શુક્રવાર, 12 જાન્યુઆરી, 2018

ISRO સફળતાની શતક: ISROએ લોન્ચ કર્યો 100મો ઉપગ્રહ 




 આજે ભારત અંતરિક્ષમાં પોતાની શતક પૂરુ કરવા જઈ રહ્યું છે. આજે ઈસરો PSLVમાં 31 ઉપગ્રહોનું લોન્ચિંગ કરશે. આ લોન્ચિંગ સવારે 9.28 મિનીટે થશે. પરંતુ ભારતની આ ઉપલબ્ધિ પહેલા પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.


સિંગલ મિશનમાં ઇસરોના ૧૦૦મા ઉપગ્રહને લોન્ચ કરવાનું ૨૮ કલાકનું કાઉન્ટ ડાઉન ગુરુવારે જ શરૂ થયું હતું. ઇસરોનું આ ૪૨મું મિશન છે. જેમાં ઇસરોના સૌથી ભરોંસાપાત્ર રોકેટ પીએસએલવી-સી૪૦ પર સવાર થઇ ઇસરોનો ૧૦૦મો ઉપગ્રહ કાર્ટોસેટ-ટુ અને અન્ય ૩૦ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સ્થાપિત થવા રવાના થશે. રોકેટનું લોન્ચિંગ આજે સવારે 9.28 કલાકે કરાશે.

  રાષ્ટ્રિય ઉધાન (નૅશનલ પાર્ક) 



1. કાઝીરંગા નેશનલ પાર્ક--જોરહાટ(અસમ)
2. નંદનકાનન નેશનલ પાર્ક--ભુવનેશ્વર(ઓડિશા)
3. જિમ કોર્બટ નેશનલ પાર્ક--રામનગર(ઉત્તરાખંડ)
4. દુધવા નેશનલ પાર્ક--લખીમપુર ખેરી(ઉત્તરપ્રદેશ)
5. હઝારીબાગ નેશનલ પાર્ક--હઝારીબાગ(ઝારખંડ)
6. શિવપુરી નેશનલ પાર્ક--શિવપુરી(મધ્યપ્રદેશ)
7. કાન્હા નૅશનલ પાર્ક--મંડલા(મધ્યપ્રદેશ)
8. બાંધવગઢ નૅશનલ પાર્ક--શાહડોલ(મધ્યપ્રદેશ)
9. બેટલા રાષ્ટ્રીય ઉધાન--બેટલા(ઝારખંડ)
10. ભરતપુર રાષ્ટ્રીય ઉધાન--ભરતપુર(રાજસ્થાન)
11. રોહલા નેશનલ પાર્ક--કુલ્લુ(હિમાચલ પ્રદેશ)
12. ખાંગચેડઝેના નેશનલ પાર્ક--ગંગટોક(સિક્કીમ)
13. તાડોબા નેશનલ પાર્ક--ચંદ્રપુર(મહારાષ્ટ્ર)
14. પેંચ નેશનલ પાર્ક--નાગપુર(મહારાષ્ટ્ર)
15. સંજય ગાંધી નેશનલ પાર્ક--બોરીવલી,મુંબઈ(મહારાષ્ટ્ર)
16. નવેગાંવ નેશનલ પાર્ક--ભંડારા(મહારાષ્ટ્ર)
17. બંડીપુર નેશનલ પાર્ક--મૈસુર(કર્ણાટક)
18. નગરહોલ નેશનલ પાર્ક--કુર્ગ(કર્ણાટક)
19. બન્નીરઘાટ્ટા નેશનલ પાર્ક--બેંગલુરુ(કર્ણાટક)
20. એરાવીકુલમ રાજમલ્લે નેશનલ પાર્ક--ઈડકકી(કેરલ)
21. ગિડી નેશનલ પાર્ક--ચેન્નાઈ(તામિલનાડુ)
22. કાંગેર રાષ્ટ્રીય ઉધાન--કાંગેર(છત્તીસગઢ)

23. ગ્રેટ હિમાલિયન નેશનલ પાર્ક--કુલ્લુ(હિમાચલ પ્રદેશ)
વડોદરા પોલીસનો નિર્ભય સવારી પ્રોજેક્ટ




શહેરમાં ફરતી અંદાજે ૧૫ હજાર ઓટો રીક્ષાઓ માટે નિર્ભય સવારી નામનો પ્રોજેકટ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૃ કરવામાં આવ્યો છે. જેમાં તમામ રીક્ષાઓ પર ઇલેકટ્રોનિક ચીપ લગાડવામાં આવશે તે રીક્ષાનું લોકેશન જાણી શકાય. જેની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. 

આ અંગેની વિગત એવી છે કે શહેરમાં મુસાફરોની અવરજવર કરતી ઓટો રીક્ષામાં કેટલાક ચોરી, લૂંટ અને અપહરણ જેવાગુનાઓ બને છે. મુસાફર આ અંગે તુરત પોલીસ ફરિયાદ કરે તો પણ તે રીક્ષા સોધવામં તકલીફ પડે છે. આથી શહેરમાં ફરતી તમામ રીક્ષાઓના ડેપા આરટીઓ કચેરીમાંથી પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યાં છે. 

''નિર્ભય સવારી '' નામના પ્રોજેકટ હેઠળ શહેરની તમામ રીક્ષાઓમાં ઈલેકટ્રોનીક ચીપ ફીટ કરવામાં આવશે. જેમાં રીક્ષાની તમામ વિગતો હશે. શહેરમાં વડોદરા આર.ટી.ઓ. કચેરીમાં રજીસ્ટર્ડ થયેલી ૧૫ હજાર રીક્ષાઓ છે. તેના માલિકના નામ સરનામા સહિતની વિગતોનો ડેટા મેળવવામાં આવી રહ્યાં છે.

દેશના ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ યોજી



- ભ્રષ્ટાચારની વાત CJIએ સાંભળી નહીં, દેશનું લોકતંત્ર ખતરામાં

- મુખ્ય ન્યાયાધીશ પર દેશની જનતાએ નિર્ણય કરવો જોઇ

આજનો દિવસ ન્યાયપાલિકા માટે ઐતિહાસિક દિવસ છે. આજે પહેલીવાર સુપ્રીમ કોર્ટના વર્તમાન જજોએ મીડિયાને સંબોધિત કરી.

પ્રેસ કોન્ફનરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું ક્યારેક એવું થાય છે કે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા બદલાય છે. સુપ્રીમ કોર્ટનું વહિવટીતંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, અને જો આમ ચાલતું રહેશે તો લોકતાંત્ર માટે ભય ઉભો થશે. તેમણે કહ્યું અમે આ મુદ્દે મુખ્ય ન્યાયધિશ સાથે વાત કરી પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં.

જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું,‘ જો અમે દેશની સામે આ વાત મુકી નહી તો લોકાશાહી સામે ખતરો ઉભો થશે. અમે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા (CJI) સાથે ભ્રષ્ટાચાર પર વાત કરી. ચાર મહિના પહેલા અમે ચારેય જજોએ CJIને એક પત્ર લખ્યો હતો. જે વહિવટીતંત્ર અંગે હતો, અમે કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા.

દેશના મુખ્ય ન્યાયાધીશ પર દેશની જનતાએ નિર્ણય કરવો જોઇ, અમે બસ દેશનું રૂણ અદા કરી રહ્યાં છીએ. જજોએ કહ્યું અમે નથી ઇચ્છતા કે અમારા પર કોઇ આરોપ લાગે.


ઉલ્લેખનીય છે કે દેશના આ ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજોએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હોય. પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ હતા.


Youth Day Of India- 12th Jan


ભારતમાં રાષ્ટ્રીય યુવક દિનની ઉજવણી 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનન્દના  જન્મદિવસ પર કરવામાં આવે છે . 1984માં ભારત સરકારે દિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે જાહેર કર્યો અને 1985 થી દર વર્ષે ભારતમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

વર્ષ 1984 માં મહાન સ્વામી વિવેકાનંદ એટલે કે 12 મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જન્મદિવસ ઉજવતા ભારત સરકારનો એક મોટો નિર્ણય હતો. ભારત સરકારે નોંધ્યું હતું કે, 'સ્વામીજીના ફિલોસોફી અને તેમના માટે જે આદર્શો હતા અને તેઓ કામ કરતા હતા તે ભારતીય યુવા માટે પ્રેરણાના એક મહાન સ્રોત બની શકે છે.


રાષ્ટ્રિય યુવા દિવસને દર વર્ષે 12 જાન્યુઆરીના દિવસે સરકારી, અધ્યયન, વાચન, સંગીત, યુવા સંમેલનો, પરિસંવાદો, યોગાસના, પ્રસ્તુતિઓ, નિબંધ લેખન, પાઠ અને રમતમાં સ્પર્ધાઓ સાથે સ્કૂલ અને કોલેજોમાં સમગ્ર દેશમાં જોવા મળે છે. સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો અને લખાણો, ભારતીય આધ્યાત્મિક પરંપરા અને તેમના માસ્ટર શ્રી રામકૃષ્ણ પરમહંસના વ્યાપક દ્રષ્ટિકોણથી પ્રેરણા મેળવતા, તે પ્રેરણાના સ્ત્રોત છે અને યુવા સંગઠનો સહિત અનેક યુવક સંગઠનો, અભ્યાસ વર્તુળો અને સેવા પ્રકલ્પોને પ્રેરિત કર્યા છે.