

- પૂજા જોશી જેસરાનીનો જન્મ ઈંગ્લેન્ડમાં, શિક્ષણ અમેરિકામાં થયું છે નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર બનનારા પૂજા પ્રથમ એશિયાઈ વ્યક્તિ

ગુજરાતી મૂળની પૂજા જોશીની અમેરિકી અવકાશ સંસ્થા નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક થઈ છે. ગયા અઠવાડિયે નાસાએ કુલ છ વ્યક્તિની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક કરી હતી, જેમાં પૂજાનો પણ સમાવેશ થાય છે. જ્યારે કોઈ ફ્લાઈટ અવકાશમાં મોકલવામાં આવે ત્યારે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ મહત્ત્વનો બની જતો હોય છે.

ડિરેક્ટરે નાસાના હ્યુસ્ટન સ્થિત કન્ટ્રોલ મથકમાં રહીને અવકાશમાં રહેલી ફ્લાઈટ અને ગ્રાઉન્ડમાં રહેલા મિશન સાથે સંકળાયેલા ઓપરેશન સંભાળવાના હોય. એટલે કે આખી ફ્લાઈટની જવાબદારી ફ્લાઈટ ડિરેક્ટર પર જ હોય છે. નાસાએ ૧૯૫૮માં ક્રિસ્ટોફર ક્રાફ્ટની પ્રથમ ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૯૭ ફ્લાઈટ ડિરેક્ટર એપોઈન્ટ થયા છે.

પૂજા જોશી જેસરાની મૂળિયા ગુજરાતમાં છે, પરંતુ તેનો ગુજરાત સાથે કોઈ પ્રત્યક્ષ સબંધ નથી. પૂજાનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે અને એ દસ વર્ષની હતી ત્યારે પરિવાર અમેરિકા શિફ્ટ થયો હતો. પૂજાના પિતા અતુલ જોશી મુંબઈમાં ડોક્ટર હતા.

પૂજા ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ૨૦૦૭માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતુ. પૂજાએ અમેરિકામાં એટર્ની પુરવ જેસરાની સાથે લગ્ન કર્યા છે અને તેમને અઢી વર્ષની એક દીકરી પણ છે.
પૂજા છેલ્લા ૧૧ વર્ષથી નાસાના હ્યુસ્ટન સ્થિત જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં જ કામ કરે છે. હવે નાસાએ તેમની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે પસંદગી કરી છે. નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર બનનારા તેઓ પ્રથમ ભારતીય ઉપરાંત પ્રથમ એશિયન છે. હાલ નાસા પાસે ૨૬ ફ્લાઈટ ડિરેક્ટર છે, તેમની સાથે જોડાઈને આ નવા છ ડિરેક્ટર પણ કામ કરશે. નાસાએ થોડા સમય પહેલા નવા ફ્લાઈટ ડિરેક્ટર માટે અરજીઓ મંગાવી હતી. નાસાને દુનિયાભરમાંથી કુલ ૫૫૩ એપ્લિકેશન મળી હતી, જેમાંથી શ્રેષ્ઠ ૬ વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે.

અવકાશ પ્રવાસ વખતે તુરંત અને સચોટ નિર્ણય લેવાનો હોય છે. બીજી તરફ પૃથ્વી પર અનેક સ્થળે ફેલાયેલા એન્જિનિયરો, સંશોધકો, ફ્લાઈટ કન્ટ્રોલરો વગેરે સાથે સંકલન પણ કરવાનું હોય છે. એ બધુ જ ગણતરીની સેકન્ડોમાં કરી નિર્ણય લઈ શકે એ ફ્લાઈટ ડિરેક્ટરની સૌથી મોટી જવાબદારી છે.
કેમ કે નિર્ણય લેવામા મોડું થાય કે ખોટો નિર્ણય લેવાઈ જાય તો અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓના જીવ પર જોખમ આવી શકે છે. ભૂતકાળમાં અનેક સ્પેસ એક્સિડેન્ટ થયા પછી હવે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ વધારે ક્રિટિકલ (કટોકટીભર્યો) બન્યો છે.

પૂજા ઉપરાંત એલિસ બૉલિંગર, એડી બોલસ, જોસ માર્કોસ, પોલ કોન્યા અને રિબેકા વિંગફિલ્ડની પસંદગી ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.

જોકે ડિરેક્ટરની ખુરશી પર બેસાડતા પહેલા તેમની આકરી તાલીમ આપવામાં આવશે. ફ્લાઈટ કન્ટ્રોલ, ફ્લાઈટ વખતે માનસિક સ્થિરતા, રિસ્ક મેનેજમેન્ટ.. સહિતના વિવિધ પાસાંઓની તેમને ટ્રેનિંગ અપાશે. નાસા આગામી સમયમાં સમાનવ અવકાશયાત્રાનું આયોજન કરી રહ્યું છે.


શક્ય છે આ છ પૈકી કોઈને એ સમાનવ સ્પેસ ફ્લાઈટ સંચાલન કરવાની તક પણ મળે.


RBIએ દેખાડી 100 રૂપિયાની નવી નોટગુજરાતનું ગૌરવ ઝળકયું

Image result for 100 rs new note

ભારતીય રિઝર્વ બેંક તરફથી ખુબ જ જલ્દી 100 રૂપિયાની નવી જોન જાહેર કરવામાં આવશે. મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટો પર હાલનાં ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. કેન્દ્રિય બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસારઆ નવી નોટની પાછળના ભાગે ગુજરાતના પાટણ જિલ્લાની રાણકીની વાવનું ચિત્ર હશે. રાણકીની વાવ’ એક સ્ટેપવેલ છેનોટના આ ચિત્રને લઇ ભારતના વારસાને દેખાડવામા આવશે.

આ નોટનો કલર જાંબલી એટલે કે આછો જાંબલી હશે. આ નોટની સાઇજ 66 mm × 142 mm હશે. કેન્દ્રિય બેંકએ કહ્યું કે આ નવી નોટ સાથે જ પહેલાથી પ્રચલિત 100 રૂપિયાની નોટ પણ ચલણમાં રહેશે. કેન્દ્રિય બેંકે કહ્યું કે આ નવી નોટની ઇશ્યું થયા બાદ તેની સપ્લાઇ તેજીથી વધારવામાં આવશે. જાણો 100 રૂપિયાની નવી નોટની શુ હશે ખાસિયતો

100
ની નોટ પર ગુજરાતની રાણકી વાવની તસવીરજાણો તેનું ધાર્મિક મહત્વ

ફ્રંટમાં શું હશે.

1. અંકોમાં 100 નીચે તરફ લખેલ છે.

2. દેવનાગરી લિપિમાં 100 વચ્ચે ગાંધીજીના ચિત્રની ડાબી બાજૂ હશે.

3. મધ્યમાં ગાંધીજીની તસવીર હશે.

4. માઇક્રો લેટર્સમાં RBI,ભારત, INDIa અને 100 લખેલ હશે.

5. મહાત્મા ગાંધીની તસવીરની ડાબી બાજુ પ્રોમિસ ક્લોઝ હશે અને તેની નીચે ગવર્નરનાં સાઇન હશે
ડાબી બાજૂ જ અશોક સ્તંભ હશે.