ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

ભારતમાં એડવાન્સ સુપર કમ્પ્યુટર 2022 સુધીમાં બની જશે
 
- 20 મેગા વોટથી ઓછો પાવર વપરાય તેવુ દુનિયાનુ પ્રથમ એક્ઝા સ્કેલ
- ચીન અને અમેરિકા સાથે સુપર કમ્પ્યુટરમાં ભારત સ્પર્ધા કરી રહ્યું છે: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સીમાં ભારતે રીસર્ચ વધારવુ પડશે 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ૮મા કોન્વોકેશન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીક ઉપસ્થિત રહેલા ભારતના સુપર કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.વિજય ભાટકરે કહ્યુ કે ચીન અને અમેરિકા સહિતના કેટલાક દેશો હાલ એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે મથી રહ્યા છે ત્યારે ભારતે પણ સુપર કોમ્પ્યુટર બનાવવાનું મિશન શરૂ કરી દીધુ છે અને ભારત પણ અમેરિકા અને ચીન સાથેની સ્પર્ધામાં ૨૦૨૨ સુધીમાં એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવી દેશે.

ભારતમાં ૧૯૯૧માં દેશનું પ્રથમ સુપર કોમ્પ્યુટર તૈયાર કરનાર અને કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.વિજય ભાટકરે કહ્યું કે ભારતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી,સુપર કોમ્પ્યુટર, સાયબર સીક્યુરિટી અને રોબોટિક્સ જેવા ક્ષેત્રે રીસર્ચ વધારવુ પડશે અને હજુ ભારતમાં આ ક્ષેત્રોમાં રીસર્ચ ઓછુ થઈ રહ્યુ છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ટેકનિકલ કોર્સીસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી જેવા વિષયોને દાખલ કરવા પડશે અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં ડાયવર્સિટી લાવવી પડશે એટલે કે વૈવિધ્યતા લાવવી પડશે અને તોજ રોજગારી વધશે,હવે પરંપરાગત રીતે ભણાવવાની પદ્ધતિ અને પરંપરાગત અભ્યાસક્રમોને ભુલીને તમામ ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે તેવા મલ્ટીડિસ્પિલનરી અભ્યાસક્રમો ભણાવવા પડશે. એક્ઝા સ્કેલ પાવર સાથેનુ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવવા અંગે ડૉ.ભાટકરે કહયુ કે  એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનવાવનું મિશન શરૂ થઈ ગયુ છે અને મેં અને મારી ટીમે મળીને હાલ સુપર કોમ્પ્યુટરની આર્કિટેકચર ડિઝાઈન તૈયાર કરી દીધી છે. 

ભારત ૨૦૨૨ સુધીમાં ૨૦ મેગા વોટથી ઓછો પાવર વાપરતુ એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવી દેશે. હાલ ચીન, અમેરિકા, જાપાન, રશિયા અને યુરોપ સહિતના દેશો  એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે મથી રહ્યા છે અને ચીન અને અમેરિકાએ પણ બનાવવનું શરૂ કર્યુ છે.ભારત પણ ચીન અને અમેરિકા જેવા દેશોની સ્પર્ધા કરી રહ્યુ છે.
હજુ સુધી દુનિયામાં એક પણ દેશે એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવ્યુ નથી. ભારત સરકાર દ્વારા આ માટેનું મિશનર શરૂ કરી દેવાયુ છે અને આ એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા પાછળ ૪૫૦૦ કરોડ જેટલો ખર્ચ થશે. જો ભારત સફળતા પુર્વક ૨૦૨૨ સુધીમાં એક્ઝા સ્કેલ સુપર કોમ્પય્ટર બનાવી દેશે તો કેન્સર જેવા અસાધ્ય અને જીવલેણ રોગોમાં દવાના સંશોધનોમાં તેમજ ઈન્ટિગ્રેટેડ હેલ્થ સીસ્ટમ વિકસાવવામા ખૂબ જ મદદ મળશે આ ઉપરાંત એક્યુરેટ વેધર ફોરકાસ્ટ એટલે કે હવામાનની સચોટ માહિતી મેળવવામા તેમજ આયુર્વેદિક,હોમિયોપેથી અને મેડિકલ જેવા ક્ષેત્રે ભારતને ખૂબ જ ફાયદો થશે. ભારતની ઈકોનોમી હાલ દેશની ત્રીજા નંબરની ઈકોનોમી છે અને થોડા વર્ષોમાં ભારત અમેરિકાની ઈકોનોમીને ક્રોસ કરી જશે અને તે અમેરિકા પણ માને છે. જો કે ભારતમાં વસતી જે દરે વધી રહી છે તે  જોતા ભારત વસતીમાં ચીનથી આગળ નીકળી જશે.
એક્ઝા સ્કેલ સુપર કમ્પ્યુટર કેવુ હશે 
એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર એક  સેકન્ડમાં  બિલિયનથી બિલયન એટલે કે ક્વિન્ટિલિયનની ગણતરી કરી શકે તેવુ  એડવાન્સ સુપર કોમ્પ્યુટર છે.અગાઉ ભારતે ૧૯૯૧માં પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ ૮૦૦૦ બનાવ્યુ હતુ.પરંતુ આ કોમ્પ્યુટર ખૂબ જ પાવરનો વપરાશ કરે છે અને તેનું મેથેમેટિક્સ ૧૦ની પાછળ ૯ ઝીરો સમાન હતુ અને હવે ભારત સહિત દુનિયાના મોટો વિકસિત દેશો જે એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તેમાં ૧ની પાછળ ૧૮ ઝીરો એટલે કે તેની મેથેમેટિક્સ ફિગર ૧.૮ x ૧૦૧૮ છે. એક્ઝા સ્કેલ સુપ ર કોમ્પ્યુટર એક સેકન્ડમાં ૧૦૦ બિલિયનથી પણ વધુ એટલે કે ક્વિન્ટિલિયનની ગણતરી કરે શકે છે. એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર એ હમ્યુમન બ્રેઈન જેટલુ પ્રોસેસિંગ પાવર ધરાવશે.


બુધવાર, 30 જાન્યુઆરી, 2019

ધરાસણાના અહિંસક લોહિયાળ સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનતના પાયા હચમચી ગયા હતા
 
- દાંડીનો ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતીકરૂપે જ હતો
- સત્યાગ્રહીઓ પર ધડાધડ લાઠીઓ વિંઝાતી રહી અને લોહી નીગળતા શરીરો કાંટામાં અને મીઠાના અગરોમાં ઝબોળાતા રહયા
નવસારીના દાંડીમાં નમક સત્યાગ્રહ સ્મારકનું બુધવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે વલસાડના ધરાસણા મીઠા સત્યાગ્રહના સ્થળના પુનરોધ્ધાર માટે ગ્રામ સેવા સમાજ, ચોર્યાસી દ્વારા વડાપ્રધાનને પત્ર લખાયો છે. જેમાં ધરાસણાના અહિંસક લોહિયાળ સત્યાગ્રહની વિગતો પણ વર્ણવવામાં આવી છે.
ગ્રામ સેવા સમાજના પ્રમુખ બી.એમ.પટેલે કહયું કે, ગાંધીજીની આગેવાનીમાં ૬ એપ્રિલ,૧૯૩૦ના રોજ દાંડીનો ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતીકરૂપે જ હતો. દાંડીમાં કોઇ મીઠાના અગરો નહોતા. દાંડીમાં મીઠું પાકતું જ નહોતું. ઉગ્ર અહિંસક આંદોલન તો ધરાસણામાં થયું હતું. ગાંધીજીએ વાઇસરાયને પત્ર લખી નોટિસરૂપે ધરાસણાના મીઠાના અગરો પર દરોડા પાડવાનો ઇરાદો જાહેર  કર્યો હતો. 

ધરાસણાની ધાડનો દિવસ જાહેર થતાં જ અંગ્રેજ સરકાર સફાળી જાગી હતી અને તા.૫ મે, ૧૯૩૦ની રાતે ૧ વાગ્યે દાંડી નજીક આવેલા કરાડી ગામથી સુરતના ગોરા ન્યાયમૂર્તિ, પોલીસ અધિકારીઓ તેમજ સિપાઇઓએ ગાંધીજીની ધરપકડ કરી હતી. પરિણામે એક સપ્તાહ બાદ તા.૧૨ મે, ૧૯૩૦ને સોમવારે સવારે ૬ કલાકે અબ્બાસ તૈયબજી સાહેબની આગેવાની હેઠળ ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઇ. પ્રતિદિન ચલાવાતા આ સત્યાગ્રહની ચોમાસાના આગમનને કારણે તા.૬ જુન,૧૯૩૦ના રોડ પુર્ણાહુતિ થઇ હતી.

ધરાસણાનો અહિંસક સત્યાગ્રહ એ અહિંસક ક્રાંતિનું એક રિહર્સલ જ હતું. આ અહિંસક સત્યાગ્રહે જેનો સૂર્ય કદી આથમવાનો નથી એવું માનતી બ્રિટિશ સલ્તનતની ઇમારતને પાયામાંથી હચમચાવી દીધી હતી. ધડાધડ લાઠીઓ વિંઝાતી રહી અને માથા વધેરાતા રહયા. લોહી નીગળતા શરીરો કાંટામાં અને મીઠાના પાણીમાં ઝબોળાતા રહયા. 

પડતી લાઠીને રોકવા સત્યાગ્રહીઓના હાથ ઉંચા થતા નહોતા. ભારત માતાને ખોળે રક્ત ટપકતી ઝોળીઓ સમરાંગણથી બે કિલોમીટર દુર ઊંટડી ગામે નાની સરખી જમીન પર ઉભી કરેલી સત્યાગ્રહીઓની છાવણી ગંભીર ઇજા પામેલા સત્યાગ્રહીઓથી ઉભરાતી રહી હતી. 

ધરાસણાના સત્યાગ્રહીઓની તસ્વીરો, બ્રિટીશ સરકારના જુલ્મોના આંખે દેખ્યા અહેવાલ દુનિયાભરના પત્રકારોએ આપ્યા. અંગ્રેજ રાજ્યના અમલદારોના અત્યાચારોના નગ્ન નાચનું તાદ્શ દ્રશ્ય એટલે ધરાસણાની ધીખતી ધરા. તે ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના એક અતિ ઉજ્જવળ અંકરૂપે પુરવાર થયેલુ છે. પ્રજાએ ગાધીજીને મહાત્માને બદલે મીઠા ચોરનો ઇલ્કાબ આપ્યો હતો.


સુરત: નવા એરપોર્ટ ટર્મિનલ ભવનનું PM મોદીએ ખાતમુહૂર્ત કર્યુ

 Related image
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું. એરપોર્ટના એક્સપાન્શન બાદ ટર્નિલના બિલ્ડિંગની મુસાફર ક્ષમતા પ્રતિ કલાક 1800ની થઈ જશે. આ ટર્મિનલ 2020 સુધી તૈયાર થઈ જશે. જે બાદ તેને ખુલ્લું મૂકવામાં આવશે.
હાલ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 850 ચોરસ મીટર છે. વિસ્તરણ બાદ આ વિસ્તાર વધીને 25500 ચોરસ મીટર થઈ જશે. સાથે જ એરપોર્ટ ખાતે વિમાનની પાર્કિંગ ક્ષમતા પણ વધી જશે. 
વિસ્તરણ બાદ અહીં એક સાથે 15 વિમાનો પાર્ક કરી શકાશે.સુરત ખાતે PM મોદીએ સભાને સંબોધી તે દરમિયાન જણાવ્યું હતું કે, આવનારો સમય સુરત શહેરનો છે. સુરત શહેરનો સમાવેશ વિશ્વના ટોપ શહેરમાં થશે. આગામી સમય સુરત તેમજ ભારતના શહેરોનો હશે. અત્યાર સુધી દેશના 17 એરપોર્ટ્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે. 'ઉડાન' યોજના અંતર્ગત 40 એરપોર્ટ જોડાયા છે. હવાઈ ચંપલ પહેરનારા લોકો પણ હવાઈ યાત્રા કરી શકશે. 
ભાજપ સરકારમાં 1 કરોડ 30 લાખ ઘર બનાવ્યા. 37 લાખ ઘરનું કામ થઈ રહ્યુ છે. જરૂરિયાતને મળેવા ઘર ગરીબોને સમૃદ્ધ કરશે. ભાજપ સરકાર સાથે સરખામણી કરતા UPAને 25 વર્ષ લાગશે. મધ્યમવર્ગને 6 લાખની બચત અમારી સરકારે આપી છે. પાણી, રસ્તા અને શિક્ષણ પર સરકાર કામ કરી રહી છે.
વડાપ્રધાને બાપુને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. બાપુએ સ્વચ્છતા, સ્વાવલંબન પર હંમેશા ભાર મૂક્યો. સરકારની ઈચ્છાશક્તિ હોય તો પરિવર્તન આવે. મધ્યમવર્ગને નસીબ પર છોડી દેવામાં આવતા હતા. અમારી સરકારે વ્યાજમાં રાહત આપી છે.
PM મોદી દાંડી પહોંચ્યા, 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું
-    Image result for national-salt-satyagraha-memorial-opening-by-pm-modi-in-dandi

 -         -    ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા મૂકવામાં આવી

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવામાં દાંડીકૂચ મહત્ત્વનું પરિબળ બની રહી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલના રોજ ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા ઉપરના કરના કાયદાનો ભંગ કર્યો હતો. 

દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને આઝાદી મળી હતી.  દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ ઉપાડ્યું હતું.  આ ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ નમક સત્યાગ્રહ સ્મારકરૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે. દાંડીયાત્રા 75 વર્ષની ઉજવણી વખતે 6 એપ્રિલ 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 14 વર્ષે પૂરા થયેલા આ પ્રોજેક્ટમાં દાંડીના દરિયા કિનારે ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે. 

નમક સત્યાગ્રહ સ્મારક સ્થળે 41 સોલાર ટ્રી મૂકવામાં આવી છે. જેમાં દરરોજ 144 કિલોવોટ વીજળી ઉત્પન્ન થશે. જે આ સ્મારકમાં જરૂરી વીજપુરવઠો પૂરો પાડશે.

સોલાર મેકિંગ બિલ્ડિંગમાં 14 સોલ્ટ મેકિંગ પેન મુકવામાં આવી છે. ત્યાં ખારું પાણી પણ ઉપલબ્ધ છે. ખારું પાણી જ્યારે પર્યટકો પેનમાં મુકશે ત્યારે તે પાણીનું પેનની અંદર લગાવાયેલ મશીન પાણીનું બાષ્પીભવન કરશે અને પેનમાં મીઠું રહી જશે.

મંગળવાર, 29 જાન્યુઆરી, 2019


123 વર્ષ જુના ઉદવાડા રેલવે સ્ટેશનને રૂ.20 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે

 

- નવા આધુનિક બિલ્ડીંગમાં પારસીના ઘરોમાં જેવું નકશી કામ હોય તેવું કામ કરાશે

- ઇમારતમાં વપરાનાર લાકડા અને ટાઇલ્સ પણ હેરિટેજ સ્ટાઇલમાં હશે

- એસી અને નોન એસી વેઇટીંગ રૂમ સહિતની અત્યાધુનિક સુવિધા ઉભી કરાશે : ૩૦ એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 

ઉદવાડાને હેરિટેજ પર્યટન સ્થળ તરીકે જાહેર કરાયા બાદ હવે રેલવે વિભાગ દ્વારા ૧૨૩ વર્ષ જૂના ઉદવાડાના રેલવે સ્ટેશનને ૨૦ કરોડના ખર્ચે હેરિટેજ લુક આપી કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પ્લેટફોમ નં. ૧ ની લંબાઇમાં વધારો કરવાની સાથે અત્યાધુનિક બિલ્ડિંગમાં અનેક સુવિધા સાથે પારસી ઘરોમાં જે પ્રકારના નકશી કામ કરાયું છે, તે મુજબ જ નકશી કામગીરી હાથ ધરાઇ છે.
ઉદવાડા ગામે આવેલી પારસીઓના જાજરમાન ઇતિહાસની ધરોહર સમી પારસી અગિયારીમાં વાર-તહેવારે ભારત સહિત વિદેશી પારસીઓ આવે છે. રમણીય દરિયા કિનારે વસેલા ઉદવાડા ગામનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવા કેન્દ્ર સરકારે ઉદવાડાનો હેરિટેજ પર્યટન સ્થળની યાદીમાં સમાવેશ કર્યો હતો. ભાજપના સાંસદ એવા કેન્દ્રીાય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગામને દત્તક પણ લીધું હતું. હવે રેલવે વિભાગે ૧૨૩ વર્ષ જૂના રેલવે સ્ટેશનને પણ હેરિટેજ લુક આપવાનું નક્કી કરી રૂ.૨૦ કરોડના ખચેઁ સ્ટેશનની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરી છે. 
જે અંતર્ગત પ્લેટફોમ નં.૧ની લંબાઇ ૧૯ કોચના બદલે ૨૬ કોચ સુધી કરવાની તેમજ અત્યાધુનિક બિલ્ડિંગમાં એસી અને નોન એસી વેઇટીંગ રૂમ , ઓફિસ , ટિકીટ બારી સહિતની સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત પ્લેટફાોમ પર શેડ, મુસાફરોને બેસવા માટે બાકડા હેરિટેજ સ્ટાઇલમાં બનાવાશે. નવા આધુનિક બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં પારસી ઘરોમાં જે નકશી કામ હોય છે તે પ્રકારનું નકશી કામ કરવામાં આવશે. ઇમારતમાં ઉપયોગમાં લેવાનાર લાકડા અને ટાઇલ્સ પણ ખાસ હેરિટેજ સ્ટાઈલમાં પસંદ કરાશે. જેને કારણે દરેક પારસીઓને પોતાના ઘરે આવ્યા હોવાનો એહસાસ કરાવશે. 

એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર આવાગમન માટે નવો ફુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. હેરિટેજ સ્ટેશનને લુક આપવાની કામગીરી ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. રેલવે સ્ટેશનને પણ હેરિટેજ રેલવે સ્ટેશન જાહેર કરતા પશ્વિમ રેલવે ડિવિઝનમાં ઉદવાડા હેરિટેજ રેલવે સ્ટેશનનું એક નવું છોગું  છે.


બ્રિટનના કિંગ જ્યોર્જના નામ પરથી માતાએ નામ રાખ્યુ હતુ, જાણો જ્યોર્જ ફર્નાન્ડિઝના જીવન અંગે


 Image result for george fernandes
દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનુ 88 વર્ષે નિધન થયુ છે.જ્યોર્જ ફર્નાન્ડિઝની કેરિયર અનેક ઉતાર ચઢાવોથી ભરેલી રહી હતી.
તેમનો જન્મ 3 જૂન, 1930ના રોજ મેંગ્લોરમાં જોન ફર્નાન્ડિઝને ત્યાં થયો હતો.તેઓ પોતાના 6 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા.તેમની માતા બ્રિટનના રાજા કિંગ જોર્જ-5ની પ્રશંસક હતી અને તેના કારણે તેમણે જ્યોર્જ નામ રાખ્યુ હતુ.કિંગ જ્યોર્જનો જન્મ પણ 3 જૂનના રોજ જ થયો હતો.જ્યોર્જ ફર્નાન્ડિઝ 10 ભાષાઓના જાણકાર હતા એવુ કહેવાય છે.
જ્યોર્જના પિતા તેમને વકીલ બનાવવા માંગતા હતા.જોકે જ્યોર્જને તેમાં સ્હેજ પણ રસ નહોતો.તેમને એક તબક્કે પરિવારજનોએ ક્રિશ્ચિયન મિશનરીમાં પાદરી બનવા માટે પણ મોકલ્યા હતા.જોકે તેમણે ચર્ચ છોડીને મુંબઈની વાટ પકડી હતી.મુંબઈમાં તેમણે ટ્રેડ યુનિયનના આંદોલનોમાં ભાગ લેવાનુ શરુ કર્યુ હતુ.1974માં તેમણે દેશવ્યાપી હડતાળનુ નેતૃત્વ કર્યુ હતુ.
જેલમાં રહીને તેમણે મુઝ્ઝફરપુરમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.ઈમરજન્સીમાં તેઓ સરકારની સામે પડ્યા હતા અને તેમની ધરપકડ પણ થઈ હતી.
1977માં ઈમજન્સી પુરી થયા બાદ પહેલી વખત જેલમાં રહીને મુઝ્ઝફરનગરમાંથી જ્યોર્જ ફર્નાન્ડિઝ ચૂંટણી જીતીને નવ વખત સાંસદ બન્યા હતા.
મોરારજીના નેતૃત્વમાં બનેલી જનતા સરકારમાં તેમને ઉદ્યોગમંત્રીનુ પદ મળ્યુ હતુ.તેમણે સંખ્યાબંધ વિદેશી કંપનીઓ સામે તે વખતે કાર્યવાહી કરી હતી અને તેના કાણે કોકાકોલા તેમજ આઈબીએમ જેવી કંપનીઓને ભારત છોડી દીધુ હતુ.
જનતા પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ તેમણે સમતા પાર્ટી સ્થાપી હતી.જ્યારે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની સરકારમાં રક્ષામંત્રી તરીકે પરમાણુ પરીક્ષણમાં તેમનુ યોગદાન રહ્યુ હતુ.જોકે તેમના કાર્યકાળ દરમિયાન સેનાના કોફિન ગોટાળામાં તેમનુ નામ ઉછળ્યુ હતુ.જોકે બાદમાં અદાલતે તેમને ક્લીન ચીટ આપી હતી.
જ્યોર્જ ફર્નાન્ડિઝ 2009માં મુઝ્ઝફરનગરમાંથી ચૂંટણી લડ્યા હતા.આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.એ પછી તેઓ રાજ્યસભામાં સાંસદ બન્યા હતા.
1971માં તેમણે તત્કાલીન કેન્દ્રીય મંત્રી હુમાયુ કબીરની પુત્રી લેલા કબીર સાથે લગ્ન કર્યા હતા.જોકે બંનેના લગ્ન જીવનમાં 1984માં ભંગાણ પડ્યુ હતુ.જોકે 25 વર્ષ બાદ લેલા કબીર ફરી જ્યોર્જની સાથે રહેવા આવ્યા હતા અને તેમની દેખભાળ કરતા હતા.

છોડવું હોય તેને છોડતાં કોણ રોકે છે ? ખોટ્ટાં બહાનાં કર્યે કેમ ચાલે ભૈ ?
Image result for gandhi
-     ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
-     નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ?

આજે ૨૯ જાન્યુઆરી. આવતી કાલે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ. ત્રીસ જાન્યુઆરી. ગાંધીજી વિશે મબલખ લખાયું છે અને વંચાયું પણ છે. એવો એક કિસ્સો યાદ આવે છે. 

એક માતા પોતાના સાત આઠ વર્ષના બાળકને લઇને આવી અને બાપુને ફરિયાદ કરી કે આ છોકરો ગોળ બહુ ખાય છે. બહુ સમજાવ્યો પરંતુ માનતો નથી. 
બાપુએ એક સપ્તાહ પછી આવવાની વિનંતી કરી. એક સપ્તાહ પછી પેલી માતા બાળકને લઇને આવી ત્યારે બાપુએ વહાલ વર્ષાવતાં પેલા ટાબરિયાને કહ્યું, હવેથી ગોળ નહીં ખાતો હં કે.. પેલી માતા નવાઇ પામી. બાપુ આટલું તો તમે ગયા અઠવાડિયે પણ કહી શક્યા હોત. ના, બાપુએ કહ્યંુ, એ સમયે હું પોતે ગોળ ખાતો હતો. પહેલાં મેં છોડી જોયો. જાતઅનુભવે સમજ્યા બાદ એને કહ્યું. હવે એ જરૂર માનશે.
હજુ કેટલાક રસપ્રદ આંકડા આ સંદેશામાં છે. આપણને સૌને રસ પડે અને પ્રોત્સાહક થઇ પડે એવા આ આંકડા છે. શુદ્ધ ઘીનો કિલોનો ભાવ છે ૬૦૦ રૂપિયા. એની સામે તમાકુનો ભાવ છે કિલોના ૧૭૦૦ રૂપિયા. આમ આદમી શુદ્ધી ઘીના વિકલ્પ રૂપે તમાકુ પસંદ કરીને આરોગ્યને જોખમાવે છે. ગાય કે ભેંસનું દૂધ પચાસથી સાઠ રૂપિયે લિટર મળે છે. બીજી બાજુ દેશી વિદેશી શરાબનો લિટરનો  ભાવ સાડા છસોથી સાતસો રૂપિયા છે. અહીં લઠ્ઠા કે ગટરિયા દારુની વાત નથી, બ્રાન્ડેડ શરાબની વાત છે એે ધ્યાનમાં રહે. 
એક બહુ જાણીતું વાક્ય છે- એન એપલ અ ડે કીપ્સ ડૉક્ટર અવે. રોજ એક સફરજન ખાઓ તો સાજા સારા રહો, ડૉક્ટરની જરૂર ન પડે. સફરજનનો ભાવ છે કિલોએ સોથી સવાસો રૂપિયા. એની સામે સુગંધી સોપારીનો ભાવ છે કિલોના છસો રૂપિયા. 
બજારમાં આંટો મારો તો જાણવા મળે કે સફરજન કરતાં સડેલી અને સુગંધ તથા સેકેરિન ઉમેરવાથી મીઠ્ઠી લાગતી સોપારી વધુ વેચાય છે. આ તો માત્ર ચાર પાંચ દાખલા છે. આવી બીજી ઘણી વિગતો રોજબરોજના જીવનમાં નોંધી શકાય. એક તરફ છે તંદુરસ્તી, બીજી તરફ છે ડૉક્ટર અને દવાઓનાં તગડાં બિલ. 
એક પલ્લામાં છે સ્વાસ્થ્ય અને બીજામાં છે સ્વાસ્થ્ય સામે ખતરો. ગંભીર માંદગી. નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ? વિચારજો અને તમને ગમે તો અમલમાં મૂકજો. ગાંધી બાપુને તમારો નિર્ણય ગમે એવો નિર્ણય લેજો.

રવિવાર, 27 જાન્યુઆરી, 2019

સ્વદેશી સેમી ફાસ્ટ ટ્રેન 18નું નામ વંદે ભારત એક્સપ્રેસ: એન્જીન રહિત ગાડી

Image result for swadeshi-semi-fast-train-18-name-vande-bharat-express


- તામિલનાડૂની ઇનટ્રેગ્લ કોચ ફેકટરી

- ચેન્નાઇમાં માત્ર 18 મહિનામાં રૃપિયા 97 કરોડના ખર્ચે ટ્રેન બની

ટ્રેનમાં ૧૬ કોચ, આખી ટ્રેનમાં એલઇડી લાઇટ

ભારતમાં પહેલી જ વાર બનેલી એન્જીન રહિત ટ્રેન-૧૮ને વંદે ભારત અક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. રેલવે મંત્રી પીયુષ ગોયલે આ જે આ અંગેની જાહેરાત કરી હતી. આ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે ૧૬૦ કિમીની ઝડપે ચાલશે. વડા પ્રધાન મોદી આ ટ્રેનનું ઉદ્ધાટન કરશે. જો કે ક્યારે શરૃ કરાશે તેની તારીખ આપી નહતી. આ ટ્રેન લોકોને હાઇ સ્પીડ કનેક્ટીવીટી આપશે અને વિશ્વના અન્ય દેશોએ પણ આમાં રસ દાખવ્યો હતો. વડા પ્રધાન ચેન્નાઇમાં કહ્યું હતું કે આવી અન્ય ટ્રેનો પણ શરૃ કરાશે અને તામિલનાડૂના અનેક યુવાનોને એમાં રોજગારી મળશે.
રેલવે મંત્રી ગોયલે કહ્યું હતું કે  દેશના સામાન્ય જનતા પાસેથી અમે આ ટ્રેનના નામ મંગાવ્યા હતા જેમાં સૌથી સારૃં વંદે ભારત એક્સેપ્રેસ નામ પસંદ થયું હતું.
પ્રજાસત્તાક દિવસે દેશના લોકોને અમારી સરકારની આ ભેટ છે. અમે વડા પ્રધાનને ફલેગઓફ કરવા  વિનંતી કરી હતી.દેશમાં મેક ઇન ઇન્ડીયા હેઠળ ટી-ટ્રેન એટલે કે વંદે ભારત એક્સપ્રેસને ચેન્નાઇમાં માત્ર ૧૮ મહિનામાં બનાવવામાં આવી હતી.
ટ્રેનની ગતી માપવા તેને દિલ્હી અને આગ્રા વચ્ચે ૧૮૦કિમીની ઝડપે સીસીઆરએસની હાજરીમાં ચલાવવામાં  આવી હતી. ત્યાર પછી ૨૫ જાન્યુઆરીએ  ટ્રેનને ૧૬૦ કિમીની ઝડપે ચલાવવા માટે સીસીઆરએસ સેફટી સર્ટિફિકેટ મળ્યો હતો.
૧૬ કોચની આ ટ્રેનને એરો ડાયનેમિકના હિસાબી ડીઝાઇન કરાઇ છે.ટ્રેનમાં કોચની મોટી બારીઓ છે. તેના દરવાજા ઓટોમેટિક છે અને દિવ્યાંગો માટે ખાસ ટોયલેટની સુવિધા ઊભી કરવામાં આવી છે. દરેક કોચની નીચે મોટર લગાડવામાં આવી છે જે ટ્રેનને ચલાવે છે.
ટ્રેનના બંને છેડે ડ્રાઇવર કેબિન હોવાથી તેને વાંરવાર શંટિંગની જરૃર નહીં પડે. ટ્રેનમાં માત્ર સિટિંગ વ્યવસ્થા (ચેરકાર) જ છે. ખુરશીઓ ખાસ પ્રકારની બનાવવામાં આવી છે જેને ટ્રેન જે દિશામાં જતી હોય તે તરફ ખુરશીને વાળી શકાય છે. લાઇટિંગ વ્યવસ્થા એલઇડીની છે.