બુધવાર, 18 જુલાઈ, 2018

ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે ૧૦૮ પુસ્તકોનું પ્રદર્શન



-       -  ભોમિયા વિના મારે ભમવા' તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ચી.મં. ગ્રંથાલય આયોજિત ૧૭થી ૨૧ જુલાઇ સુધી ચાલનારા પુસ્તક પ્રદર્શનમાં ઉમાશંકર જોશીની  ૨૧મી જુલાઇએ ૧૦૮મી જન્મજયંતિ નિમિત્તે તેમનાં ૧૦૮ પુસ્તકો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ઉમાશંકર જોશીનું કાવ્ય 'ભોમિયા વિના મારે ભમવા' તા ડુંગરા, જંગલની કુંજકંજ  જોવી હતી'.   કાવ્યમાં ખૂબ સારી રીતે પ્રકૃતિ તેમજ તેમના અનુભવોનું વર્ણન કાવ્યમાં કરવામાં આવ્યું છે. 


આ પુસ્તક પ્રદર્શનમાં ઉમાશંકર જોશીએ પોતે લખેલા ૬૫ જેટલાં પુસ્તકો તેમજ ઉમાશંકર જોશી ઉપર લખાયેલાં ૫૪ જેટલાં તેમજ તેમના અવસાન પછી સંપાદન થયેલા ૧૧ જેટલાં પુસ્તકો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.  તેમણે ભાષાભવનના અધ્યક્ષ તરીકે અને  ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી હતી. ઉમાશંકર જોશીની  કવિતામાં 'વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી'નો અભિગમ સ્પષ્ટ જોવા મળે છે.


GSTV પરથી BBC NEWSના પ્રથમ ગુજરાતી બુલેટિનનો પ્રારંભ


- દેશ-વિદેશના રસપ્રદ સમાચાર આ બુલેટિનમાં આવરી લેવાશે

- સોમવારથી શુક્રવાર GSTV પર રાત્રે ૮ થી આ બુલેટિન રજૂ કરવામાં આવશે


પ્રિન્ટ મીડિયામાં 'ગુજરાત સમાચાર', ઇલેક્ટ્રોનિક મીડિયામાં 'બીબીસી' એમ બંને મહારથી હાથ મિલાવે ત્યારે સમાચારનું સ્તર સર્વોચ્ચ શિખર પહોંચી જતું હોય છે. હવે બીબીસી ન્યૂઝ ગુજરાતીનું ન્યૂઝ બુલેટિન સોમવારથી શુક્રવાર એમ સપ્તાહમાં પાંચ દિવસ જીએસટીવી પર રાત્રે ૮ થી ૮ઃ૩૦ દરમિયાન રજૂ થશે. ગુજરાતી ભાષામાં રજૂ થનારા આ બુલેટિનમાં દેશ-દુનિયાના સમાચાર, રસપ્રદ સ્ટોરી, રાજકીય સમસ્યાનો તલસ્પર્શી અભ્યાસ રજૂ કરવામાં આવશે.


નેલ્સન મંડેલા



દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા. 

તેઓ દેશના પ્રથમ નિગ્રો વડા હતા અને પ્રથમ સંપૂર્ણ પ્રતિનિધિ લોકશાહી ચૂંટણીમાં ચૂંટાયા હતા . તેમની સરકારે સંસ્થાગત જાતિવાદનો સામનો કરીને રંગભેદના મુદ્દાને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વંશીય સમાધાનને ઉત્તેજન આપવું . 

વૈચારિક રીતે એક આફ્રિકન રાષ્ટ્રવાદી અને સમાજવાદી , તેમણે 1991 થી 1997 સુધી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી) પક્ષના પ્રમુખ તરીકે સેવા આપી હતી.


18 જુલાઇ નો ઇતિહાસ

Related image

§  ટેલિવિઝનનું પ્રથમ રંગીન પ્રસારણ મદ્રાસથી કરવામાં આવ્યું હતું.

§  બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના 1857 માં કરવામાં આવી હતી.

§  ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ 2002 માં  દેશના 12 મો અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

§  ભારતીય મૂળના સલમાન રશ્દીએ 2008 માં પ્રમોશન પ્રવાસ દરમિયાન 57 મિનિટમાં એક હજાર પુસ્તકોના હસ્તાક્ષરનો રેકોર્ડ બનાવ્યો હતો.

§  પ્રખ્યાત હિન્દી અભિનેતા રાજેશ ખન્ના 18 જુલાઈ 2012 ના રોજ મૃત્યુ પામ્યા હતા.

§  મુબારક બેગમ, હિન્દી ફિલ્મોના પ્રખ્યાત પ્લેબેક ગાયક, 18 જુલાઇ, 2016 ના રોજ મૃત્યુ પામ્યા હતા.

§  પ્રખ્યાત ભારતીય કવિ, વાર્તા લેખક, નવલકથાકાર અને સહ-અભિનેતા અજિત શંકર ચૌધરી 2017 માં અવસાન પામ્યા હતા.


જન્મદિવસ

Image result for woman cricketer smriti mandhana
ભારતીય બોલિવૂડ-હોલિવૂડ અભિનેત્રી, અને મિસ વર્લ્ડ 2000 પ્રિયંકા ચોપડા 18 જુલાઈ, 1982 ના રોજ જન્મ્યા હતા.

Image result for priyanka chopra

ભારતીય મહિલા ક્રિકેટર Smriti Mandhana 18 જુલાઈ, 1996 ના રોજ થયો હતો.



ભારતની પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ ડૉ. કાદમ્બિની ગાંગુલી 

Image result for kadambini ganguly

ભારતની પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ અને પ્રથમ મહિલા ચિકિત્સક કાદમ્બિની ગાંગુલીનો જન્મ 18 જુલાઇ 1861 ના રોજ થયો હતો.

કાદમ્બિની ગાંગુલી ( બંગાળી ; જુલાઈ 18 1861 - 3 ઓક્ટોબર 1923) અને ચંદ્રમુખી બસુ બંગાળી ) ભારતના પ્રથમ બે મહિલા સ્નાતકો હતાદક્ષિણ એશિયામાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારા તેમજ પશ્ચિમ દવા પર તાલીમ મેળવનારા પ્રથમ દક્ષિણ એશિયાઈ સ્ત્રિ ફિઝિશિયન ચિકિત્સક પણ હતા . અન્ય ભારતીય આનંદી ગોપાલ જોશી , એ જ વર્ષે (1886) યુનાઇટેડ સ્ટેટ્સમાં ફિઝિશિયન તરીકે સ્નાતક થયા હતા.


“બારે ય મેઘ ખાંગા” એટલે શું?
·       
Image result for monsoon images

          જાણો 12 પ્રકારના વરસાદ ના નામ

      દર ચોમાસે આપણે બારે ય મેઘ ખાંગાશબ્દ છાપામાં વાંચીએ છીએ. ટી.વી.માં પણ સાંભળીયે છીએ. દાયકાઓથી આ શબ્દ ઘેર ઘેર પ્રચલિત બની ગયો છે.છતાં બારેય મેઘ ખાંગાકેમ કહેવાય છે એની ભાગ્યે જ કોઈને ખબર હશે.

      કહેવત બની ગયેલા આ શબ્દનો વિસ્તૃત અર્થ ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. જેમાં બાર પ્રકારના વરસાદનું વર્ણન છે જેમાં સામાન્યથી ભારે અને અતિભારે વરસાદ એમ 12 પ્રકારના જણાવ્યા છે જે આ નીચે મુજબ છે:

1. ફરફર : માત્ર રૂવાડા ભીના થાય એવો વરસાદ

2. છાંટા : ફરફર કરતાં વઘુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ

. ફોરાં : છાંટા કરતા વધારે, જમીન પર પડતું ટીપું એકાદ ઇંચ જગ્યાને પલાળે એવો વરસાદ

4. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં,જે બરફ રૂપે વરસે

5. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ

6. નેવાધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ

7. મોલ-મે : ખેતરાંમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ

8. અનરાધાર : છાંટા કે ફોરાં એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી લાગે એવો વરસાદ

9. મુશળધાર : બે ચાર ધારા ભેગી થઈને એકધારી વરસતી રહે તેવો વરસાદ, જાણે સૂપડાંમાંથી પાણી પડતું લાગે.

10. ઢેફાં ભાંગ : ખેડેલા ખેતરોની માટીના ઢેફાં ને ભાંગે એવો વરસાદ આને વાવણીજોગ પણ કહેવાય

11. પાણ-મે : ખેતરના ક્યારાઓ પાણીથી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કુવાની સપાટી ઉંચી આવે.

12. હેલી : 11 પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે, અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.

 12 પ્રકારના મેઘ એક સાથે વરસે ત્યારે કહેવાય , બારે ય માસ ખાંગા