ગુરુવાર, 29 નવેમ્બર, 2018

G-20 સમ્મલેનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોચ્યા PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને શિન્ઝો એબે સાથે મુલાકાત કરશે

 
PM મોદી જી-20 સમ્મેલનમાં ભાગ લેવા માટે અર્જેન્ટીના પહોચી ગયા છે. આ સમ્મેલનમાં PM મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના PM શિન્ઝો એબે સાથે મુલાકાત કરશે. PM 4 દિવસીય અર્જેન્ટીનાના પ્રવાસ પર છે॥ 2 ડિસેમ્બરે ભારત પરત આવશે.
PM આર્જેન્ટિનાની રાજધાની આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસ પહોચ્યા છે. 13માં જી-20 શિખર સમ્મેલનમાં PM મોદી ભાગ લશે. PM મોદી ચીનના રાષ્ટ્રપતિ બ્રિક્સ દેશોના અન્ય નેતાઓની સાથે આ સમ્મેલનમાં મહત્વપૂર્ણ બેઠક કરશે.
આર્જેન્ટિના જતા પહેલા PM મોદીએ કહ્યું કે 10 વર્ષના તેમના અસ્તિત્વમાં જી-20 સ્થિર અને સતત વૈશ્વિક વૃદ્વીને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસરત રહ્યું છે. PM મોદીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક વૃદ્વી અને સમૃદ્વીમાં દેશનો યોગદાન, નિષ્પક્ષ અને સતત વિકાસ માટે સર્વસમ્મતિ બનાવવા માટે તેની પ્રતિબદ્વતાને રેખાંકિત કરે છે. 

સોમવાર, 26 નવેમ્બર, 2018

Milk Day



ભારતીય બંધારણ દિવસ



દેશનો સૌથી મોટો ગ્રંથ એટલે ભારતીય બંધારણ...
26 નવેમ્બર, ભારતીય બંધારણ દિવસની આપ સૌને શુભેચ્છાઓ


 

રવિવાર, 25 નવેમ્બર, 2018


વર્લ્ડ ચેમ્પિયનશીપનો વિશ્વવિક્રમી છઠ્ઠો ગોલ્ડ મેડલ : મેરી કોમ


- આઠ વર્ષ બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા બાદ ભાવુક મેરી ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી

- હવે ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા તરફ નજર

ભારતની લેજન્ડરી બોક્સર મેરી કોમે ઘરઆંગણે યોજાયેલી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ૪૮ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને નવો કિર્તિમાન સ્થાપિત કરી દીધો હતો. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ જીતવાનો વિશ્વવિક્રમ સર્જનારી મેરી ભાવુક બનીને ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી. આઠ વર્ષ બાદ ફરી વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી મેરી ખુબ જ ભાવુક બની ગઈ હતી અને તેણે કહ્યું હતુ કે, હું મારો આ વિશ્વવિક્રમી છઠ્ઠો મેડલ દેશને અર્પણ કરું છું. 

મેરી કોમે કહ્યું કે, છઠ્ઠું વર્લ્ડ ટાઈટલ જીતવાની અપેક્ષા નહતી. મને જે પ્રકારનો સપોર્ટ મળ્યો અને આખરે હું ચેમ્પિયન બની તે પળો અત્યંત ભાવનાત્મક હતી. હું મારી લાગણી પર કાબૂ રાખી શકી નહતી અને રડી પડી હતી. હું એટલા માટે ભાવુક બની કારણ કે ૪૮ કિગ્રા વજન વર્ગની કેટેગરી મારી ઓલિમ્પિક ઈવેન્ટની કેટેગરી નથી તેમ છતાં હું તેમાં વર્લ્ડ ચેમ્પિયન બની છું. મને આ સફળતા બાદ લાગવા માંડયું છે કે, હું ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ શકું છું. હું ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાથી ચૂકી ગઈ હતી. 

૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં સૌપ્રથમ વખત મહિલા બોક્સિંગને સામેલ કરવામાં આવી હતી, જેમાં મેરી કોમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. મેરીએ કહ્યું કે, હું મારા તમામ સમર્થકો અને શુભેચ્છકોનો આભાર માનુ છું. હું મારા દેશને સુવર્ણ સિવાય કશાની ભેટ આપવા ઈચ્છતી નહતી. હું જાણું છું કે, ટોકિયોમાં જીતવું આસાન નહી રહે કારણ કે મારે ૫૧ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ભાગ લેવાનો છે. આમ છતાં મારુ સ્વપ્ન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે અને હું તે હાંસલ કરવા માટે તમામ પ્રયાસ કરી છુટીશ.

છઠ્ઠા ઐતિહાસિક ગોલ્ડ બાદ મેરી કોમ પર અભિનંદનની વર્ષા

ભારતની લેજન્ડરી બોક્સર એમ.સી. મેરી કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે દેશભરમાંથી મેરી કોમ પર અભિનંદનની વર્ષા શરૃ થઈ ગઈ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા મેરીને શુભેચ્છા પાઠવતા મેસેજીસથી છલકાઈ ઉઠયું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરી કોમને શુભેચ્છા પાઠવતા તેની સિદ્ધિને ભારતીય રમત ઈતિહાસની ગૌરવશાળી પળ તરીકે ઓળખાવી હતી. તેમણે મેરીની સરાહના કરતાં લખ્યું હતુ કે, હું મેરી કોમને વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપમા ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવું છું. તેણે સખત મહેનત થકી વિશ્વ સ્તરે રમત જગતમાં મેળવેલી શ્રેષ્ઠતમ સફળતા ખરેખર પ્રેરણારૃપ છે. તેનો ગોલ્ડ ખરેખર ખાસ છે. વડાપ્રધાનની સાથે ઓલિમ્પિક મેડાલીસ્ટ બોક્સર વિજેન્દર સિંઘ, રમતમંત્રી અને ઓલિમ્પિક મેડાલીસ્ટ રાજ્યવર્ધન રાઠૌર, ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ, સુરેશ રૈના, અનુપમ ખેર વિગેરેએ પણ મેરીને શુભેચ્છા પાઠવી હતી.

 

શુક્રવાર, 23 નવેમ્બર, 2018

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણ, દ્વિપક્ષીય રોકાણ સહિતના ક્ષેત્રોમાં પાંચ સમજૂતી

-     રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે


-     ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોવિંદ મેલબોર્નમાં આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધ


 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સ્કોટ મોરીસનને સિડનીમાં મળ્યા હતાં. ઓસ્ટ્રેલિયના પ્રવાસે જનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. 

બંને દેશોએ કૃષિ સંશોધન અને શિક્ષણ, વિકલાંગતા, દ્વિપક્ષીય રોકાણ, વૈજ્ઞાનિક સહકાર અને સંશોધન અને સંયુક્ત પીએચડી સમજૂતી અંગે કરાર કરવામાં આવ્યા હતાં. 

કોવિંદ બુધવારે સિડની પહોંચ્યા હતાં. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ પહેલા વિયેતનામ ગયા હતાં અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતાં. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે કોવિંદના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે પાંચ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મરાઇજ પેન અને ભારતના કૌશલ્ય વિકાસ અને એન્ટ્રેપ્રોન્યરશીપ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડે હાજર રહ્યાં હતાં.

પ્રથમ સમજૂતી વિકલાંગતા અને વિકલાંગ વ્યકિતઓને મદદરૃપ થવાના ક્ષેત્ર માટે કરવામા આવી છે.

બીજી સમજૂતી દ્વિપક્ષીય રોકાણના ક્ષેત્રમાં ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ઓસ્ટ્રેડ વચ્ચે કરવામાં આવી છે. 

ત્રીજી સમજૂતી સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટીટયૂટ, રાંચી અને કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કેનબેરા વચ્ચે વૈજ્ઞાનિક સહકાર અને સંશોધન વધારવા માટે કરવામાં આવી છે. 

ચોથી સમજૂતી આચાર્ય એન જી રંગા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ગુંતુર અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, પર્થ વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણમાં સહકાર વધારવા માટે કરવામાં આવી છે. 

પાંચમી સમજૂતી ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ફરમેશન ટેકનોલોજી, નવી દિલ્હી અને ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, બ્રિસબેન વચ્ચે જોઇન્ટ પીએચડી પ્રોગ્રામ માટે કરવામાં આવી છે. કોવિંદ શુક્રવારે મેલબોર્નમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.

 

આજે તહેવારોની ત્રિવેણી : દેવ દિવાળી, ગુરુ નાનક જયંતિ, કારતક પૂર્ણિમા ઉજવાશે

Image result for gurunanak jayanti
-     ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતિ નિમિત્તે ગુરુદ્વારામાં વિશિષ્ટ આયોજનો

-     દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ યોજાશે : શેત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ : હેમચંદ્રસૂરીશ્વરજીની જયંતિ ઉજવાશે


અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે દેવ દિવાળી, ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જયંતિ અને કાર્તિકી પૂર્ણિમાની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ-વિશિષ્ટ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૈન સાધુ-સાધ્વજી ભગવંતોના ચાતુર્માસનું પરિવર્તન થવા ઉપરાંત શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો પણ પ્રારંભ થશે.

હિંદુ પંચાંગ અનુસાર કારતક માસની પૂનમને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

 

જેમ દિવાળી પાંચ દિવસની હોય છે તેમ દેવોની દિવાળી અગિયારસથી લઇને પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે ઉજવાતી હોય છે. દેવ દિવાળી ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેની સાથ જ દિવાળીના પર્વની સમાપ્તિ થાય છે.

આજે વિક્રમ સંવત ૨૦૭૫ની સૌપ્રથમ  પૂર્ણિમા હોવાથી અંબાજી, ચોટીલા, ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે.

 

આજે તુલસી વિવાહની પણ સમાપ્તિ થશે. આ ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રખર વ્યાકરણકાર હેમચંદ્રચાર્યસૂરીશ્વરજી મ.સા.નો જન્મોત્સવ ઉજવાશે. 

શીખ કોમના જગતગુરુ શ્રી ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે ગુરુદ્વારામાં ભજનકીર્તન, પ્રવચન, કથા, ગુરુ કા લંગરનું તેમજ રાત્રે આતશબાજીનું પણ આયોજન કરાયું છે. ગુરુ નાનક દેવજી શીખ કોમના સંસ્થાપક જ નહીં માનવધર્મના ઉત્થાપક પણ હતા. ગુરુ નાનક જયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરના ગુરુદ્વારાઓમાં વિશિષ્ટ શણગાર પણ કરાયો છે. 

 

બુધવાર, 21 નવેમ્બર, 2018


સુરત: IITઇન્દોરમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં વેદાંત અગ્રવાલને ભારતના રાષ્ટ્રપતિએ સુવર્ણપદકથી સમ્માનિત કર્યો

 
IITઇન્દોરમાં 19 નવેમ્બર 2018માં છઠ્ઠા દીક્ષાત સમારોહ માં કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જીનીયરીંગ વિભાગમાં સુરતના વેદાંત અગ્રવાલને ભારતના રાષ્ટ્રપતિ સુવર્ણપદકથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. આ સમ્માન મેળવીને વેદાંતએ સુરતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું હતું.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ચન્દ્રપ્રકાશ અને મનીષા અગ્રવાલના પુત્ર વેદાંત આ પ્રતિષ્ઠિત પદક મેળવનાર સુરતથી પ્રથમ અને ગુજરાતના બીજો વિદ્યાર્થી છે. વેદાંતએ સુરત માંથી શાળાનું શિક્ષણ પૂર્ણ કરી 10 માંથી 10 સીજીપીએ અને 12 માં ધોરણ માં 94 ટકા મેળવ્યા હતા. અને હાલમાં યુનીવર્સીટી ઓફ ઇલેનોઈસ એટ ઉર્બના યુ.એસ.એ માં કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જીનીયરીંગમાં એમ એસ કરી રહ્યો હતો.પરંતુ તેઓ પોતાના જીવનના આ મહત્વપૂર્ણ ક્ષણના ભાગીદાર બનવા તે ભારત આવ્યો છે. 

વેદાંતને રાષ્ટ્રપતિ સ્વર્ણ પદક સ્નાતક બેચમાં IITના દરેક વિભાગોમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આપવામાં આવ્યો છે. વેદાંતએ 9.74 જેટલા ઉચ્ચ સીજીપીએ સ્કોર સાથે બેચમાં બધા થી પ્રથમ રહ્યા હતા.
 

સોમવાર, 19 નવેમ્બર, 2018


જ્ન્મદિવસ

Image result for indira gandhi birthday

Image result for birthday of jhansi ki rani image

સુરતના હેરીટેજ પ્લેસ કિલ્લો અને મુગલસરાઇ હાલ નવા રંગરૂપમાં 



- આજથી હેરીટેજ વીકની ઉજવણી

- પોર્ટુગીઝોની કોઠી સામે સ્થપાઇ હતી મુગલસરાઇ

શહેર પર થતાં વારંવારના આક્રમણને ખાળવા કિલ્લો બનાવાયો હતો

સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું  શહેર સુરત પોતાનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે સુરત મુખ્ય બંદર બની રહ્યું.૧૯થી ૨૫ મી નવેમ્બર સુધી જ્યારે હેરિટેજ વીકની ઉજવણી થઇ રહી છે ત્યારે સુરતના મહત્વની હેરિટેજ જગ્યાઓ  પહેલા કરતા ઘણી બદલાઈ ચુકી છે.
મુગલસરાઇ 
૧૬મી સદી દરમિયાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચૂકી હતી, જેથી અનેક વિદેશી પ્રજાઓ પોતાનો વેપાર વિક્સાવવા માટે અહીં આવવા લાગી. તેમાં અરબો, ડચ ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને બ્રિટીશરો મુખ્ય હતાં. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦નાં રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ સુરત બંદરે વેપાર કરવાનાં ઉદ્દેશથી આવ્યું અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથી જ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ યેનકેન રીતે તેમને અટકાવવાની કોશિશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝોની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી. અને મુગલસરાઈ ની સ્થાપના કરી હતી. આ હેરીટેજ પ્લેસ હાલ નવા રૂપરંગમાં જોવા મળે છે. અને અહીં હાલ સુરત મ્યુનિ.ની મુખ્ય કચેરી ચાલે છે. 
કિલ્લો
શહેરમાં ૧૬મી સદીનો કિલ્લો છે. આ કિલ્લાને રીનોવેશન કરાવીને નવા રૂપ રંગ આપવામાં આવ્યા છે અને આજે પણ આ કિલ્લાની ખૂબસુરતી યથાવત  છે.કિલ્લાનું પણ પોતાનું આગવું મહત્વ છે જે સુરતના ઇતિહાસનો સાક્ષી  છે. કિલ્લાનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશથી શહેર પર થતાં વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંન્યો હતો. તેણે આ કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઇતિહાસકારોના મત પ્રમાણે સુરત આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું બંદર હતું. બાર્બોસા નામના પોર્ટુગીઝ પ્રવાસીએ ઇ.સ. ૧૫૧૪માં ગુજરાતની મુલાકાત દરમિયાન સુરતને બધાજ પ્રકારના વ્યાપાર માટેનું અને રાજાને મહત્વની આવક મોકલતું કેન્દ્ર તેમજ મલબાર અને અન્ય બંદરો સાથે વ્યાપાર કરતું દર્શાવ્યું હતું.  

બાર્બોસાની મુલાકાતના ટૂંકા સમય પછી પોર્ટુગીઝોએ સુરત પર હુમલો કર્યો હતો. ઇ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝ ચાંચિયાઓએ તેમના સરકાર એન્ટોનિયો ડા સિલ્વરીઆની આગેવાની હેઠળ સુરત પર આક્રમણ કર્યું હતું અને શહેરને બાળ્યું હતું. ૧૫૩૧માં ફરીથી તેમણે સુરત પર આક્રમણ કર્યું હતું. અમદાવાદના રાજા સુલ્તાન મહમૂદ ત્રીજાએ આ હુમલાઓને ખાળવા મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ તેણે ખુદાવંદ ખાનને સોંપ્યું હતું. રીનોવેશન કરાયેલા આ કિલ્લાને હાલ મ્યુનિ.હેરીટેજ તરીકે સાચવણી કરી રહ્યું છે. 



સુરતનું સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ એટલે ગોપી તળાવ

 
તાપી ના કિનારે વસેલું સુરત શહેર જે એક એતિહાસિક શહેર છે. જેમાં ઘણી હેરિટેજ જગ્યાઓ છે. જે આજે પણ હયાત છે. લોકો તેના પરથી સુરત નો ઇતિહાસ અને સુરતના મહત્વ જાણી શકે છે. સુરતની ખૂબસૂરતીમાં વધારો કરતું કિલ્લા બાદ મહત્વનું સ્થળ ગોપી તળાવ છે. સુરતના સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. આજે આ તળાવ ને નવેસરથી બાંધી ને લોકો માટે એક ફરવાના સ્થાન તરીકે ડેવલોપ કરવામાં આવ્યું છે.
ગોપીતળાવ ઈ. સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર અઠ્ઠાવન એકર જેટલો હતો. તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતા, જેમાંથી તેર બાજુએ તળિયા સુધી પહોંચી શકે તેવાં પગથિયાં વગરનો ઢાળ હતો.
તળાવમા શિવમંદિર બાંધવામાં આવ્યું હતું, આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાએ ગોપીતળાવને ફરી એક વાર ઐતિહાસિક રૂપ આપવા કમર કસી હતી. આખરે આ તળાવ તૈયાર થઇ ગયું અને સુરતને નવું નજરાણું મળ્યું છે.
સમગ્ર સુરતને એક સમયે જે તળાવમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તે તળાવ મૃતપ્રાય અવસ્થામાં પહોચી ગયું હતું. પરંતુ તેના સુંદર રીનોવેશને તેના ઐતિહાસિક મુલ્યોમાં વધારો કર્યો હતો. અને તેમાં પણ કલા ઉત્સવના સંગીતમય કાર્યક્રમો અને રંગબેરંગી રોશનીએ ગોપી તળાવની સુંદરતામાં ચાર ચાંદ ઉમેર્યા હતા.
ગોપીકલા ઉત્સવ સમયે ગોપીતળાવમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડે છે. જેથી લોકો આ ઉત્સવનો આનંદ માણી શકે. કલા ઉત્સવ દરમિયાન સાંજના સમયે ખાસ સ્ટેજ શોનું આયોજન કરવામા આવે છે. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ક્રૃતિઓ રજુ કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ગોપીતળાવમાં દર ડિસેમ્બરમાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

વડનગરમાં તાનારીરી મહોત્સવમાં પાંચ મિનીટમાં 21 રાગ ગાવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

-વડનગરમાં બે દિવસીય તાનારીરી મહોત્સવનું સમાપન

-ગિનીઝ બુક ઓફ વર્લ્ડની ટીમ સ્વરાધિકા ધારી પંચમદાની કળા માણી અભિભૂત બની


માત્ર પાંચ  જ મિનીટમાં વિવિધ ર૧ રાગ ગાવાની ઘટનાને ગિનીઝ બુકમાં સ્થાન મેળવી વર્લ્ડ રેકોર્ડ કરવાની સાથે રવિવારે વડનગરમાં યોજાયેલા બે દિવસીય તાના-રીરી મહોત્સવનુ સમાપન કરવામાં આવ્યુ હતુ. 

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દેશમાં નૃત્ય અને ગીત સંગીત ક્ષેત્રના નામાંકીત કલાકારોને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

છેલ્લા ૧પ વર્ષથી વડનગરમાં આવેલી સંગીત બેલડી તાના-રીરીની યાદમાં બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૭ અને ૧૮ મી નવેમ્બરે તાનારીરી સમાધી સ્થળે યોજાયેલી 

તાનારીરી મહોત્સવ દરમિયાન નૃત્ય અને સંગીતનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો.
અકબર બાદશાહના નવરત્નો પૈકીના સંગીત સમ્રાટ તાનસેને દિપક રાગ ગાતા શરીરમાં ઉઠેલી અગનજવાળાઓ ઠારવા નાગર કન્યાઓ તાના-રીરીએ મેઘમલ્હાર ગાયુ હતુ. આ સંગીત બેલડીની યાદમાં છેલ્લા ૧પ વર્ષથી વડનગર ખાતે તાનારીરી મહોત્સવ ઉજવાય છે.

બે દિવસીય મહોત્સવના અંતિમ દિને મુંબઈના ગજાનનુ સાલુકેસ્વરાધીકા ધારી પંચમદા,પદ્મભૂષણ ડૉ. 

શ્રીમતી એન.રાજમસંગીતકાર સુશ્રી સાધના સરગમઋષિકેશ સેનુદા જેવા દેશના પ્રખ્યાત કલાકારો દ્વારા 

શરણાઈ વાદનવાંસળી વાદનગીતોવાયોલીન વાદનઅને કલાત્મક નૃત્યો રજુ કરવામાં આવ્યા હતા.
સંગીત અને ભારતીય સંસ્કૃતીને દર્શાવતા નૃત્યોના અદભુત સમન્વય નિહાળી આ વિસ્તારના હજારો સંગીતપ્રેમીઓ અભિભૂત બન્યા હતા.

સળંગ ર૧ રાગ રજુ કરી સૌને ડોલાવ્યા
સ્વરાધિકા ધારી પંચમદાએ વડનગર ખાતે રાગ જોગથી શરૃ કરીને ભૈરવીબૈરાગીબસંતબુખારી,ભૈવરલલીતબીલાવલહિંડોલગુર્જરતોડીમુળતાનીમધુમતીભોપાલીયમનપૂર્વકલ્યાણ,મારવાવાચસ્પતિકલાવતીરાજેશ્રીગોરખ કલ્યાણશિવરંજનીદરબારીમાલકૌશ અને છેલ્લેે રાગ ભેરવી ગાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.