બુધવાર, 20 ફેબ્રુઆરી, 2019


આજે એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019નો સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ


એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019નો બેગલુરુમાં આજે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ થઈ ગયો છે. 20મી ફેબ્રુઆરી થી 24મી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શનમાં રક્ષાક્ષેત્રે જોડાયેલા તમામ રક્ષા ઉપકરણોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને નિહાળવા માટે દુનિયાભરના દર્શકો અને વિમાનના ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દેશ વિદેશની અનેક થીંક ટેન્કે હાજરી આપી હતી. એરો ઈન્ડિયા 2019 શો વૈમાનિક ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને નવા વિચારોને દુનિયા સાથે વહેંચવા માટેનો એક મોટો મંચ છે. આ પ્રદર્શન દ્રારા ભારતનો ઉદેશ્ય મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતા રમણે જણાવ્યું કે રક્ષાક્ષેત્રે ભારતે જબરજસ્ત પ્રગતિ કરી છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણ શક્ય છે. તેમણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે જીડીપીને નવી ઉંચાઈએ લઈ જવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

સાઉદી પ્રિન્સ ભારત પ્રવાસે


 Image result for saudi-prince-india-liquid

સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન બે દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. બુધવારે મોડી રાત્રે તેઓ ભારત આવી પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને તેમને આવકારવા માટે એરપોર્ટ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી તેમની સમક્ષ પાક. પ્રેરિત ત્રાસવાદનો મુદ્દો ઉઠાવે તેવી સંભાવના છે. સાઉદી પ્રિન્સ બે દિવસની પાક. મુલાકાત પછી સીધા ભારત આવવાનાં હતા પણ ભારતે પાકિસ્તાનથી સીધા ભારત આવવાના તેમના નિર્ણયનો વિરોધ કર્યા પછી તેઓ સોમવારે રિયાધ પાછા ફર્યા હતા. હવે તેઓ રિયાધથી ભારત આવી ગયા છે. ભારત અને સાઉદી અરેબિયા બંને વર્ષોથી વ્યૂહાત્મક ભાગીદાર છે. સાઉદી અરેબિયા માટે વેપાર અને સુરક્ષાની દૃષ્ટિએ ભારત મહત્ત્વનું છે.

સાઉદી પ્રિન્સની મુલાકાત વખતે બંને દેશો વચ્ચે પાંચ ક્ષેત્રોમાં સહયોગ સાધવા કરાર કરવામાં આવે તેવો તખતો ઘડાયો છે. નાણાકીય બાબતોના સચિવ ટી. એસ. ત્રિમૂર્તિનાં જણાવ્યા મુજબ દ્વિપક્ષીય મૂડીરોકાણ, પર્યટન, હાઉસિંગ, માહિતી અને પ્રસારણ જેવા સેક્ટરમાં દ્વિપક્ષીય સહયોગ વધારવામાં આવશે. ખાતર, ફૂડ સિક્યોરિટી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પુનઃ પ્રાપ્ય ઊર્જા,નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન ક્ષેત્રે બંને દેશો સહયોગ વધારી શકે છે. મોદી બુધવારે પ્રિન્સનાં સન્માનમાં ભોજન સમારંભ યોજવાના છે. સાઉદી પ્રિન્સ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત પણ લેશે.

સાઉદી અરેબિયા માટે ભારત સ્ટ્રેટેજિક પાર્ટનર
ત્રિમૂર્તિએ કહ્યું કે, સાઉદી અરેબિયાએ પુલવામા હુમલાની આકરી ટીકા કરી હતી. સાઉદી પ્રિન્સ ભારત અને પાક. વચ્ચે તંગદિલી ઘટાડવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. સુરક્ષા અને આતંકવાદ સામે લડવા સાઉદી આપેલા સહયોગની ભારત પ્રશંસા કરે છે. સાઉદી અરેબિયા દ્વારા આઠ દેશો પૈકી ભારત તેના સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે ઊભરી રહ્યું છે. ભારત સાથે રાજકીય ઉપરાંત સુરક્ષા, વેપાર, રોકાણ, સંસ્કૃતિ જેવા મુદ્દે ગાઢ સહયોગ સાધવા તે ઉત્સુક છે.
PM મોદીએ વારાણસીને આપી 2900 કરોડની યોજનાઓની ગિફ્ટ, જાણો શું કહ્યું

 PM Flags Off The World's First Diesel To Electric Locomotive In Varanasi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીને 2900 કરોડની યોજનાઓની ગિફ્ટ આપી છે.
આજે પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન ડિઝલમાંથી ઈલેક્ટ્રિક એન્જિનમાં ફેરવાયેલા એન્જિનને લીલી ઝંડ઼ી આપી હતી.તેમજ સંત રવિદાસના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.
પીએમ મોદીએ એક સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે વારાણસીને નવા ભારતની ઉર્જાનુ કેન્દ્ર બનાવવામાં સપળતા મળી છે.ડિઝલથી ચાલતા એન્જિનને ઈલેક્ટ્રિસિટીથી ચલાવવામાં સફળતા મેળવીને ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સે ફરી પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ સાબિત કરી છે.આ પ્રયોગ સફળત થવાથી બીજા એન્જિનને પણ કન્વર્ટ કરીને રેલવેને વધારે સક્ષમ બનાવી શકાશે.