બુધવાર, 25 એપ્રિલ, 2018


એરક્રાફટ પુન: નિર્માણ કરી વિશ્વમાં ફેરવ્યા બાદ આજે જામનગર લવાશે

- ડાકોટા ડીસી- ૩ એ ભારતીય હવાઇ દળમાં ૧૯૮૮ સુધી આપી હતી સેવાઓ
- ૨૦૧૧માં ભંગારમાં જતા બચાવાયું હતું : હવાઇ દળનાં વિન્ટેજ એરક્રાફટ - ફલાઇટ કાફલામાં જોડાશે
ભારતીય હવાઇ દળમાં ૧૯૮૮ સુધી સેવાઓ આપનાર ડાકોટા ડીસી - ૩  એરક્રાફટનું નિર્માણ કરાયા બાદ ફ્રાંસ, ઇટલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબિયા, બેહરીન, ઓમાન ખાતે રોકાણ કર્યા બાદ  તા. ૨૫નાં જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચશે.

આ એરક્રાફટ તે સમયનું હવાઇદળનું સૌથી પ્રતિભાશાળી હવાઇ જહાજ  હતું. કાશ્મીર સાથેના સંઘર્ષ દરમ્યાન ૨૭ ઓકટોબર ૧૯૪૭નાં રોજ સૌ પ્રથમ શીખ રેજિમેન્ટનું સ્થળાંતર આ એર ક્રાફટ મારફત કરાયું હતું. ૧૯૪૪ માં નિર્માણ પામેલા આ એર ક્રાફટે રોયલ એરફોર્સ સાથે સૈન્યમાં સેવા બજાવી હતી. તેના સન્માન માં ભારતીય હવાઇ દળે નોંધણી નંબર પણ આપ્યો છે.

૨૦૧૧ માં આ એર ક્રાફટને ભંગારમાંથી બચાવી રાજ્ય સભાનાં સાંસદ રાજવ ચંદ્રશેખર દ્વારા ભારતીય  હવાઇ દળમાં ભેંટ આપવા યુ.કે. માં ફરી ઉડવા સક્ષમ બનાવ્યું હતું. ૧૩  ફેબુ્ર. ૨૦૧૮ ના રોજ હવાઇ સ્ટાફનાં ચિફ દ્વારા આ એરક્રાફટને વિધિવત રીતે ભેંટ તરીકે સ્વિકારાયું હતું. નોંધનીય છે કે,તેમના પિતા નિવૃત્ત એરકમાન્ડર એમ.કે. ચંદ્રશેખર હવાઇ દળમાં વરિષ્ઠ ડાકોટા પાઇલટ હતા.

વિમાનનાં પુન: નિર્માણ બાદ ૧૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ યુ.કે.થી તેની યાત્રા શરૃ થઇ હતી, જે વિશ્વમાં ફરી કાલે જામનગર આવશે. એક એરક્રાફટને પુન:નિર્માણ કરાવીને તેને સમગ્ર વિશ્વમાં ફેરવી ભારત લાવવામાં આવી રહ્યું છે તે ભારતીય હવાઇ દળના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે. આ એરક્રાફટ આપણી વિન્ટેજ ફલાઇટમાં જોડાશે કે જે ૧૯૮૮ માં પાલમમાં  શરૃ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં વિન્ટેજ ફલાઇટમાં રહેલા હેરીટેજ  એરક્રાફટમાં હોવર્ડ અન ેટાઇગર મોથનો સમાવેશ થાય છે અને સાથે જ તેમાં વિશાળ શ્રેણીના અન્ય સૈન્યના એરક્રાફટને પણ સામેલ કરવાની યોજના છ ેકે  જેઓ આપણા ભવ્ય ભૂતકાળનો એક હિસ્સો છે.

જુના યુદ્ધના ઘોડાનું તેના નવા આવાસમાં સ્વાગત કરવા માટે ડાકોટા વીપી- ૯૦૫ નો ભરતી સમારોહ ૪ મે ૨૦૧૮ ના રોજ એર ફોર્સ સ્ટેશન હિન્ડાન ખાતે  આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં ઓઇએમ  તરફથી તેમના પ્રતિનિધિઓ, યુકેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને ભારતીય હવાઇ દળના ગૌરવશાળી વરિષ્ઠો કે જેમણે આ ભવ્ય ઉડતા મશીનનું સંચાલન કરેલું છે તેમને આમંત્રિત કરવામાં આવશે.


આજે મેલેરિયા દિન-25th April

Related image
મલેરિયા એક વાહક-જનિત સંક્રામક રોગ છે જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે.

મલેરિયા સૌથી પ્રચલિત સંક્રામક રોગોમાં એક છે તથા ભંયકર જન સ્વાસ્થ્ય સમસ્યા છે. આ રોગ પ્લાઝમોડિયમ ગણ ના પ્રોટોઝોઆ પરજીવી ના માધ્યમ થી ફેલાય છે. કેવળ ચાર પ્રકાર ના પ્લાઝ્મોડિયમ (Plasmodium) પરજીવી મનુષ્ય ને પ્રભાવિત કરે છે જેમાં સર્વાધિક ખતરનાક પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ (Plasmodium falciparum) તથા પ્લાઝ્મોડિયમ વિવેક્સ (Plasmodium vivax) માનાય છે, સાથે જ પ્લાઝ્મોડિયમ ઓવેલ(Plasmodium ovale) તથા પ્લાઝ્મોડિયમ મલેરિયે (Plasmodium malariae) પણ માનવ ને પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણ સમૂહ ને 'મલેરિયા પરજીવી' કહે છે.

મલેરિયા ના પરજીવી ની વાહક માદા એનોફ઼િલીસ (Anophelesમચ્છર છે. આના ડંખ મારતા મલેરિયા ના પરજીવી લાલ રક્ત કોશિકાઓમાં પ્રવેશ કરીને બહુગુણિત થાય (વૃદ્ધિ પામે) છે જેથી રક્તહીનતા (એનીમિયા) ના લક્ષણ દેખાય છે (ચક્કર આવવા, શ્વાસ ફૂલાવો, દ્રુતનાડ઼ી ઇત્યાદિ) . આના સિવાય અવિશિષ્ટ લક્ષણ જેમ કે તાવ, સર્દી, ઉબકા, અને શરદી જેવી અનુભૂતિ પણ દેખાય છે. ગંભીર મામલામાં દર્દી મૂર્ચ્છા પામે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.


મલેરિયા ના ફેલાવ ને રોકવા માટે ઘણા ઉપાય કરી શકાય છે. મચ્છરદાની અને કીડા ભગાવવા વાળી દવાઓ મચ્છર ના ડંખથી બચાવે છે, તો કીટનાશક દવા ના છંટકાવ તથા સ્થિર જળ (જેના પર મચ્છર ઈંડા દે છે) ની નિકાસી થી મચ્છરો નું નિયંત્રણ કરી શકાય છે. મલેરિયા ની રોકથામ માટે યદ્યપિ ટીકા/વેક્સિન પર શોધ જારી છે, પણ હજી સુધી કોઈ શોધાઇ નથી.

એક ઉપાય તરીકે  ગપ્પી માછલીને પાણીના ટાંકામાં નાંખવાથી લાર્વામાંથી મચ્છરો પેદા થાય તે પહેલા માછલી તે હડપ કરી જાય છે.
Image result for guppy fish

સાઉથ એશિયન ટેબલ ટેનિસ : માનવ ઠક્કરના ત્રણ, માનુષ શાહના બે ગોલ્ડ

Related image
 
અમદાવાદ : ગુજરાતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે માલદીવ્સમાં યોજોયલી સાઉથ એશિયન જુનિયર એન્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. માનવે જુનિયર બોઈઝ સિંગલ્સમાં, ડબલ્સમાં અને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ડબલ્સમાં સુરતના માનવ ઠક્કરનો સાથી બરોડાનો માનુષ શાહ હતો, જેણે બે ગોલ્ડ જીત્યા હતા.

સિંગલ્સમાં માનવે બાંગ્લાદેશના મોહતાસીન અહમદને અને માલદીવ્સના થાબીન સાજાહુને લીગ મેચમાં અને નેપાળના સાન્તૂ શ્રેષ્ઠાને સેમિ ફાઈનલમાં હરાવ્યો હતો. ઓલ ઈન્ડિયન ફાઈનલમાં તેણે ભારતના જીત ચંદ્રાને હરાવીને નેશનલ્સમાં તેની સામે મળેલી હારનો બદલો વાળ્યો હતો. માનવ અને માનુષ શાહની જોડીએ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ટીમ ઈવેન્ટમાં પણ ભારતે ગોલ્ડ જીત્યો હતો.



કેરીની ગોટલી ખાવાથી વિટામિન B-૧૨ની ઉણપ દૂર થઈ શકે

- ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સંશોધન આગળ ધપાવ્યું.
- ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બી-૧૨ની ઉણપ હોય છે તે દૂર કરવામાં ગોટલી મદદરૃપ બની શકે છે.
કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની વિટામિન બી-૧૨ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે આ ગોટલીમાંથી મળતું મેન્ગીફેરીન નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતના ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે.

કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૃપ થાય છે, એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું