ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2018

મિચ્છામિ દુક્કડમઃ જિલ્લામાં સંવત્સરીની ભાવભેર ઉજવણી

 
અહિંસાના પૂજારી જૈન સમુદાય દ્વારા આજે ગુરૃવારે ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના જપ, તપ અને આરાધના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો ગત.૬-૯નો આરંભ થયો હતો. જેની આજે ગુરૃવારે ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરી સાથે પૂર્ણાહૂતિ થઈ હતી.

સંવત્સરીની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીના પાવન દિવસે જૈન સમાજના લોકોએ વહેલી સવારે જિનાલયોમાં ઉમટી પડી સંવત્સરીનું પ્રતિક્રમણ કરી તન-મન, વચન અને કાયાથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેમને મિચ્છામિ દુક્કડમ કહીં ક્ષમાપના માગી હતી.