મંગળવાર, 12 ફેબ્રુઆરી, 2019

અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવાની તારીખ જાહેર, PM મોદીનો અગત્યનો રોલ


અબુધાબીમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં પહેલા હિન્દુ મંદિરની આધારશિલા રખાશે. મીડિયા રિપોર્ટમાં આવેલી માહિતી પ્રમાણે સંયુકત અરબ અમીરાત (યુએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવાની યોજનાને 2015મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહેલી વખત મુલાકાત કરાઇ ત્યારે જ અબુધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
ગલ્ફ ન્યૂઝના સમાચારમાં કહ્યું છે કે વિશ્વવ્યાપી હિન્દુ ધાર્મિક અને નાગરિક સંગઠન, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ કરાઇ રહ્યું છે. તેમાં કહ્યું છે કે મંદિરની આધારશિલા રાખવાનો સમારંભ 20મી એપ્રિલના રોજ થશે જેની અધ્યક્ષતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામી મહારાજ દ્વારા કરાશે.
મહંત સ્વામી 18 થી 29મી એપ્રિલની વચ્ચે યુએઇમાં રહેશે. અબુધાબીના વલી અહદ (ક્રાઉન પ્રિન્સ) શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન ગિફ્ટમાં આપી છે. યુએઇ સરકારે આટલી જ જમીન મંદિર પરિસરમાં પાર્કિંગની સુવિધાના નિર્માણ માટે આપી છે.

અબુધાબીમાં અંદાજે 30 લાખ ભારતીયો વસે છે
અબુધાબીમાં અંદાજે 30 લાખ ભારતીયો વસે છે. આ ત્યાંની વસતીના લગભગ 30 ટકા હિસ્સો છે. ત્યાંના અર્થતંત્રના વિકાસમાં આપણા ભારતીયોનું મોટું યોગદાન છે. સાધન-સંપન્ન આટલી મોટી વસતી ધરાવતા અબુધાબીમાં કોઇ હિન્દુ મંદિર અત્યાર સુધી નથી. તેની સરખામણીમાં દુબઇમાં બે મંદિર અને એક ગુરૂદ્વારા છે. આથી અબુધાબીના સ્થાનિક હિન્દુઓને પૂજા કે લગ્ન જેવા સમારંભ માટે દુબઇ જવું પડે છે. તેના માટે અંદાજે ત્રણ કલાકની મુસાફરી કરવી પડે છે. આ મુશ્કેલીને જોતા યુએઇ સરકારે આ મંદિર માટે જમીન આપવાનો નિર્ણય કર્યો હતો.


ખાસિયત
આ મંદિર અબુધાબીથી 30 મિનિટના અંતર પર હાઇવેને અડીને આવેલા અબુ મુરેખાનામની જગ્યા પર બનશે. આ મંદિરમાં શિવ, કૃષ્ણ, અયપ્પા ભગવાનની મૂર્તિઓ હશે. અયપ્પાને વિષ્ણુ ભગવાનનો એક અવતાર મનાય છે અને કેરળમાં તેની પૂજા થાય છે. આ મંદિરના નિર્માણમાં મુહિમ ચલાવનાર અબુધાબીના જાણીતા ભારતીય બિઝનેસમેન બીઆર શેટ્ટી છે. તેઓ યુએઇ એક્સચેન્જનામની કંપનીના એમડી અને સીઇઓ છે.
આ મંદિરના પરિસરમાં સુંદર બગીચા અને મનને મોહી લેનાર વોટર ફ્રન્ટ હશે. આ મંદિર પરિસરમાં પર્યટક કેન્દ્ર, પ્રાર્થના સભા માટે સ્થળ, પ્રદર્શન અને બાળકોને રમવાની જગ્યા હશે. તેમજ ફૂડકોર્ટ, પુસ્તક અને ગિફ્ટની દુકાનો હશે.

ભારતીય શિલ્પકારો બનાવશે
આ મંદિરનું નિર્માણ ભારતીય શિલ્પકાર કરી રહ્યા છે. 2020 સુધીમાં તે પૂરું થશે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પ્રવક્તાએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનનાર આ પહેલું હિન્દુ મંદિર હશે. ટ્રસ્ટના એક સભ્યે કહ્યું કે આ દિલ્હીમાં બનનાર બીએપીએસ મંદિર અને ન્યૂજર્સીમાં બની રહેલા મંદિરની પ્રતિકૃતિ હશે.


આ મંદિરની સંરચના, નિર્માણ અને મેનેજમેન્ટ કરનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રવકતા એ કહ્યું કે મંદિરમાં ઉપયોગ થનાર પથ્થરો પર નક્શીકામ ભારતમાં શિલ્પકાર દ્વારા કરાશે અને ત્યારબાદ તેને યુએઇમાં લાવી મંદિરને તૈયાર કરાશે. યુએઇ અને ભારત સરકાર દ્વારા આ મંદિરના નિર્માણને લઇ તેના મેનેજમેન્ટ સુધીનું કામ કરવા પર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પોતાને સમ્માનિત અને કૃતજ્ઞ મહેસૂસ કરી રહ્યું છે.



સ્માર્ટ સિટી રેન્કમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ, અમદાવાદ ચોથા ક્રમે

ગુજરાતની જનતા માટે રાષ્ટ્રીય સ્તરેથી સારા સમાચાર મળી રહ્યા છે.  કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર મંત્રાલય દ્વારા દેશભરમાંથી સ્માર્ટ સિટીની યાદી જાહેર કરવામાં આવી છે.
આ યાદીમાં રાજ્યના ત્રણ શહેરોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં મહારાષ્ટ્રનું નાગપુર પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે બીજા ક્રમે મધ્યપ્રદેશના ભોપાલ અને ત્રીજો ક્રમ રાંચીને અપાયો છે.  
આ યાદીમાં ગુજરાતનું અમદાવાદ ચોથા ક્રમે, સુરત પાંચમા ક્રમે અને વડોદરાનો છઠ્ઠા ક્રમે સમાવેશ કરાયો છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે અમદાવાદને 265.35, સુરતને 226.37 અને વડોદરાને 223.58 પોઇન્ટ મળ્યા છે.