બુધવાર, 8 મે, 2019


પ્રતિ વર્ષ 8 મેના રોજ વિશ્વભરમાં આંતર રાષ્ટીય રેડ ક્રોસ દિનની ઊજવણી

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને તેની 33 જિલ્લા તથા 61 તાલુકા શાખાઓ દ્વારા રાજ્યના મોટી સંખ્યામાં લોકોને માનવીય સેવાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વિશ્વ રેડ ક્રોસ દિન નિમિત્તે , રાજ્યના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું , કે પ્રતિ વર્ષ , 8 મેના રોજ વિશ્વભરમાં આંતર રાષ્ટીય રેડ ક્રોસ દિનની ઊજવણી કરવામાં આવે છે. રેડ ક્રોસ વિશે આપને શું પ્રિય લાગે છે તે આ વર્ષે આ દિવસની થીમ છે. આ થીમની પસંદગીનું કારણ દુનિયાના લોકો સમક્ષ રેડ ક્રોસ આંદોલનની વિવિધતા અને સાર્વભૌમિકતાવાળી કાર્યશૈલી પ્રકાશિત કરવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું  કે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને તેની 33 જિલ્લા તથા 61 તાલુકા શાખાઓ દ્વારા રાજ્યના મોટી સંખ્યામાં લોકોને માનવીય સેવાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે


જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે

 
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી જેમાં 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. 
સૌરાષ્ટ્રની શાન ગણાતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે. જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને વિમાન મારફતે ગોરખપુર લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થઇ રહ્યું છે. તો ગોરખપુર ઝુ તરફથી ભરતીય ગેંડાની જોડી તેમજ વિવિધ પ્રકારના પીજન્ટની જોડીઓ સક્કર બાગ ઝૂને આપવામાં આવશે 
મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ભારત અને બાંગ્લાદેશ મળીને  એક ફિલ્મ બનાવશે.

સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં બંન્ને પક્ષના અધિકારીઓની બેઠક દિલ્હીમાં મળી હતી
આ ફિલ્મ બંગ બંધુના જીવન પર આધારિત રહેશે. સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર  ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં  બંન્ને પક્ષના અધિકારીઓની એક બેઠક દિલ્હીમાં મળી હતી. ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ આ ફિલ્મનું નિર્માણ કરશે.
વર્ષ 2020માં બંગ બંધુનું શતાબ્દી વર્ષ મનાવવામાં આવશે. આ પ્રસંગે અમિત ખરેએ જણાવ્યું હતું , કે બંન્ને દેશના પ્રધાનમંત્રીઓ વચ્ચે ફિલ્મ નિર્માણ માટે સંમતિ સધાયેલી છે. આને પગલે દૂરદર્શન  અને આકાશવાણી જેવા માધ્યમો વચ્ચે સંબંધ વધુ ગાઢ બનશે.



ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા

શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનુ ખુબ મહત્વ હોય છે. શિયાળો પુર્ણ થતા શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા. ત્યાર બાદ શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે.
 


World Thalassemia Day - 8th May




જીવલેણ રોગ તરીકે જાણિતા થેલેસીમિયાના ગુજરાતમાં હજારો દર્દીઓ 
આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે. વિશ્વભરમાં 8 મે ના રોજ , વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ આવે , અને નિવારણની માહિતી ફેલાવી શકાય. ભારતમાં આશરે 3થી 4 કરોડ થેલેસેમિયાના દર્દી છે. આ આંકડો ગુજરાતમાં 17 ટકા જેટલો ઊંચો છે. આ બીમારીમાં સૌથી ગંભીર. બીટા થેલેસેમિયા મેજર છે. 
થેલેસેમિયા ગ્રસ્તના શરીરમાં હિમોગ્લોબીનનું ઉત્પાદન ઘટી જાય છે, અને તેને એનીમિયા થવાનું જોખમ વધી જાય છે. થેલેસેમિયા માઇનોર ધરાવતા માતા - પિતામાંથી આ રોગ તેમના બાળકોને થાય છે. ભૂખ ન લાગવી, નબળો શારીરિક બાંધો, વિકાસમાં વિલંબ, માથાના કદમાં અસાધારણ વધારો વિગેરે જેના લક્ષણ છે. આવા દર્દીને દર 15 દિવસે લોહી ચડાવીને હિમોગ્લોબીનની માત્રા જાળવવી પડે છે.