શુક્રવાર, 6 એપ્રિલ, 2018


દાંડીમાં ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યાને આજે 88 વર્ષ થશે પૂર્ણ



Image result for gandhiji at dandi

- મીઠાની વેચાણ કિંમત પર લદાયો હતો 2400 ટકા વેરો

- અંગ્રેજ સરકારે મીઠાવાળી જગ્યાએ કાદવ મીઠુ એક કરી દીધુ હતું


પરંતુ એક સ્થાનિક કાર્યકર મીઠા પર પાંદડા રાખીને ઢાંકી રાખેલુ મીઠુ બતાવ્યું તેમાંથી ગાંધીજીએ ચપટી મીઠુ ઉપાડયું હતું.



મીઠાની વેચાણ કિંમત પર ૨૪૦૦ ટકા વેરો લદાઈ જતા ગાંધીજીએ દાંડીયાત્રા યોજી હતી. અને ૬ એપ્રિલ ૧૯૩૦ના દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. તેને ૬ એપ્રિલના ૮૮ વર્ષ પૂર્ણ થાય છે. અંગ્રેજ સરકારે મીઠાવાળી જગ્યાએ કાદવ મીઠુ એક કરી દીધુ હતું. જેથી ગાંધીજી મીઠુ ઉપાડી ન શક્યાં પરંતુ એક કાર્યકરે પાંદડાથી ઢાંકેલુ મીઠુ માથે ચપટી ભરી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.


અંગ્રેજ શાસન દરમ્યાન રોજીંદી જરૃરિયાત એવા મીઠા પર અસહ્ય વેરો લદાયો હતો. સરકારી પ્રકાશન મુજબ ૧ બંગાળી મણ મીઠાનો ભાવ ૧૦ પાઈનો પડતો અને તેના પર ૨૦ આના ૨૪૦ પાઈ વેરો લદાયો હતો. એટલે વેંચાણ કિંમત પર ૨૪૦૦ ટકા વેરો થયો હતો. તે સમયે ભારતની માથાદીઠ  આવક એક આનો સાત પાઈ હતી.

૧૯૨૫-૨૬ના વર્ષમાં સરકારી વાર્ષિક આવકના ૧૯.૭ ટકા આવક મીઠાના કરમાંથી થઈ હતી. ગરીબ તવંગર સહિત દેશના તમામ લોકોને સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ નમક સત્યાગ્રહ કરવા એલાન કર્યું અને ૧૨ માર્ચ ૧૯૩૦ના ૭૮ સૈનિકો સાથે દાંડી યાત્રા શરૃ કરી હતી. જેમાં ૧૬ થી ૬૧ વર્ષની વયના સૈનિકો હતા.

તે સમયે ગાંધીજીની વય ૬૧ વર્ષ હતી અને તેઓ સૌથી મોટી વયના સૈનિક હતા. ૨૪ દિવસમાં ૨૪૧ માઈલનું અંતર કાપી ૫ એપ્રિલ ૧૯૩૦ના આ યાત્રા દાંડી પહોંચી હતી. જ્યાં વહેલી સવારે ગાંધીજી સહિતના સૈનિકોે સમુહસ્નાન કર્યું હતું. અંગ્રેજ શાસકોએ મીઠાવાળી જગ્યાએ કાદવ તથા મીઠુ એક કરી દીધા હતા. પરંતુ એક સ્થાનિક કાર્યકરે મીઠા પર પાંદડા રાખી ઢાંકી દીધુ હતું. તે બતાવતા ગાંધીજીએ તેમાંથી ચપટી ભરી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

અને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજ્યની ઈમારતના આ પાયામાં હું આથી લુણો લગાવું છું. એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. દાંડી યાત્રા વિશે અભ્યાસ કરનાર જૂનાગઢના અરૃણ ચૌહાણ અને નરસિંહ ભાઈ ખેરે જણાવ્યું હતું કે, ગાંધીજી સોમવારે મૌન પાળતા હતા. દાંડીયાત્રા દરમ્યાન ત્રણ સોમવાર આવ્યા હતા. આ ત્રણ સોમવારને બાદ કરતા ૨૪ દિવસમાં સરેરાશ ૧૦.૫ માઈલની યાત્રા થઈ હતી.



કોમનવેલ્થઃ વેટલિફ્ટર ગુરુરાજા પુજારીએ મેળવ્યો સિલ્વર મેડલ



- ભારતે પહેલા જ દિવસે નોંધાવી સફળતા

કોમનવેલ્થમાં ભારતના વેટલિફ્ટર ગુરુરાજા પુજારીએ સિલ્વર મેડલ મેળવી સફળતાની શરૂાત કરી દીધી છે.

વેટલિફ્ટર ગુરુરાજા પુજારીને ગુરુવારે 56 કિલો (મેન્સ) કેટેગરીમાં સિલ્વર મેડલ મળ્યો છે. મલેશિયાના મોહમ્મદ એએચ ઈઝહાર અહમદને ગોલ્ડ મેડલ મળ્યો છે.

શ્રીલંકાના ચતુરંગાને કાંસ્ય અવોર્ડ મળ્યો છે. નોંધીય છે કે, ગુરુરાજ કર્ણાટકનો રહેવાસી છે અને તેના પિતા ટ્રક ચલાવે છે. આર્થિક રીતે નબળાં હોવા છતા તેના પરિવારે તેને દરેક વસ્તુ અપાવી છે જેથી તે સારી રીતે રમી શકે.

ખરા પર્યાવરણ રક્ષક : વૃક્ષો બચાવવા સાડા ત્રણસો બિશ્રોઇએ જીવ આપ્યો હતો

Related image
જે લોકો સદીઓથી જગલમા રહે છે, એ જંગલી પ્રાણીઓને ક્યારેય નડતા નથી કે વન્યજીવોને નુકસાન કરતા નથી. એ પછી ગીરના માલધારી હોયકે રાજસ્થાનનો બશ્રોઇ સમુદાય. સલમાન ખાનને જેલની સજા થઈ તેની પાછળ આ સમુદાયની મક્કમતા રહેલી છેRelated image

બિશ્રોઈ લોકો કાળિપાર હરણ સહિતના પ્રાણીઓ સાથે તાદાત્મ્ય ધરાવે છે. બિશ્રોઈ મહિલાઓ હરણનાં બચ્ચાંનો ઉછેર પોતાના બાળકની જેમ કરે અને સ્તનપાન પણ કરાવે છે. 

Image result for bishnois of rajasthan

બિશ્રોઈ ૫૦૦ વર્ષ નો પંથ છે અને તેના દસેક લાખથી વધુ અનુયાયીઓ છે. ૧૫મી સદીમાં ગુરૂ જામ્બેશ્વરે આ સંપ્રદાયની સ્થાપના કરી હતી અને બિશ્રોઈ સમાજ તેમને ભગવાન માને છે. જામ્બેશ્વરે રચેલા ૨૯ સદ્ધાંતોનું આ સમુદાય પાલન કરે છે. પૃથ્વી પરના આ ખરા પયાવરણ સંરક્ષકો છે કેમ કે, તેઓ કુદરતની દરેક રચનાને માન આપે છે અને તેમનુ રક્ષણ કરવા પોતાનો જીવ આપે છે. ભારતમાં ચિપકો આદોલન જાણીતું છે. વૃક્ષ ન કપાય એ માટે લોકો વૃક્ષ સાથે ચીપકીને ઉભા રહ્યા હતા. ત્યારે ખજેરલી નામના ગામે અમૃતા દેવી નામની યુવતિએ વૃક્ષને બાથ ભીડીને વિરોધ કર્યો હતો. હતો.સૈનિકો વૃક્ષો કાપવા મક્ક્મ હતા, જ્યારે બિશ્રોઈ વૃક્ષો બચાવવા મક્ક્મ હતા. સૈનિકોની કુહાડી ચાલી અને સાડા ત્રણસોથી વધુ બિશ્રોઈના જીવ ગયા હતા. એ પછી રાજાને જાણ થતા હત્યાકાંડ અટકાવાયો હતો. હતો.

વૃક્ષ, નીલગાય કે કાળિયાર સહિત તમામ જીવોના રક્ષણને બિશ્રોઈ પોતાની ફરજ માને છે. કોઇ બિશ્રોઈના ખેતરમાં હરણ આવી ચડે તો તેમને અટકાવતા નથી. ઊલટાના શાંતિથી ચારો ચરી શકે તેવી સગવડ કરી આપવમાં આવે છે. 

ઘણા બિશ્રોઈ મંદિર સાથે ગૌશાળની જેમજ પ્રાણી શાળા જોવા મળે છે.જેમાં હરણ, નીલગાય વગેરેનો ઉછેર કરવામાં આવે છે. બિશ્રોઈ પ્રજાતિ મૂર્તિપૂજામાં માનતી નથી. તેમના મંદિરોમાં કોઇ મૂર્તિ હોતી નથી. પ્રકૃતિ જ તેમના માટે ઇશ્વર છે. રાજસ્થાનમાં તેમની વસ્તિ સૌથી વધારે છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ આ સમુદાય વહેંચાયેલો છે. રાજસ્થાનમાં રહેતો બિશ્રોઈ સમાજ થરના રણમાં સરળતાથી જીવી શકે છે.



ગુણોત્સવ  - ૮

Image result for gunotsav 8

ગુણોત્સવ  -
  • -  શિક્ષણનો અધિકાર (સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે, સૌ આગળ વધે)
  • -     ગુણોત્સવ એટલે ગુણવત્તા સંવર્ધન માટેનું મુલ્યાંકન



ગુજરાત સરકાર સંચાલિત ૩૨,૪૦૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં ૧થી ૮ ધોરણમાં ભણતા ૫૪ લાખથી વધુ બાળકોની લેખન-વાંચન- ગણન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે શુક્રવારથી બે દિવસીય ગુણોત્સવ કાર્યક્રમ શરૃ થશે. આ ૮મા ગુણોત્સવમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ, સનદી અધિકારીઓથી માંડીને વર્ગ-૧ સુધીના અધિકારીઓ મળીને આશરે ૩ હજાર જેટલા મહાનુભાવો તેમને ફાળવાયેલી શાળાઓમાં શુક્રવાર- શનિવારે જઈ મૂલ્યાંકન કરશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી શુક્રવારે પંચમહાલ તાલુકાના ગોવિંદી ગામની સરકારી શાળામાં જશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા જિલ્લાની શાળામાં જશે.

શૈક્ષણિક સુધારણા માટેની સૌથી મોટી ગુણવત્તા સંવર્ધન માટેનું મૂલ્યાંકન.

  • ·         A અને A+ શાળાઓને પ્રોત્સાહક પુરસ્કાર.

  • ·         નેશનલ એચિવમેંટ સર્વે (NAS)માં ૧૦% ની ગુણવત્તયુક્ત સિદ્ધિની પ્રાપ્તિ.

  • ·         જ્ઞાનકુંજ દ્વારા અધ્યયન પ્રક્રિયામાં સુધાર.

  • ·         વર્ષ ૨૦૦૯ ની ૫ A+ શાળાઓમાં વર્ષ ૨૦૧૭ માં ૨૧૧૪ શાળાનો વધારો.

  • ·         NCERT મુજબ અભ્યાસક્ર્મની રચના.

  • ·         પ્રત્યેક બાળકનું સાતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન.

  • ·         પ્રારંભિક ધોરણો પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ.
છેલ્લા ૭-૮ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં ભણતરની ગુણવત્તા સુધારવા માટે યોજાતા આ કાર્યક્રમથી ખાસ કોઈ ફેર નહીં પડયો હોવાના ખાનગી સરવે રિપોર્ટ્સ છે, અલબત્ત શિક્ષણ વિભાગ એવો દાવો કરે છે કે, ગુણોત્સવ-૧ વખતે A+ ગ્રેડ વાળી શાળાઓ ૫ અને A ગ્રેડ ધરાવતી શાળાઓ ૨૬૫ હતી, જ્યારે ગુણોત્સવ-૭ના પરિણામ પછી A+ ગ્રેડ વાળી શાળાઓ ૨,૧૧૭ અને A+ ગ્રેડ વાળી શાળાઓ ૧૭,૬૫૩ થઈ છે.

આવી જ રીતે B ગ્રેડની શાળાઓ ૩,૮૨૩થી વધીને ૧૨,૫૫૬ થઈ છે, જ્યારે C ગ્રેડની શાળાઓ ૧૨,૮૮૭થી થઈ ઘટીને ૧,૬૧૩ તથા D ગ્રેડવાળી શાળાઓ ૧૪,૮૫૨થી ઘટીને ૩૦૦ થઈ છે. સરકારના આ દાવા સામે વિદ્યાર્થીઓમાં લેખન, વાંચન, ગણન ક્ષમતા ઘણી નબળી હોવાનું ખાનગી સરવે રિપોર્ટ્માં બહાર આવેલું છે, જેની અહીં નોંધ કરવી ઘટે.


કોમનવેલ્થમાં ભારતનો પ્રથમ ગોલ્ડ : મીરાબાઈ ચાનુની રેકોર્ડ સિદ્ધિ


- વેઈટલિફ્ટિંગ : ચાનુએ ક્લિન એન્ડ જર્કમાં પોતાના વજન કરતાં ડબલ વજન ઊંચકીને ઈતિહાસ રચ્યો : કુલ ૧૯૬ કિગ્રાનો નવો કોમનવેલ્થ રેકોર્ડ : ગુરૃરાજા પુજારીને સિલ્વર

- ભારતને પહેલા જ દિવસે બે મેડલ : મહિલા હોકી ટીમ હારી
વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુ અને ગુરૃરાજા પુજારીએ કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા જ દિવસે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ભારતને ધમાકેદાર પ્રારંભ અપાવ્યો હતો. ૨૩ વર્ષીય મીરાબાઈ ચાનુએ પોતાના વજન કરતાં ક્લિન એન્ડ જર્ક કેટેગરીમાં ડબલ કરતાંય વધુ વજન ઉંચકવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી. માત્ર ૪૮ કિગ્રા વજન ધરાવતી ચાનુએ ક્લિન એન્ડ જર્કમાં ૧૧૦ કિગ્રા વજન ઉંચકીને ખળભળાટ મચાવ્યો હતો. તેણે માત્ર  છ મિનિટમાં છ પ્રયાસોમાં છ નવા કોમનવેલ્થ રેકોર્ડ સર્જતાં કુલ ૧૯૬ કિગ્રા વજન ઉંચકીને નવા કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ સાથે ભારતને ગેમ્સનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ સાથે પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ પણ કર્યો હતો. ગત વર્ષે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં  ચાનુએ સ્નેચમાં ૮૫ કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં ૧૦૯ કિગ્રા વજન ઉંચકવાની સાથે કુલ ૧૯૪ કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો