શુક્રવાર, 22 જૂન, 2018


USEFUL  ABBREVIATIONS

DP - DISPLAY PICTURE
Wi-Fi – WIRELESS FIDELITY
ATM – AUTOMATED TELLER MACHINE
PDF – PORTABLE DOCUMENT FORMAT
DVD – DIGITAL VERSATILE DISC
GPRS – GENERAL PACKET RADIO SERVICE
HDMI – HIGH DEFINATION MULTIMDEIA INTERFACE
EAT – ENERGY AND TASTE
LCD – LIQUID CRYSTAL DISPLAY
GPS – GLOBAL POSITIONING SYSTEM
LED – LIGHT EMMITING DIODE
IMEI – INTERNATIONAL MOBILE EQUIPMENT IDENTITY
HS – HOTSPOT
OK – OBJECTION KILLED
OS – OPERATING SYSTEM
OTG – ON-THE-GO

COMPUTER – COMMON OPERATED MACHINE PARTICULARY USED FOR TECHNICAL EDUCATION & RESEARCH

PAN – PERMANENT ACCOUNT NUMBER
TEA – TASTE AND ENERGY EMIITED
WWW – WORLD WIDE WEB
SIM – SUBSCRIBER IDENTITY MOBILE
AIM – AMBITION IN MIND
BYE -  BE WITH YOU EVERYTIME
CD – COMPACT DISC
GB – GIGABYTES
FIR – FIRST INFORMATION REPORT
SMS – SHORT MESSAGE SERVICE


દેશના પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ 'ગ્રોથ-ઈન્ડિયા'એ અવકાશ સંશોધન શરૃ કર્યું

Image result for India's,first,robotic,telescope,'Growth-India',started,the,space,exploration,


- લદ્દાખ ખાતે કાર્યરત થયેલું ટેલિસ્કોપ વૈશ્વિક સંગઠનનો ભાગ છે

- ૧૪,૮૦૦ ફૂટની ઉંચાઇએ ગોઠવાયુ છે : ૭૦ સે.મી. વ્યાસ ધરાવતા ટેલિસ્કોપ માટે ૩.૫ કરોડ રૃ.નો ખર્ચ : વર્ષ

ભારતનું પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ લદ્દાખના હાનલે ખાતે ખુલ્લું મુકી દેવાયુ છે. 

૧૨મી જુને ટેલિસ્કોપે કામ શરૃ કરી દીધું છે. 'ગ્લોબલ રીલે ઓફ ઓબ્ઝર્વેટરિઝ વૉચિંગ ટ્રાન્ઝીટ હેપ્પન 

(GROTWH-ગ્રોથ)' નામનું આ ટેલિસ્કોપ ભારત ઉપરાંત અન્ય દેશોની સહાયથી બન્યું છે. 

માટે તેનું નામ 'ગ્રોથ-ઈન્ડિયા' રાખવામાં આવ્યું છે. રોબોટિક હોવાને કારણે આ ટેલિસ્કોપનું સંચાલન ઓટોમેટિક થાય છે, તેમાં માનવિય દખલગીરીની જરૃર નથી.

હાનલે ખાતે 'ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી' આવેલી છે, જેની સાથે જ આ ટેલિસ્કોપ ફીટ કરી દેવાયું છે. બ્રહ્માંડમાંથી આવતા તરંગોનો ટેલિસ્કોપ પોતાની રીતે જ અભ્યાસ કરીને કન્ટ્રોલ મથક સુધી માહિતી મોકલતું રહેશે.

આ પ્રોજેક્ટમાં ભારત ઉપરાંત યુ.કે., ઈઝરાયેલ, જર્મની, જાપાન, તાઈવાન અને અમેરિકા પણ શામેલ છે. ભારત વતી આ ટેલિસ્કોપમાં મુંબઈ સ્થિત IIT અને બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ મુખ્યત્વે સંકળાયેલી છે. એ ઉપરાંત બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સહિતની વિવિધ સંસ્થાઓનું તેની સાથે જોડાણ છે.

આકાશ-દર્શન માટે પ્રદૂષણ-રહિત અને માનવિય પ્રવૃત્તિ-રહિત વિસ્તાર જોઈએ. માટે લદ્દાખનો દુર્ગમ વિસ્તાર પસંદ કરાયો છે. કેમ કે ત્યાં બ્રહ્માંડથી આવતા કિરણોને ઓછામાં ઓછો અવરોધ, પૃથ્વીનું પ્રદૂષણ અને વાતાવરણની અસર નડે છે.

૧૪,૮૦૦ ફીટની ઊંચાઈએ આવેલું આ ટેલિસ્કોપ જગનના સૌથી ઊંચા ટેલિસ્કોપમાં સ્થાન ધરાવે છે. 

ભારતે આ ટેલિસ્કોપના નિર્માણ પાછળ ૩.૫ કરોડનો ખર્ચ કર્યો છે. ટેલિસ્કોપનો વ્યાસ ૭૦ સેન્ટિમિટર છે. આ ટેલિસ્કોપ વર્ષે ૧ હજારથી વધારે ગીગાબાઈટ જેટલી માહિતી કન્ટ્રોલ મથકમાં ઠાલવશે એવો સંશોધકોનો અંદાજ છે. ટેલિસ્કોપે કામ શરૃ કર્યા પછી સૌથી પહેલા ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતા આકાશના કિરણો ઝિલ્યા હતા. કેમ કે આ વિસ્તાર અત્યંત સાફ છે અને ત્યાં અનેક તારામંડળ આવેલા છે. ટેલિસ્કોપનો મૂળભૂત ઉદ્દેશ બ્રહ્માંડમાંથી આવતા વિવિધ કિરણોને ઓળખવા, સમજવા અને એ રીતે બ્રહ્માંડ અંગેના પ્રશ્નો ઉકેલવાનો છે. ખગોળશાસ્ત્રના ઈતિહાસમાં હજુ સુધી વિજ્ઞાાનીઓ બ્રહ્માંડ અને તેની રચના સમજી શક્યા નથી. માટે દુનિયાભરમાં અનેક ટેલિસ્કોપ પોતાની રીતે દૂરના અવકાશમાંથી આવતા કિરણોની તપાસ કરતા રહે છે.
આજે સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જૈનો કેરીનો ત્યાગ કરશે

Image result for jain will not eat mango

- આદ્રા નક્ષત્રમાં વરસાદ પડે તો સમગ્ર સિઝન મબલખ જતી હોવાની લોકવાયકા

ચોમાસાની શરૃઆત અને તેને કારણે થતી જીવોત્પતિ સાથે નાતો ધરાવતા સંયોગનો ૨૨ જૂન-શુક્રવારથી પ્રારંભ થશે. આ ઉપરાંત આવતીકાલે સવારે ૧૧:૧૪ વાગે સૂર્ય મૃગશિયા નક્ષત્રમાંથી આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેની સાથે જ જૈન શ્રાવકો 'ફળોના રાજા' કેરીનો ત્યાગ કરશે.

એક કહેવત છે કે, ' જો વરસે આદ્રા તો બારે મહિના પાધરા'. જેનો મતલબ થાય છે કે, આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો આગામી ચોમાસું ભરપુર રહેવાની ખાતરી મળી જાય છે. 

સૂર્ય ૨૧ જૂનથી ૫ જુલાઇ આદ્રા નક્ષત્રમાં રહેશે. ભેજવાળા વાતાવરણમાં જીવોત્પતિ ખૂબ જ વધારે પ્રમાણમાં થતી હોવાથી જૈન શ્રાવકો કેરી, જાંબુ વગેરે ફળનો ત્યાગ કરે છે.

આદ્રા બેસતાં જ આમ્રફળના સ્વાદમાં પણ ફરક પડવા લાગે છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ-વાયુના રોગો થવાની સંભાવના વધી જાય છે. શુક્રવારે સવારે ૧૧:૧૩ સુધી સૂર્ય મૃગશિયા નક્ષત્રમાં રહેશે અને ત્યારબાદ તેનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે.  


આદ્રા નક્ષત્રમાં પ્રવેશ બાદ સૂર્યનું વાહન હાથી છે. આમ, મેઘરાજા હાથી પર સવારી કરીને મેઘરાજાનું આગમન થતી હોવાની લોકવાયકા છે. 

શાસ્ત્રવિદોના મતે પણ સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે તેની આસપાસના સમયથી જ ચોમાસાની મોસમનો પ્રારંભ થતો હોય છે.


છોટાઉદેપુરના આદિવાસી વિદ્યાર્થીનું ચિત્ર પર્યાવરણ પુસ્તકના કવરપેજ પર


- ત્રીજા ધોરણમાં ભણતા ગરીબ પરિવારના વિદ્યાર્થીએ છોટાઉદેપુર જિલ્લાને અપાવ્યુ ગૌરવ

છોટાઉદેપુર તાલુકાનાં કાછેલ પ્રાથમિક શાળાનાં દોરણ ત્રણ ના વિદ્યાર્થીનું દોરેલું ચિત્ર ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળે પસંદ કરી તેને ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના પુસ્તકના મુખ્ય પૃષ્ઠ પર સ્થાન આપ્યું છે. કાન્તિ રાઠવાએ સ્વચ્છતા અભિયાનના ચિત્રમાં ગાંધીજી સફાઇ કરી રહ્યા છે તેવું દોર્યું છે.

ધોરણ ત્રણમાં ભણતો વિદ્યાર્થી રાઠવા કાન્તિ જેન્દુભાઇ ગરીબ પરિવારમાંથી આવતો આ બાળકના માતા-પિતા છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. આ બાળકની કલાને શિક્ષકે પારખી જઇ પ્રોત્સાહન આપ્યું હતું. ચિત્ર સ્પર્ધા માટે તેને ગાંધીનગર લઇ જવામાં આવ્યો તેની સાથે જનાર વાલીએ પ્રથમવાર ગાધીનગર જોયું  હતું. અને જે હોલમાં ચિત્ર સ્પર્ધા યોજવાની હતી તે હોલને જોઇ જ કાન્તિના પિતા જેન્દુભાઇના મોમાંથી આશ્ચર્યના શબ્દો સરી પડયા હતા. કે આ હોલ માંતો અમારૃ આખું ગામ સમાઇ જાય સ્વચ્છતા અભિયાનને લગતાં દોરેલા ક્રાન્તિના ચિત્રમાં ગાંધીજી સફાઇ કરી રહ્યા છે, તેવું બતાવ્યું છે. કાંન્તિને આ ચિત્ર બદલ સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવશે.


છોટાઉદેપુર જિલ્લાનાં ધાણક ફળિયા કાથેલ (કા) શાળા અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે.