શુક્રવાર, 22 માર્ચ, 2019


ભારતીય મહિલા ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપનું ટાઇટલ કર્યું કબજે

ફાઇનલમાં નેપાળને 3-1થી આપ્યો પરાજય
ભારતીય મહિલા ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ભારતીય ટીમ સતત પાંચમી વખત ટ્રોફી જીતવામાં સફળ રહી છે. યજમાન નેપાળ સામેની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો 3-1થી વિજય થયો હતો. ભારત તરફથી ડાલમિયા છિબ્બરે મેચની 26મી મિનિટે ગોલ કરીને ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. ત્યારબાદ નેપાળે વળતો પ્રહાર કરતા 33મી મિનિટે સંબિત્રા ભંડેરીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કરી દીધો હતો. 
બીજા હાફમાં ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ગ્રેસ ડેંગ્મીએ 63મી મિનિટે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. અંજુ તમંગે 76મી મિનિટે ગોલ કરીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો. 
ભારતે કોઈપણ મેચ ગુમાવ્યા વિના આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. આ પહેલા ભારતીય મહિલા ટીમે સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 4-0થી પરાજય આપ્યો હતો. 
 



આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ

લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવા અભિયાન
સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.

ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.

પાણી કેવી રીતે બચાવી શકાય.?

૧) રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્ટ પાણીને અન્ય કામો જેવા કે જાજરૂ સાફ કરવામાં પાણી ઉપયોગ લઈ શકાય., કનિદૈ લાકિઅ (૨) નાહવાની ડોલમાં ટબની સાઈઝ નાની રાખીએ જેથી પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકીએ., (૩) ઘરે પધારેલ મહેમાનોને નાના ગ્લાસમાં પાણી આપી શકાય, લાકોને પૂછીને પાણી આપવું, જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે., (૪) બ્રશ કે દાઢી કરતી વખતે ગેંડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્બલર રાખો., કનિદૈ લાકિઅ (૫) પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મૂકી વધારાનું પાણી ગટરમાં જવા દેવાને બદલે ડોલમાં નાખો, આ પાણી પોતું કરવામાં વાપરી શકાય, બગીચામાં વૃક્ષોને પાવા પણ ઉપયોગ માં લઇ શકાય., (૬) ઉનાળામાં બે- ત્રણ વખત સ્નાન કરવાને બદલે સ્પંજ કરો., (૭) કાર, સ્કૂટર ધોવાને બદલે ભીના પોતાંથી સાફ કરો, નળીથી ગાડી સાફ કરો નહીં., (૮)સંડાસમાં ઘણા લોકો પાણીની નળી મુકી દેતા હોય છે, સેફટી ટેન્ક સાફ કરવાના હેતુથી તે નુકશાનકર્તા છે., (૯) ટપકતા નળોને તાત્કાલીક રીપેર કરાવવા એક નળમાંથી એક દિવસના અંતે અઢાર લીટર પાણીનો વ્યય થાય છે. મોટાભાગના ફલેટમાં આ સમાધાન થતા નથી., (૧૦) ખેતી માટે વાડીમાં ખુલ્લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઈરીગેશન કે અનડર ગ્રાઉન્ડ પાઈપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયોગ કરવો., (૧૧) વરસાદના પાણીને સામુહિક બધા જ સાથે મળીને બોર, કુવા કે ભૂગર્ભ ટાંકાઓ પાણીથી ભરીએ, વહી જતા પાણીને જમીનમાં ઉતારીએ., (૧૨) પીવાના પાણીને ઉકાળીને જંતુ રહિત કરવું પછી જ પીવા માટે ઉપયોગમાં લેવું., (૧૩) ગટરના પાણીને ખુલ્લા ન છોડતા ભૂગર્ભ પાઈપ લાઈને અથવા સોસ ખાડા કે હજમ બનાવી નકામાં પાણીને જમીનમાં ઉતારીએ., (૧૪) આર.ઓ.મશીનના વેસ્ટ પાણીનો અન્ય કામોમાં ઉપયોગ કરો., (૧૫) શાવરને બદલે બાલ્ટી ભરીને નહાવાથી ૮૦ ટકા પાણી બચે છે. દેશના ૨૦ ટકા લોકો આમ કરશે તો દરરોજ ૬૨૫ કરોડ લિટર પાણી બચશે., (૧૬) જમવામાં ઓછા વાસણોનો ઉપયોગ કરો, યુઝ એન્ડ થ્રો ડીસો વાપરો, જરૂરીયાત હોય ત્યાં. (૧૭) પાણીને 'રીયુઝ' ફરી ઉપયોગમાં આવે તેવા પ્રયત્નો કરવા., (૧૮) મકાન ધોવા માટે પાણીની નળીને બદલે પોતું વાપરી પાણીને બચાવીએ., (૧૯) દરેક ઘરે પાણીના મીટર હોવા જોઈએ જેથી જરૂરીયાત પુરતો જ ઉપયોગ કરે અને કરકસર કરવાની ઈચ્છા થાય., (૨૦) મોટી મોટી ફેકટરીને ઉભી કરતા પહેલા ચેક ડેમો બનાવે, પાણીનો સંગ્રહ હશે તો ઉપયોગ કરી શકાશે. (૨૧) નદીના શુદ્ધ પાણીને બચાવીએ, ઘર વપરાશના પાણીનો નિકાલ સાઈડમાં ગટરો બનાવી પસાર કરીએ, જેથી સાદુ પાણી ખરાબ ન થાય., (૨૨) સાડી ઉદ્યોગના કારખાનાઓ કે કેમિકલ વાળા કારખાનાઓ વેસ્ટ પાણી બહાર કાઢે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. લોકોએ સંગઠીત થઈ વિરોધ કરતા શીખવું પડશે. 

ભારતમાં ચોખાની ખેતીની શરૂઆત ગંગા કિનારે 4000 વર્ષ પહેલા થઈ હતી

Image result for rice farming in india
ભારતમાં ચોખાની(ડાંગરની)પધ્ધતિસરની ખેતીની શરૃઆત ગંગા કિનારે  (હાલના ઉત્તરપ્રદેશમાં) થઈ હતી તેમ બ્રિટનની યુનિવર્સિટી કોલેજ  લંડનના  ઈન્સ્ટિટયુટ ઓફ આર્કિઓલોજીના પ્રોફેસર ડોરિઅન ફુલરે એક વાતચીતમાં કહ્યુ હતુ.
એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગ તેમજ યુએલસીના ઈન્સ્ટિટયુટ ઓફ આર્કિઓલોજી દ્વારા આર્કિઓલોજી ઓફ રાઈસ વિષય પર બે દિવસના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં હાજરી આપવા માટે આવેલા ડો.ફુલર ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં ચોખા સહિત વિવિધ કૃષિ પાકોની ખેતી કેવી રીતે થતી હતી તેના ઈતિહાસ પર વર્ષોથી સંશોધન કરી રહ્યા છે.
ડો.ફુલરે એક વાતચીતમાં કહ્યું હતું કે, ભારતના કેટલાક હિસ્સાઓમાં ચોખાની કેટલીક પ્રજાતિઓ ઉપલબ્ધ હતી પણ તેની ખેતીની શરુઆત આજથી લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા ગંગા કિનારે હાલના ઉત્તરપ્રદેશમાં થઈ હતી.જ્યાંથી તેનો પ્રચાર પ્રસાર ભારતના અન્ય હિસ્સાઓમાં થયો હતો.મારુ અનુમાન છે કે ભારત અને ચીન વચ્ચે તે સમયે પણ થતા વેપારના ભાગરુપે સેન્ટ્રલ એશિયાના રુટ થકી ભારતમાં ચીનના ચોખાની કેટલીક પ્રજાતિઓનુ આગમન થયુ હતુ.જેને ભારતના લોકોએ સ્થાનિક પ્રજાતિઓ સાથે મિક્સ કરીને ચોખા ઉગાડવાનુ શરુ કર્યુ હતુ.કદાચ તેના કારણે ચોખાનુ ઉત્પાદન વધ્યુ હતુ.જેનાથી ચોખાની ખેતી ભારતના બીજા ભાગોમાં પણ લોકપ્રિય થઈ હતી.જોકે મારી થીયરી હજી સુધી વૈજ્ઞાાનિક રીતે પૂરવાર થઈ નથી.
ડો.ફુલરનુ કહેવુ હતું કે ભારત સહિત દુનિયાની માનવ સભ્યતાઓના વિકાસમાં ઘઉં, ચોખા અને મકાઈનો બહુ મોટો ફાળો રહ્યો છે.ભારતમાં માનવ સંસ્કૃતિને વિકસાવવામાં ચોખાનુ બહુ મોટુ યોગદાન રહ્યુ છે.
બીજા વિશ્વયુધ્ધ બાદ કૃષિ પેદાશોની સંખ્યાબંધ પ્રજાતિઓ લુપ્ત થઈ 
ડો.ફુલરનુ કહેવુ છે કે આખી દુનિયામાં બીજા વિશ્વયુધ્ધ પછી વધુ ઉત્પાદન થાય તેવા કૃષિ પાકોની બોલબાલા વધવા માંડી હતી.વૈજ્ઞાાનિકોનુ રિસર્ચ પણ આ જ દિશામાં રહ્યુ હતુ.જેના કારણે  વધુ ઉત્પાદન મળે તેવી  જ પ્રજાતિઓની ખેતી થવા માંડી હતી.આમ બીજા વિશ્વયુધ્ધ પછીના સમયગાળામાં ચોખા સહિત સંખ્યાબંધ કૃષિ પાકોની પ્રજાતિઓ લુપ્ત થઈ હતી.આજે હવે આ પ્રજાતિઓની ખેતી થતી જ નથી અથવા તો એક ચોક્કસ વિસ્તાર સુધી જ સિમિત રહી ગઈ છે.જેમ કે ભારતમાં એક સમયે બ્રાઉન ટોપ મિલેટ નામની બાજરીની પ્રજાતિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી.આજે હવે તેની ખેતી તામિલનાડુના બે-ચાર ગામડા સુધી જ મર્યાદિત રહી છે.ભવિષ્યમાં ખેતીમાં પ્રજાતિઓની વિવિધતાનો યુગ પાછો આવે તો નવાઈ નહી હોય.
સિંધુ ખીણની સંસ્કૃતિમાં ચોખાની નહી પણ ઘઉં અને જવની બોલબાલા હતી 
ડો.ડોરિઅન ફુલરના મતે ભારતમાં પાંગરેલી સિંધુ ખીણની સંસ્કૃતિમાં ચોખાની બોલબાલા નહોતી.એવુ જોવા મળે છે કે સિંધુ ખીણની માનવ સભ્યતામાં ઘઉં અને જવની ખેતી વધારે પ્રમાણમા થતી હતી.આ સિવાયના પાકો પણ કદાચ લેવાતા હતા.સૌરાષ્ટ્રમાં હરપ્પન સંસ્કૃતિના જે અવશેષો જોવા મળે છે તે જોતા એવુ લાગે છે કે અહીંયા બાજરીની વિવિધ પ્રજાતિઓની ખેતી વધારે પ્રમાણમાં થતી હતી.સિંધુ ખીણની સંસ્કૃતિના અંતિમ તબક્કામાં કદાચ લોકો ચોખાનો ઉપયોગ કરતા થયા હતા.