સોમવાર, 7 જાન્યુઆરી, 2019

સૌથી મોટી આંખોવાળુ પ્રાણી



બાંગ્લાદેશ-શેખ હસીના પ્રધાનમંત્રી પદના લેશે શપથ


શેખ હસીનાની સત્તારૂઢ પાર્ટી અવામી લીગે 298માંથી 287 બેઠકો ઉપર જીત હાંસલ કરી હતી

બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારે બહુમતી સાથે ચોથા કાર્યકાળ માટે ચૂંટણી જીતી લીધી છે. ત્યારે આજે શેખ હસીના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે..તેમના મંત્રીમંડળમાં 47 સભ્યોનો સમાવેશ કરાયો છે જેમાં 31 નવા ચહેરાને સ્થાન અપાયુ છે..મહત્વનુ છે કે બાંગ્લાદેશ ચૂંટણી પંચના સચિવ હિલાલુદ્દીન અહમદે આજે સવારે ટેલિવિઝન પર સત્તારૂઢ અવામી લીગની જીતની ઘોષણા કરી હતી. શેખ હસીનાની સત્તારૂઢ પાર્ટી અવામી લીગે 298માંથી 287 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. 300 બેઠકોની સંસદ માટે અત્યારે 298 બેઠકોના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNP ની આગેવાનીમાં મુખ્ય વિપક્ષી ગઠબંધનને માત્ર 6 બેઠકો મળી છે. સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 151 બેઠકો જોઈએ. વિપક્ષી નેશનલ યુનિટી ફ્રન્ટ ગઠબંધને સામાન્ય ચૂંટણી પરિણામોને નકારતા કાર્યવાહક સરકારના નેતૃત્વ હેઠળ નિષ્પક્ષ રીતે ફરી ચૂંટણી યોજવાની માંગ કરી છે, તો આ તરફ મતદાન દરમિયાન થયેલ હિંસામાં ગઈકાલે સુરક્ષા એજન્સીના એક સભ્ય સહિત 17 લોકોના મોત થયા હતા, અને અનેક લોકો ઘાયલ થયા હતા.

સેલવાસ ખાતે અટલ ભવનનું ઉદ્દઘાટન

 

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સેલવાસ ખાતે પહોંચ્યા હતા. આ પહેલાં દમણ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દમણથી સેલવાસ તેઓ કાર રેલી સાથે પહોંચવાના હતા. અહીં બીજેપીના અટલ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરશે. દમણ-સેલવાસના બીજેપીના બુથ કાર્યકરોને તેઓ સંબોધિત કરશે અને આગામી ચૂંટણીમાં બીજેપીનો વિજય થાય તે માટે કાર્યકરોને પ્રેરણા પૂરી પાડશે.

 



એરપોર્ટની જેમ મુસાફરોએ 20 મિનિટ પહેલા રેલવે સ્ટેશન પહોંચવુ પડશે

Arrive at least 20 min ahead of departure: Just like airports, railways plans to seal stations

રેલવે સ્ટેશનની સુરક્ષા એરપોર્ટની તર્જ પર મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી છે. જે માટે યાત્રિકોને હાઈટેક સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા દળોની નજર હેઠળથી પસાર થવું પડશે. આ પ્રક્રિયા પૂરી કરતાં તેઓને ટ્રેન સુધી પહોંચવામાં મોડું ન થાય તે માટે ડિપાર્ચરથી લગભગ 20 મિનિટ પહેલાં સ્ટેશન આવવું પડશે.

શરૂઆતના તબક્કામાં આ વ્યવસ્થા અલ્હાબાદ અને કર્ણાટકના હુબલી સ્ટેશન પર લાગુ કરવામાં આવી છે. 

રેલવેએ 202 સ્ટેશનો પર આ પ્રકારની સુરક્ષા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના મહાનિર્દેશક અરૂણ કુમારે કહ્યું કે આ તમામ સ્ટેશનો પર અલ્હાબાદ તેમજ હુબલીની જેમ મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશનોને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે. રેલવેની રણનીતિ છે કે સ્ટેશન પર પ્રવેશ તમામ રસ્તાઓને ચિન્હિત કરી બંધ કરવામાં આવે.