સોમવાર, 27 ઑગસ્ટ, 2018

ભારતમાં પ્રથમવાર બાયોફ્યુલ સાથે ફ્લાઈટ ટેક ઓફ 



પ્રથમવાર બાયોફ્યુલ સાથે વિમાન ઉડાડીને ભારતે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં નવો મુકામ પ્રાપ્ત કરી લીધો છે. સ્પાઈજેટે બોમ્બાર્ડિયર ક્યૂ400થી દેહરાદૂન-દિલ્હીની વચ્ચે આ ઉડાણનું સફળ પરીક્ષણ કર્યું. આની સાથે જ ભારત એ ખાસ દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયુ, જેમણે બાયોફ્યુલ સાથે કોઈ પ્લેનને ઉડાવ્યુ છે.


કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા વિકસિત દેશ આવુ કરી ચૂક્યા છે પરંતુ વિકાસશીલ દેશોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પહેલો દેશ બની ગયો છે. આ વર્ષની શરૂઆતમાં જ દુનિયાની પહેલી બાયોફ્યુલ ફ્લાઈટે લોસ એન્જેલિસ સાથે મેલબર્ન માટે ઉડાણ ભરી હતી. 


સ્પાઈસજેટે કહ્યુ કે તેણે બોયોફ્યુલ સાથે ઉડાણની સફળતાથી ઓપરેશન પૂર્ણ કર્યુ. આ ઉડાણ માટે ઉપયોગી ઈંધણ 75 ટકા એવિએશન ટર્બાઈન ફ્યુલ અને 25 ટકા બાયોફ્યુલનું મિશ્રણ હતુ. એરલાઈનમાં નિવેદનમાં કહ્યુ કે એટીએફની તુલનામાં બાયોફ્યુલ ઉપયોગનો ફાયદો એ છે કે આનાથી કાર્બન ઉત્સર્જન ઘટે છે અને સાથે જ ઈંધણ દક્ષતા પણ વધે છે.