શનિવાર, 27 મે, 2017

PM lays foundation of AIIMS to be set up at Changsari, Assam 


Prime Minister Narendra Modi today laid the foundation stone of All India Institute of Medical Sciences (AIIMS), Guwahati to be set up at Changsari in Assam's Kamrup district. Guwahati AIIMS will be constructed under the Pradhan Mantri Swasthya Suraksha Yojana at an estimated cost of Rs 1,123 crore. 

Inaugurating the nation's longest river bridge - the Dhola-Sadiya bridge over Lohit river and laying the foundation of the Indian Agricultural Research Institute at Gogamukh in Dhemaji district.

અજબ ગજબ...

* પૃથ્વી પર દેખાતા અર્ધચંદ્ર કરતા પૂનમના ચંદ્રનો પ્રકાશ નવ ગણો હોય છે એટલે પૂનમની રાત અજવાળી હોય છે.

* જન્મથી જ અંધ હોય તેવા લોકોને સ્વપ્ન આવે ખરું પણ માત્ર અવાજ સંભળાય છે દૃશ્ય દેખાતું નથી.

* વિશ્વમાં કેમિકલ ઉદ્યોગમાં વપરાતી ચાંદીનો અર્ધોભાગ ફોટોગ્રાફી અને અરીસા બનાવવામાં વપરાય છે.

* રશિયા બે મહાદ્વીપો વચ્ચે ફેલાયેલો દેશ છે. પૃથ્વીનો છઠ્ઠો ભાગ તે રોકે છે.

* વિશ્વની સૌપ્રથમ ઓલિમ્પિક ઇથોપિયામાં ઇ.સ. ૧૮૯૬માં યોજાયેલી એમાં નવ દેશોએ ભાગ લીધેલો.

* વિશ્વનું પ્રથમ ઝૂ રોમન સમ્રાટ પહેલાએ ઈ.સ. ૧૭૫૨માં વિયેનામાં બનાવેલું.

* પેરિસનો પ્રસિદ્ધ એફિલ ટાવર લોખંડનો બનેલો છે. ઉનાળામાં ગરમીને કારણે તેનું કદ વધે છે અને ઊંચાઇમાં નવ સેન્ટીમીટરનો વધારો થાય છે.

ગ્રીનવિચ રેખા નક્કી કરનાર વિજ્ઞાની જ્યોર્જ બિડેલ એરી...

પૃથ્વી પરના વિવિધ દેશોમાં એક જ સમયે ઘડિયાળ જુદો જુદો સમય બતાવે છે. પૃથ્વી ગોળાકાર અને ધરી પર ફરતી હોવાથી દરેક દેશો વારાફરતી સૂર્ય તરફ આવે છે. એટલે સમય જુદા જુદા હોય છે. ભારતમાં દિવસ હોય ત્યારે અમેરિકામાં રાત્રિ હોય છે. વિમાને એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે સમયની ગરબડ સર્જાય છે.

આ ગરબડને દૂર કરવા વિમાન કે જહાજ પૃથ્વી પર કાલ્પનિક ગ્રીનવીચ રેખા પસાર કરે અને બીજા ગોળાર્ધમાં જાય ત્યારે તેનો સમય બદલાવવાનો હોય છે. આ રેખાને દિનાંતર રેખા પણ કહે છે. 

ગ્રીનવિચ રેખા નક્કી કરનાર વિજ્ઞાની જ્યોર્જ બિડેલ એરી યુરોપનો મહાન ગણિતશાસ્ત્રીને ખગોળશાસ્ત્રી હતો. જ્યોર્જ બિડેલનો જન્મ ઇ.સ.૧૮૦૧ના જુલાઈની ૨૭ તારીખે બ્રિટનના વેસ્ટમોલેન્ડના આલ્વીક ગામે થયો હતો.

તેમણે બ્રિટનના રોયલ એસ્ટ્રોનોમર તરીકે નોંધપાત્ર સેવાઓ આપેલી. ગ્રહોની ભ્રમણકક્ષા, પૃથ્વીની ઘનતા અને નેપ્ચ્યૂન અંગે મહત્વપૂર્ણ સંશોધનો કરીને તેઓ જાણીતા થયેલા.
આંધ્રપ્રદેશની બેલુમની ગુફાઓ અનોખી છે...
 

તે પહાડના ખડકમાં નહીં પણ જમીનના પેટાળમાં આવેલી છે. આંધ્રપ્રદેશમાં આવેલી આ ગુફા દેશની સૌથી લાંબી ગુફા છે તે પેટાળમાં વહેતા પાણીથી ખડક કોતરાઈને બનેલી ૩૨૨૯ ફૂટ લાંબી ગુફા છે. ગુફામાં સાંકડા રસ્તા અને પાણીના કૂંડ છે. ગુફાની સૌથી વધુ ઉંડાઈ ૧૫૦ ફુટ છે. આ સ્થળને પાતાળગંગા કહે છે.

પાતાળગંગા

બેલુમ ગુફામાં ઘણી જોવા લાયક રચનાઓ છે, સાંકડુ સિંહનામુખ આકારનું પ્રવેશદ્વાર, શિવલિંગ આકારના સ્થંભ, જમીનમાં અદૃશ્ય થઈ જતું ઝરણું, એક ગુફામાં તો લાકડી પછાડીએ તો સાત સૂરના પડઘા સંભળાય છે. આંધ્રમાં બેંગાલુરૃથી ૩૦૦ કિલોમીટરના અંતરે આ ગુફાઓ આવેલી છે.


 

શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો


સ્મોલ કેપ તથા મિડકેપ શેરોમાં પુન: તેજીનો માહોલ : ૨૩૪ શેરોમાં તેજીની સર્કિટ

આજે ભારતીય શેરબજારના બે મહત્વના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઊંચા મથાળે હાંસલ કરી વિક્રમ રચ્યો હતો. સેન્સેક્સે ૩૧૦૦૦ અને નિફ્ટીએ ૯૬૦૦ની સપાટી કૂદાવી વિક્રમ રચ્યો હતો.
કતલના હેતુ માટે બજારમાં પશુના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો...


પર્યાવરણ મંત્રાલયે બહાર પાડેલા હુકમ અનુસાર આખલા, બળદ, ગાયો, ભેંસો, વાછરડાઓ કે વાછરડીઓ અને ઊંટને પણ આ જોગવાઈમાં સામેલ કરી દેવાયા છે.આ નિયમથી માંસની વિદેશમાં નિકાસ ઉપરાંત ગાય અને ભેંસના માંસના સ્થાનિક વેચાણ પર પણ ભારે અસર પડશે. 

પશુના ખરીદનારાઓએ હવે બજારમાં રચાનારી સમિતિને ખાતરી કરાવવી પડશે કે તેઓ પશુની ખરીદી કતલ માટે નથી કરતા, સમિતિએ ગ્રાહકે આપેલી વિગત ચકાસીને તેનો છ માસ સુધી પુરાવો (રેકોર્ડ) જાળવવો પડશે. આ જોગવાઈ અનુસાર ખરીદનાર વ્યક્તિ પણ તે પશુને રાજ્ય બહાર વેચી શકશે નહીં.

જો કે દેશના બંગાળ, કેરળ અને ઈશાન ભારતના રાજયોમાં ગૌમાંસનું વેચાણ-વપરાશ થાય છે. જેમાં અરૃણાચલ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં પણ ગૌહત્યા પરપ્રતિબંધ નથી. મણીપુરમાં ૧૯૩૯ સુધી રાજાશાહી હતી ત્યાં સુધી ગૌહત્યા બંધી હતી. હવે  આ બધા રાજ્યોમાં ગૌમાંસ છુટથી ખવાય છે.

સરકારે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કેટલીક જોગવાઈઓમાં ફેરફાર સાથે રેગ્યુલેશન ઓફ લાઇવ સ્ટોક માર્કેટસ રૂલ- ૨૦૧૭ અમલી બનાવ્યો છે. .

આ નિયમ અનુસાર આંતરરાષ્ટ્રીય સરહદના ૫૦ કિ.મી. વિસ્તારમાં જ્યારે રાજ્યની હદથી ૨૫ કિ.મી. બહારના વિસ્તારમાં જ્યારે રાજ્યની હદથી ૨૫ કિ.મી. સુધીના વિસ્તારમાં આવી ઢોરબજાર સ્થાપી શકાશે . વળી બજારમાં દુધાળા કે યુવાન પશુઓને વેચવા લાવી શકાશે નહીં. આ નિયમ હેઠળ પશુના કાન વીંધવા, શિંગડા રંગવા, પ્રતિકૂળ વાતાવરણમાં વસાવવા ઉપરાંત પશુને કષ્ટ પહોંચે તેવી કોઈ પણ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.


સુપર કોપતરીકે જાણીતા પંજાબના પૂર્વ પોલીસ વડા ગિલનું અવસાન

પંજાબના પૂર્વ પોલીસ વડા કે.પી.એસ ગિલનું ૮૨ વર્ષની વયે આજે અવસાન થયું હતું. તેઓ બે વાર પંજાબના ડીજીપી રહ્યા હતા. 


કેપીએસ ગિલ ભારતીય હોકી સંઘના પણ પ્રમુખ હતા અને કાયદો અને વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા બદલ તેમને ૧૯૮૯માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.