શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018


વીર કવિ નર્મદની જન્મજયંતી



નર્મદાશંકર લાલશંકર દવે (24 ઓગષ્ટ 1833 - 26 ફેબ્રુઆરી 1886),જેને લોકપ્રિય રીતે નર્મદ તરીકે ઓળખવામાં આવે છે , બ્રિટિશરાજ હેઠળ ગુજરાતી કવિ, નાટ્યલેખક, નિબંધકાર, વક્તા, ભાષાશાસ્ત્રી અને સુધારક હતા . તેમને આધુનિક ગુજરાતી સાહિત્યના સ્થાપક ગણવામાં આવે છે. તેમની કવિતા, જય જય ગરવી ગુજરાત " (1873), ગુજરાત માટેનું એક રાજ્ય ગીત તરીકે વપરાય છે .

જન્મ

24 ઓગષ્ટ 1833 સુરત

અવસાન

25 ફેબ્રુઆરી 1886સુરત

કુટુમ્બ

  • માતા –  નવદુર્ગા ;   પિતા લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
  • પત્ની પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

અભ્યાસ

  • સુરત અને મુંબાઇ
  • 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.

વ્યવસાય

  • 1858 સુધી શિક્ષણ
  • 1864- ડાંડિયોપાક્ષિક શરુ કર્યું.