સોમવાર, 1 જાન્યુઆરી, 2018

વડાપ્રધાનની વર્ષની છેલ્લી 'મન કી બાત': મહેરમ પ્રથા કરી રદ

- મુસ્લિમ મહિલાઓ એકલી જઇ શકશે હજ યાત્રા પર: નરેન્દ્ર મોદી

- આ વર્ષે જ 1300 મુસ્લિમ મહિલાઓએ એકલા હજ પર જવા માટે અરજી કરી - ઘણાં મુસ્લિમ દેશોમાં પણ આવી પ્રથા નથી નવી

તીન તલાક વિરૂદ્ધ લોકસભામાં બીલ પસાર કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજ યાત્રાને લઇને મુસ્લિમ મહિલાઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની છેલ્લી મન કી બાતમાં પુરૂષ વિના મહિલાઓને હજ યાત્રા પર રોકને ભેદભાવ જણાવતા કહ્યું કે, તેમની સરકારે આ પ્રથા બંધ કરી છે.

હવે મુસ્લિમ મહિલાઓ પુરૂષો વિના હજ યાત્રા પર જઇ શકશે. નવી હજ નીતિ મુજબ 45 વર્ષથી વધારે ઊંમરની ચાર કે તેથી વધારે મહિલાઓ હવે મહેરમ વિના હજ યાત્રા પર જઇ શકશે. અત્યાર સુધી મહિલાઓને હજમાં જવા માટે મહેરમની જરૂર પડતી હતી. મહેરમ એટલે એવો વ્યક્તિ જેની સાથે મહિલાના નિકાહ ના થઇ શકે. જેમ કે, પિતા, સગો ભાઇ, પુત્ર, પૌત્ર. વડાપ્રધાને પોતાની મન કી બાતમાં આ વિશે જણાવ્યું કે, જ્યારે મને જાણ થઇ કે જો કોઇ મુસ્લિમ મહિલા હજ યાત્રા પર જવા ઇચ્છે તો તે પુરૂષ સભ્ય વગર જઇ શકે નહિ ત્યારે આ ભેદભાવથી હેરાન હતો. પરંતુ હવે મહિલાઓ એકલી હજ યાત્રા પર જઇ શકશે.


અમે આ નિયમ બદલ્યો અને આ વર્ષે જ 1300 મુસ્લિમ મહિલાઓએ પુરૂષ સભ્ય વિના હજ પર જવા માટે અરજી કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આઝાદીના 70 વર્ષબાદ પણ મહિલાઓ આવો ભેદભાવ હોવાના કારણે હું હેરાન છું. તેમજ માત્ર આપણે જ એકલા છીએ જેણે મહિલાઓને એકલા હજ પર જવા રોક લગાવેલી હતી. ઘણાં મુસ્લિમ દેશોમાં પણ આવું નથી. અમે આ પરંપરાને હટાવી છે. સામાન્યપણે હજમાં લોટરી પદ્ધતિથી મોકલવામાં આવે છે પરંતું એકલા હજ પર જવાની અરજી કરનાર મહિલાઓ માટે લોટરી પદ્ધતિ અલગ વ્યવસ્થા કરવામાં આવે તેમ મેં લઘુમતિ મામલાના મંત્રાલયને મેં સુચન કર્યું છે. મહિલાએને પુરૂષ સમાન અધિકાર મળે જેથી વિકાસના માર્ગે મહિલાઓ પણ સાથે આગળ વધી શકે. તેમ જણાવ્યું હતું.


વિશ્વનાથન આનંદે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

- આનંદે બે દિવસ અગાઉ જ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી

- બ્લિટ્ઝમાં કાર્લસનને ગોલ્ડ, કાર્જાકિનને સિલ્વર આનંદે ૨૧ માંથી ૯ બાજી જીતી, ૧ હાર્યો, ૧૧ ડ્રો

બે દિવસ અગાઉ જ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચનારા ભારતના લેજન્ડરી ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા નોર્વેના યુવા સ્ટાર મેગ્નસ કાર્લસને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતાં ચેમ્પિયનશીપ મેળવી હતી.


રેપિડ ચેસના કિંગ તરીકે ફરી વિશ્વમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલા ૪૮ વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી છે. આ ઉપરાંત તે ૨૦૦૩ અને ૨૦૧૭માં વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન પણ બની ચૂક્યો છે. બ્લિટ્ઝ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આનંદની શરૃઆત સારી રહી નહતી અને તેને પહેલા જ દિવસે રશિયાના ઈયાન નેપોમનિયાચ્ચી સામે હારનો સામનો કરવો પડયો હતો.


ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ

- કવોન્ટમ થિયરીના પ્રણેતા છે પ્રોફેસર એસ.એન બોઝ

- આજે તેમની 125મી જન્મજયંતી અમદાવાદ


 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોફેસર એસ.એન બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકત્તામાં યોજાનારલ ઈવેન્ટને સંબોધન કરશે. ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝ 1લી જાન્યુઆરી 1894માં કોલકત્તામાં જન્મ્યા હત. 

તે "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા ગણાય છે. 

ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝે 1920 માં ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, ત્યારથી અત્યાર સુધી તેમની થિયરી ઉપર ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવ્યો છે. બોસ-આઈન્સ્ટાઈન આંકડાઓ અને બોસ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટના સિદ્ધાંત માટે ક્વોન્ટમ મિકેનિક્સ પર તેમના કામ માટે તેઓ ખૂબ જાણીતા છે.


Happy New Year To All Of You from PCI


જાણો છો "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા સત્યેન્દ્રનાથ બોઝ કોણ હતા?

- આજે તેમની 125મી જન્મજયંતી અમદાવાદ

 ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝ 1લી જાન્યુઆરી 1894માં કોલકત્તામાં જન્મ્યા હતા. તે "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા ગણાય છે. આજે તેમની 125મી જન્મજયંતી છે. સત્યેન્દ્રનાથ બોઝનો જન્મ  પહેલી જાન્યુઆરી  1894 ના રોજ  પર કલકત્તામાં થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ બોઝ પૂર્વ ભારત રેલવેના એન્જીનિયરિંગ વિભાગ માં નોકરી કરતા હતા. સત્યેન્દ્ર નાથ બોઝ તેમના સાત બાળકોમાં સૌથી મોટા હતા. અભ્યાસમાં તેઓ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા.

સત્યેન્દ્રનાથ બોઝ હિન્દૂ હાઇસ્કુલ, કલકત્તામાં માધ્યમિક શિક્ષણ લીધું. હતા. ત્યારબાદ તેમણે ઉચ્ચ અભ્યાસ માટે 1911માં કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. ગણિત અને ભૌતિક્શાસ્ત્ર તેમના મનગમતા વિષયો હતા. 1913માં તેમણે કલકતત્તા યુનિવર્સિટીની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી. કૉલેજમાં મેઘનાથ સહા તેમના સહાધ્યાયી  હતા. સત્યેન્દ્રનાથ બોઝે 1915માં મિશ્ર ગણિત સાથે અનુસ્નાતક કક્ષાએ પ્રથમ આવ્યા. ત્યારબાદ જર્મન ભાષાનો અભ્યાસ કરી જર્મન વિજ્ઞાની બૂલ સાથે જર્મન પુસ્તકોનો અભ્યાસ કર્યો.   
    
1916માં, કલકત્તા યુનિવર્સિટી ના ઉપકુલપતિ આશુતોષ મુખરજીએ અનુસ્નાતક કક્ષાએ આધુનિક ગણિત અને ફિઝિક્સ વર્ગો માટે કલકત્તા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન  લેક્ચરર તરીકે નિયુક્તિ આપી. તેમણે 1916થી 1921 દરમિયાન અહીં સેવા આપી હતી. તેમણે 1921માં ફિઝિક્સ વિભાગ માં રીડર તરીકે નવી સ્થપાયેલ  ઢાકા યુનિવર્સિટીમાં જોડાયા હતા. ઢાકામાં કરેલા સંશોધનની કમગીરીને વિજ્ઞાન જગતે બોઝ સ્ટેટિસ્ટિક્સતરીકે માન્યતા આપી. જેનો હાલ ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ઇ.સ. 1924માં સત્યેન્દ્ર નાથ બોઝ પૅરિસ ગયા અને ત્યાં માદામ ક્યૂરીની પ્રયોગશાળામાં સંશોધન કાર્ય કર્યું. 1924માં, સત્યેન્દ્ર નાથ બોઝે એક મેક્સ પ્લેન્ક નિયમ’  અને લાઇટ ક્વોન્ટમ પૂર્વધારણાશીર્ષક પર લેખ પ્રકાશિત કર્યો. આ લેખ આલ્બર્ટ આઈન્સ્ટાઈનને  મોકલવામાં આવ્યો હતો. આ પૂર્વધારણાએ એક મહાન વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું હતું અને બધા વૈજ્ઞાનિકોએ પ્રશંસા કરી હતી. તે 'બોસ-આઈન્સ્ટાઈન સિદ્ધાંત' તરીકે પ્રખ્યાત બની હતી.    
     
1926માં, સત્યેન્દ્રનાથ બોઝ ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન એક પ્રોફેસર બન્યા હતા. જોકે તેમણે તે પછી સુધી તેમની ડોક્ટરેટની પૂર્ણ ન હતી, તેમણે આઈન્સ્ટાઈનના ભલામણ પર પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1929માં સત્યેન્દ્ નાથ બોઝ બોસ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ઓફ ફિઝીક્સ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને 1944 માં કોંગ્રેસ સંપૂર્ણ ચેરમેન તરીકે ચૂંટાયા.

1945માં, તેમની ખૈરા  કલકત્તા યુનિવર્સિટી ઓફ ફિઝીક્સ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 1956માં કલકત્તા યુનિવર્સિટીમાંથી  નિવૃત્તિ લીધી. આ યુનિવર્સિટીએ તેમને ભાષાવિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે  તેમની નિવૃત્તિ પર સન્માનિત કર્યા. બાદમાં તેમણે વિશ્વભારતી યુનિવર્સિટી ઓફ વાઇસ ચાન્સેલર બન્યા હતા. 1958માં, તેમની રોયલ સોસાયટી, લંડનમાં ફેલો તરીકે નિમણૂક કરવામાં આવી હતી.          


1954સત્યેન્દ્રનાથ બોઝને ઉત્કૃષ્ટ પ્રદાન બદલ માન્યતા ભારતીય સરકાર દ્વારા 'પદ્મભૂષણ ' થી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે 4 ફેબ્રુઆરી, 1974ના રોજ કોલકાતામાં મૃત્યુ પામ્યા હતા. તેમના સંશોધન ક્વોન્ટમ ફિઝિક્સમાટે વિશ્વ તેમને સદાય યાદ રાખશે.