ગુરુવાર, 8 ઑગસ્ટ, 2019

અમેરિકાએ હિરોશીમા પર 'લીટલ બોય' અને નાગાસાકી પર 'ફેટ મેન' અણુબોંબ ફેંક્યા હતા

સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસ અંતર્ગત સેમિનાર

સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસને નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કપડવંજના પ્રોફેસર મુકેશભાઇ ભટ્ટે સ્ટુડન્ટસ સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમની શરૃઆતમાં તેમણે હિરોશીમાં પર કરવામાં આવેલ અણુબોમ્બ હુમલાને લાગતો વીડિયો બતાવ્યો હતો. સ્ટુડન્ટસને માહિતી આપતા પ્રો. ભટ્ટે કહ્યું કે, ૧૯૪૫ માં દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના શહેર હિરોશીમા અને નાગાસાકી ૬ ઓગસ્ટ અને ૯ ઓગસ્ટના રોજ અણુબોમ્બ ફેંક્યો હતો, જેમાં ૮૦,૦૦૦ લોકોના મોત થયા હતા અને આ શહેરોનો લગભગ ૯૦ ટકા ભાગ નષ્ટ થઈ ગયો હતો. ઉપરાંત લાખો લોકો પરમાણુ રેડિએશનનો શિકાર બન્યા હતા. હિરોશીમા પરના સેમિનારમાં ૧૬૦ જેટલા સ્ટુડન્ટ હાજર રહ્યા હતા. 
અમેરિકનએ બી-૨૯ યુદ્ધ વિમાનનો ઉપયોગ કર્યો હતો
હિરોશીમા પર કરવામાં આવેલા પરમાણુ હુમલામાં અમેરિકન બી-૨૯ બોમ્બર યુદ્ધ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પાયલોટ પાલ ટીબ્ટ્સ હતા. તેમજ યુદ્ધ વિમાન દ્વારા હિરોશીમા પર ફેંકવામાં આવેલા બોમ્બનું નામ 'લીટલ બોય' હતું. જે યુરેનિયમનો બનેલો હતો, જ્યારે નાગાસાકી પર ફેકાયેલા બોમ્બનું નામ 'ફેટ મેન' હતું. જે પ્લુટોનિયમનો બનેલો હતો.

જમ્મુ કાશ્મીરમાં કુલ 9 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન રહયું હતું


 Image result for jammu kashmir
જમ્મુ કાશ્મીર રાજકિય અસ્થિરતાનો વારંવાર ભોગ બન્યું હોવાથી ૯ વર્ષ કરતા પણ વધુ સમય રાષ્ટ્રપતિ શાસન રહયું હતું. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા સ્થાનિક રાજકિય પક્ષો દર ૬ વર્ષે થતી રાજકિય ચૂંટણીમાં ભાગ લે છે.  આ સ્થાનિક પક્ષોમાં પણ પરીવારવાદ હાવી રહયો છે. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ થી ૯ ઓકટોબર ૧૯૯૬ સુધી ૬ વર્ષ અને ૨૬૪ દિવસ સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહયું હતું. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી આર્ટિકલ 370 અને આર્ટીકલ 35 એ રદ થતા તે ભારતનું એક પૂર્ણ રાજય બન્યું છે. આ રાજયની રાજકિય સ્થિતિ કેવી હતી તે રાષ્ટ્રપતિ શાસનના લાંબા ગાળા પરથી સમજી શકાય છે. 
૨૬ માર્ચ થી ૧૬ જુલાઇ -૧૯૭૭ -
રાષ્ટ્રપતિ શાસન - ૧૦૫ દિવસ 
રાજયપાલ -     એલ કે ઝા
કારણ - કોંગ્રેસે શેખ અબ્દુલા સરકારને ટેકો પાછો ખેંચી લેતા સરકાર લઘુમતીમાં આવી હતી.

૬ માર્ચ થી ૭ નવેમ્બર -૧૯૮૬
રાષ્ટ્રપતિ શાસન - ૨૪૬ દિવસ 
રાજયપાલ - જગમોહન
 શેખ અબ્દુલ્લાના જમાઇ ગુલામ મહંમદ શાહે ૨૬ કોંગ્રેસ ધારાસભ્યો અને ૧૨ નેશનલ કોંગ્રેસના બળવાખોરોની મદદથી ફારુક અબ્દુલાની સરકારને ઉથલાવી હતી.માર્ચ ૧૯૮૬માં ગુલામ મહંમદ શાહની સરકારને કોંગ્રેસે ટેકો પાછો ખેચી લીધો હતો.

૧૯ જાન્યુઆરી ૧૯૯૦ થી ૯ ઓકટોબર ૧૯૯૬
રાષ્ટ્રપતિ શાસન - ૬ વર્ષ અને ૨૬૪ દિવસ 
રાજયપાલ - જગમોહન
કારણ - આતંકવાદી અને અલગાવવાદી પ્રવૃતિઓએ જોર પકડતા સ્થિરતા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવું પડયું હતું.

૧૮ ઓકટોબર થી ૨ નવેમ્બર -૨૦૦૨
રાષ્ટ્રપતિ શાસન - ૧૫ દિવસ
રાજયપાલ - જી.સી સકસેના
કારણ - ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણી પછી ફારુક અબ્દુલાએ રાજયના રખેવાળ મુખ્યમંત્રી તરીકે રહેવાની ના પાડી દેતા કોંગ્રેસ અને પીડીપીની નવી સરકાર ના બને ત્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

૧૧ જુલાઇ ૨૦૦૮ થી ૫ જાન્યુઆરી -૨૦૦૯
રાષ્ટ્રપતિ શાસન - ૧૭૮ દિવસ 
રાજયપાલ - એન એન વોરા
કારણ - ગુલામનબી આઝાદની સરકારને પીડીપી પાર્ટીએ ટેકો પાછો ખેંચી લેતા  લઘુમતીમાં આવેલા આઝાદે અવિશ્વાસની દરખાસ્તનો સામનો કર્યા વિના જ રાજીનામુ ધરી દીધું હતું.

૯ જાન્યુઆરી થી ૧ માર્ચ -૨૦૧૫
રાષ્ટ્રપતિ શાસન - ૫૧ દિવસ 
રાજયપાલ - એન એન વોરા 
કારણ - વિધાનસભા ચૂંટણી પરીણામો એક પણ રાજકિય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા છેવટે રાષ્ટ્રપતિ શાસન લાદવું પડયું હતું.

૮ જાન્યુઆરી થી ૨ એપ્રિલ - ૨૦૧૬
રાષ્ટ્રપતિ શાસન - ૮૭ દિવસ 
રાજયપાલ - એનએન વોરા 
કારણ - મુખ્યમંત્રી મુફતી મહંમદ સઇદનું અવસાન થતા પીડીપીના અધ્યક્ષ મહેબુબા અને ભાજપ વચ્ચેની સમજૂતી તૂટી હતી.

૨૩ ઓગસ્ટ ૨૦૧૮ થી અત્યા૨ સુધી 
રાષ્ટ્પતિ શાસન - ૩૪૬ દિવસ 
રાજયપાલ - સત્યપાલ મલિક 
કારણ - ભાજપે પીડીપીના મહેબુબા મુફતી સૈયદની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો.

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન

- લોધી રોડના સ્મશાનગૃહમાં પુત્રી બાંસુરીએ મુખાગ્નિ આપ્યો
- વડાપ્રધાન મોદી, લાલકૃષ્ણ અડવાણી, વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ ભાવુક થયા
- વિદેશ મંત્રી તરીકે સ્વરાજે વિદેશ મંત્રાલયની કામગીરીને માનવીય સ્પર્શ આપ્યો હતો

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા સ્વરાજનો દેહ લોધી રોડ સ્મશાનગૃહ લવાયો હતો, જ્યાં તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્ની આપ્યો હતો અને તેમના પતિ સ્વરાજ કૌશલ પુત્રી સાથે ઊભા હતા.
ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું. હૃદય રોગનો હુમલો થતાં તેમને એઈમ્સ ખસેડાયા હતા. જોકે, ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. તેમના અચાનક નિધનના સમાચારથી સમગ્ર દેશમાં આધાતનું મોજું ફરીવળ્યું હતું.

બુધવારે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે પક્ષના કાર્યાલય પર લાવવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ, પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહસહિત હજારો લોકોઅ ર્તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, મુલાયમ સિંહ સહિત વિપક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ સુષમા સ્વરાજના અંતિમ દર્શન કર્યા હતા.

પક્ષના કાર્યાલયથી તિરંગામાં લપેટાયેલા તેમના દેહને લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે લવાયો હતો. તેમની અંતિમયાત્રામાં પીએમ મોદી, અડવાણી, વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ ભાવુક થઈ ગયા હતા.
મોદી સરકારની પ્રથમ મુદતમાં વિદેશ મંત્રી તરીકે તેમણે વિદેશ મંત્રાલયની કામગીરીને માનવીય સ્પર્શ આપ્યો હતો. વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદે તેઓ હંમેશા રહેતા. તેઓ ટ્વીટર પર ખૂબ જ સક્રિય હતા. તેમની આ સક્રિયતાના કારણે જ અનેક ભારતીયોને તેમણે સહાય કરી હતી. જોકે, સ્વાસ્થ્યના કારણોસર તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનું ટાળ્યું હતું.
તેમના અંતિમ દર્શન માટે પક્ષના હજારો કાર્યકરો ઉમટી પડયા હતા. અનેક લોકોએ ભાજપના મુખ્યાલય પર સુષમા સ્વરાજની અંતિમ ઝાંખી પોતાના મોબાઈલમાં કેપ્ચર કરવા પ્રયાસ કર્યા હતા. ભાજપની મુખ્ય કારોબારીમાં પ્રવેશ કરનાર તેઓ સૌપ્રથમ મહિલા નેતા હતા.  તેઓે ઓક્ટોબર ૧૯૯૮માં બાવન દિવસ માટે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બન્યા હતા. સુષમા સ્વરાજ પોતાની પ્રતિભાના જોરે પક્ષમાં એકપછી એક ક્રમ ચઢતાં ટોચની હરોળમાં પહોંચ્યા હતા.