ગુરુવાર, 6 જુલાઈ, 2017

ભારતની TERI વિશ્વની આબોહવા વિચારના ટેન્કોમાં બીજા સ્થાને છે...



ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ક્લાયમેટ ગવર્નન્સ (ICCG) દ્વારા નવી દિલ્હી સ્થિત ધ એનર્જી રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) વિશ્વની શ્રેષ્ઠ આબોહવા વિચારધારામાં બીજા ક્રમે હતી. 

ગ્રીસના એથેન્સમાં યુરોપિયન એસોસિએશન ઑફ એનવાયર્નમેન્ટલ એન્ડ રિસોર્સ ઇકોનોમિસ્ટ્સ (ઈએઈઆરઈઇ) ના 23 મી વાર્ષિક કોન્ફરન્સમાં TERI ને '2016 ની ટોચની દુનિયાના વિશિષ્ટ વૈશ્વિક રેંકિંગ્સના ટોચના ક્લાઇમેટ થિંક ટેન્ક્સ' કેટેગરીની નીચે બીજો ક્રમાંક આપવામાં આવ્યો હતો.

ગ્રીસના એથેન્સમાં યુરોપિયન એસોસિએશન ઑફ એનવાયર્નમેન્ટલ એન્ડ રિસોર્સ ઇકોનોમિસ્ટ્સ (ઈએઈઆરઈઇ) ના 23 મી વાર્ષિક કોન્ફરન્સમાં TERI ને '2016 ની ટોચની દુનિયાના વિશિષ્ટ વૈશ્વિક રેંકિંગ્સના ટોચના ક્લાઇમેટ થિંક ટેન્ક્સ' કેટેગરીની નીચે બિજો ક્રમાંક આપવામાં આવ્યો હતો. આઈસીસીજી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા છે, જેની પ્રવૃત્તિઓ આબોહવા નીતિ અને સંબંધિત શાસન મુદ્દાઓના ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે રેન્કિંગ એ આબોહવા પરિવર્તનના ક્ષેત્રે કામ કરતા વિચાર ટાંકીઓ દ્વારા કરવામાં આવેલા કામના સ્કેલ અને તીવ્રતાને હાંસલ કરવામાં મદદ કરે છે.

ટેરી (TERI)

બિન-નફાકારક સંશોધન, નીતિ સંશોધન સંસ્થા છે જે ઊર્જા, પર્યાવરણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રોમાં સંશોધન કાર્ય કરે છે. તે 1 9 74 માં ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને 2003 માં એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટનું નામ બદલવામાં આવ્યું હતું. 

તેનો અર્થ એ છે કે જટિલ મુદ્દાઓ માટે વૈશ્વિક સોલ્યુશન્સને આકાર આપવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે વ્યૂહરચનાઓ ઘડવા પર ધ્યાન કેન્દ્રીત કરવું. તેનું મુખ્ય ધ્યાન સ્વચ્છ ઉર્જા, પાણી વ્યવસ્થાપન, પ્રદૂષણ સંચાલન, ટકાઉ કૃષિ અને આબોહવા સ્થિતિસ્થાપકતાના પ્રોત્સાહનમાં છે.
ઇન્ડો-થાઈ સંયુક્ત લશ્કરી કાર્યવાહી મેત્રી 2017 હિમાચલ પ્રદેશમાં શરૂ થઇ...




ભારતીય લશ્કર અને રોયલ થાઇલેન્ડ આર્મી વચ્ચેની સંયુક્ત લશ્કરી પ્રશિક્ષણ કવાયત "મેઇટ્રી(Maitree) 2017" હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના બકલોમાં શરૂ થઈ હતી. 14 દિવસ લાંબા કવાયતનો ઉદ્દેશ બે સેના વચ્ચેની કુશળતા અને અનુભવોનું આપલે કરતી નજીકના સંબંધોનું નિર્માણ અને પ્રોત્સાહન આપવાનું છે.

“મેત્રી શ્રેણી”  એ ભારત અને થાઈલૅન્ડ વચ્ચેની  દ્વિપક્ષીય તાલિમ ,મુખ્ય સંરક્ષણ માટેના સહકારની પહેલ પૈકીનો એક છે. તે વાર્ષિક ઇવેન્ટ છે. આ તાલિમની અગાઉની આવૃત્તિ 2016 માં થાઇલેન્ડમાં કરબીમાં યોજાઇ હતી.
સંજય કુમાર નવી એનડીઆરએફના વડા તરીકે નિમણૂક...



વરિષ્ઠ આઇપીએસ અધિકારી સંજયકુમારને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે આર કે પંચનંદને સફળ થશે, જેમને ઈન્ડિ-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ડીજી તરીકેનો હવાલો સંભાળ્યો હતો.


સંજય કુમાર હિમાચલ પ્રદેશ કેડરના 1985-બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે. આ નિમણૂક પહેલાં, તેઓ હિમાચલ પ્રદેશના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) હતા.

એન.ડિ.આર.એફ(NDRF)

એ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 હેઠળ સ્થાપવામાં આવેલ છે. તે 2006 માં સ્થપાયું હતું અને તેનું મુખ્યમથક નવી દિલ્હીમાં છે. તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે.

કોઈ પણ આપત્તિ (કુદરતી અથવા માનવસર્જિત), અકસ્માત અથવા કટોકટીની ઘટનામાં સ્વતંત્ર આપત્તિ પ્રતિભાવ, રાહત, બચાવ કામગીરી અને લડાયક ભૂમિકાઓને સ્વતંત્ર રીતે હાથ ધરવા ફરજિયાત છે. તે સ્થાનિક અધિકારીઓને જીવન અને મિલકતને બચાવવા માટે ઝડપી રેસ્ક્યૂ અને રિસ્પોન્સ ઓપરેશન શરૂ કરવામાં સહાય કરે છે. દેશના વિવિધ રાજ્યોમાં 13,000 જેટલા કર્મચારીઓની તાકાત સાથે 12 બટાલિયનોની સહાય કરવામાં આવે છે.

ભારત-ઇઝરાયેલ બન્ને દેશ વચ્ચે કૃષી, પાણી સંગ્રહ, અવકાશ સહીતના ક્ષેત્રે ૭ કરાર




વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇઝરાયેલની ત્રણ દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે બુધવારે ૭ કરારો થયા છે. જે કરારો થયા તે અંતરીક્ષ, કૃષી, પાણીના સંગ્રહ સાથે પણ સંકળાયેલા છે. એક એમઓયુ ૪ કરોડ ડોલરના ઇન્ડિયા-ઇઝરાયેલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટેક્નીકલ ઇનોવેશન ફંડ સાથે સંકળાયેલો છે.

પાણીના સંગ્રહને લઇને બે કરારો થયા છે. જ્યારે કૃષી ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે ત્રણ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ સુધી ઇન્ડિયા-ઇઝરાયેલ ડેવલપમેન્ટ કોઓપરેશનની સ્થાપના કરવામા આવી છે. આ માટે બે કરારો થયા છે. દરમિયાન બીજા દિવસે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના ખાતમા પર વધુ જોર આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ભારતની જેમ જ ઇઝરાયેલ માટે પણ આતંકવાદ સૌથી મોટો ખતરો છે.

મોદીએ જણાવ્યું હતું કે આઇ ફોર આઇ એટલે ઇન્ડિયા ફોર ઇઝરાયેલ, ઇઝરાયેલ ફોર ઇન્ડિયા. મોદીએ બન્ને દેશો વચ્ચેની મીત્રતા પર  ધ્યાન આપ્યું હતું. આ ઉપરાંત બન્ને દેશોએ કોમ્પ્રેહેન્સિવ કન્વેંશન ઓન ઇંટરનેશનલ ટેરરિઝમ(સીસીઆઇટી)ને તુરંત અપનાવવાના સહિયોગ પર પણ જોર આપ્યું હતું. આ ઉપરાંત જે સાત કરારો થયા તેમાં ઇસરો અને ઇઝરાયેલની વચ્ચે પણ પરમાણુ ક્લોક માટે પણ એક કરાર થયો છે. આ સાત એમઓયુમાં સૌથી મહત્વપૂર્ણ એમઓયુ કૃષીના વિકાસ માટે અને જળ સંગ્રહ સાથે સંકળાયેલા છે.


મોદી અને નેતનયાહુના સંયુક્ત નિવેદનના મુખ્ય અંશો -બન્ને દેશો આતંકનો ભોગ બનેલા છે, હુમલા કરનારા કોઇ પણ સંગઠનને બક્ષવામાં આવશે નહીં -ભારત અને ઇઝરાયેલ સંયુક્ત રીતે મળીને કૃષી અને અન્ય ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વમાં બદલાવ લાવી રહ્યા છે -ભારત અને ઇઝરાયેલ ઇતિહાસ બનાવી રહ્યા છે અને આગળ આ દસ્તી વધુ મજબુત થશે -આશા છે કે એશિયામાં શાંતી, ભાઇચારો અને દેશો વચ્ચેની વાતચીત થતી રહેશે -મોદીએ કહ્યું ઇઝરાયેલના પ્રમુખે પ્રોટોકોલ તોડીને મારુ ઉષ્માભર્યું સ્વાગત કર્યું, આ સમગ્ર ભારતનું સમ્માન છે.

ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા સાત એમઓયુ….

૧.    ૪ કરોડ ડોલરના એમઓયુ ઇન્ડિયા-ઇઝરાયેલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટેક્નીકલ ઇનોવેશન ફંડ સાથે સંકળાયેલા છે.

૨.    ભારતમાં જળ સંગ્રહ માટે ઇઝરાયેલની સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યો.

૩.    ભારતના રાજ્યોમાં પાણીની જરૃરીયાતો પુરી કરવા માટે પણ એમઓયુ થયા.

૪.   ભારત-ઇઝરાયેલ ડેવપમેન્ટ કોર્પોરેશન-કૃષિ માટે ત્રણ વર્ષ (૨૦૧૮-૨૦૨૦)ના કાર્યક્રમની પણ જાહેરાત કરાઇ. 

૫.    ઇસરો અને ઇઝરાયેલની વચ્ચે પરમાણુ ક્લોક માટેના સહિયોગની યોજવા માટે એમઓયુ સાઇન થયા.

૬.    જીઇઓ-એલઇઓ ઓપ્ટિકલ લિંક માટે એમઓયુ સાઇન થયા.


૭.  નાના સેટેલાઇટને વિજળી માટે એમઓયુ કરાયા છે.



૨૬-૧૧ના હુમલામાં બચી ગયેલા યહુદી બાળકમોશે ને મોદી મળ્યા



૨૬-૧૧ના મુંબઈ આતંકી હુમલા વખતે બચી ગયેલા યહુદી બાળક મોશે હોલ્ત્ઝબર્ગને આજે વડા પ્રધાન મોદી મળ્યા હતા. એ વખતે મોશેએ વડા પ્રધાનને કહ્યું હતુ, ડીઅર મિસ્ટર મોદી, આઈ લવ યુ. ૨૬-૧૧ના હુમલા વખતે મોશે અને તેના માતા-પિતા ભારતમાં હતા. મોશે ત્યારે હજુ ૨ વર્ષનો પણ થયો ન હતો. એ વખતે હુમલામાં તેના માતા-પિતાનું મોત થયુ હતુ. એ પછી મોશેને ઈઝરાયેલ લઈ જવાયો હતો.


વડા પ્રધાને મોશેને મળીને તેના ખબર અંતર પૂછ્યા હતા. સાથે સાથે મોશેને વારંવાર ભારત આવવામાં સરળતા રહે એટલા માટે લાંબા ગાળાના વિઝા આપવાનું વચન આપ્યુ હતુ. હવે ૧૧ વર્ષના થયેલા મોશેએ કહ્યુુ હતુ કે મને પણ હવે ભારત આવવાની ઈચ્છા છે. ૨૦૦૮ના આતંકી હુમલા વખતે મોશે સહિત અનેક યહુદીઓ મુંબઈના નરીમાન પોઈન્ટ પાસે આવેલા છાબાડ હાઉસમાં હતા. ત્યાં આતંકીઓએ હુમલો કરીને અનેક યહુદીઓના જીવ લીધા હતા. મોશે હાલ તેના દાદા સાથે રહીને મોટો થઈ રહ્યો છે.


ડો. દોલતસિંહ કોઠારી : સૂર્ય-ચંદ્ર અને તારામંડળની ગતિ અંગે સંશોધન કરનારા વિજ્ઞાની...





અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વમાં ભારતની નોંધ કરાવનારા વિજ્ઞાની એટલે ડો. દોલતસિંહ કોઠારી. તેઓએ તારામંડળ, સૂર્ય-ચંદ્રની ગતિ અને પરમાણુઓના સંદર્ભમાં સંશોધન કર્યું હતું. ડો. દોલતસિંહ કોઠારીનો આજે જન્મદિવસ છે ત્યારે ભારતના આ અગ્રણી વિજ્ઞાની વિશેની થોડી માહિતી.

 * ડો. દોલતસિંહ કોઠારીનો જન્મ રાજસ્થાનના ઉદયપુરમાં ૭ જુલાઈ, ૧૯૦૬માં થયો હતો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અલાહાબાદમાં મેળવ્યું હતું.

* તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ડોક્ટરેટ કર્યા પછી તેઓ સંશોધનકાર્યમાં જોડાઈ ગયા હતા.

* તેમણે 'દબાણ આયનીકરણ'નો સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંત મુજબ તેમણે એવુ સાબિત કર્યું હતું કે કોઈ પણ તત્ત્વને દબાણ કે ગરમી આપ્યા વગર પણ એના પરમાણુનું વિભાજન કરી શકાય છે.  ભારત સરકારે ૧૯૪૮માં તેમને પ્રતિરક્ષા વિજ્ઞાન સંગઠનના ડિરેક્ટર તરીકે નિમ્યા હતા. તેમણે આશરે દોઢેક દશકા સુધી આ પદ શોભાવ્યું હતું.

* તેઓ પ્રાદેશિક ભાષાના પુરસ્કર્તા હતા. તેઓ માનતા કે ભારતે સંશોધનને લગતાં પુસ્તકો સરળ હિન્દી ભાષામાં ઉપલબ્ધ બનાવવાં જોઈએ. જેથી વધુમાં વધુ લોકો એને સમજી શકે અને વિચારી શકે.

* તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાં આશરે ૨૨ વર્ષ સુધી કામગીરી કરી હતી. તે દરમિયાન ભૌતિક વિજ્ઞાનનાં સંશોધનો પાછળ તેમણે મહામૂલું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના ચેરમેન પણ રહ્યા હતા.

* તેઓ ૧૯૭૩માં ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત તેઓ દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા હતા.


* ૪ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ તેમનું નિધન થયું ત્યાં સુધી તેઓ સંશોધનક્ષેત્રે કાર્યરત રહ્યા હતા. ભારત સરકારે ૧૯૭૩માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.