ગુરુવાર, 18 જાન્યુઆરી, 2018

પ્રાંતિજના વદરાડના ફાર્મની ભારત, ઇઝરાયલના વડાપ્રધાનોએ મુલાકાત લીધી



-ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા

-કૃષિકાંતિ માટે આહ્વાહન કરાયું, ખેડૂતો સાથે બંને વડાપ્રધાનોએ સંવાદ કર્યો

ઇઝરાયલના વડાપ્રધાનની ભારત મુલાકાત અંતર્ગત ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે ઇન્ડો-ઇઝરાઇલ ફાર્મની મુલાકાત લીધી હતી. કૃષિ ટેકનોલોજી મામલે બંને વડાપ્રધાનોએ ખેડૂતો સાથે વિસ્તારપૂર્વક સંવાદ પણ કર્યો હતો. વડાપ્રધાનોને જોવાતેમને સાંભળવા અને આવકારવા મોટી સંખ્યામાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ ખાતેની ભારત-ઇઝરાયલના વડાપ્રધાનની મુલાકાત યાદગાર બની રહી હતી. વર્ષ ૨૦૨૨માં આઝાદીના ૭૫માં વર્ષે ખેડૂતોની આવક બમણી કરવાના રાષ્ટ્રના સંકલ્પને સિદ્ધી સુધી પહોંચાડવામાં ઇઝરાયલની કૃષિ ટેકનોલોજી સહાયરૃપ બની રહેશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

ઓછા પાણીના વપરાશમાં ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનકૃષિ વેસ્ટ મેનેજમેન્ટમાં વૈજ્ઞાાનિક અભિગમ સાથે આધુનિક કૃષિ માટે આગળ વધવાનું પણ તેઓએ આહ્વાહન કર્યું હતું . કચ્છના કુકમા ખાતે ખારેક પાકના સેન્ટર ઓફ એક્સેલન્સનું ડીજીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પ્લગ નર્સરીની પણ મુલાકાત લીધી હતી


ચેન્નાઇના દરિયા કિનારે ભારત અને જાપાનના કોસ્ટ ગાર્ડેની સંયુક્ત નૌકા કવાયત
- ભારતીય કોસ્ટ ગાર્ડના નવ જહાજ અને આઠ વિમાનોએ દ્વીવાર્ષિક કવાયતમાં ભાગ લીધો
૧૭ દેશોના નિરિક્ષકો, જાપાન કોસ્ટ ગાર્ડનું પ્રતિનીધી મંડળ અને નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડના સભ્યો હાજર રહ્યા


ભારતીય કોસ્ટ ગાર્ડ અને તેના જાપાની સમકક્ષના જહાજો અને વિમાનો એ ચેન્નાઇના દરિયા કિનારે યોજાયેલી સંયુક્ત નૌકા કવાયતમાં ભાગ લીધો હતો.દ્વી વાર્ષિક સર્ચ એન્ડ રેસ્ક્યુ એકસરસાઇઝ ૨૦૧૮માં ભારતીય કોસ્ટ ગાર્ડના નવ જહાજ અને વિમાનો તેમજ જાપાની કોસ્ટ ગાર્ડના જહાજ 'સુગુરૃ' અને હેલો (જહાજના ડેક પરના હેલિપેડ) સાથે ભાગ લીધો હતો.

બંગાળના આખાતમાં યોજાયેલી કવાયતમાં ભારતીય કોસ્ટ ગાર્ડના આઇસીજી સારંગ, શૌર્ય, વૈભવ, અનંઘ,રાની અબ્બાકા, અભીક. સી-૪૩૧. સી-૪૩૨ અને ત્રણ ડોનિયેર તેમજ ચેતક હેલીકોપ્ટરે ભાગ લીધો હતો.

કવાયત જોવા માટે આઇસીજીના ડાયરેકટર જનરલ રાજેન્દ્ર સિંહ અને જાપાનના સીજી કમાન્ડન્ટ એડમિરલ સાતોશી નકાજિના આવ્યા હતા. કવાયતનું નિરિક્ષણ કોસ્ટ ગાર્ડ ઇસ્ટર્ન રીજન, કમાન્ડર અને ઇન્સપેકટર જનરલ રાજન બરગોત્રાએ  કર્યું હતું. કવાયતને જોવા માટે ૧૭ દેશોના નિરિક્ષકો, જાપાન કોસ્ટ ગાર્ડનું પ્રતિનીધી મંડળ અને નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડૃના સભ્યો પણ હાજર રહ્યા હતા. કવાયતમાં ક્રુઝના અપહરણ અને બન્ને દેશોના દળો મુસાફરોની બચાવ કામગીરી સહિતના અનેરા દ્રશ્યો સર્જાયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર જાપાની જહાજ પર અને જાપાની કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ભારતીય જહાજ પર ઉતર્યું હતું. કવાયતમાં ક્રોસ બોર્ડીંગ તેમજ આગની ઘટનામાં કેવી રીતે કામ કરવું તે પણ દર્શાવવામાં આવ્યું હતું. કવાયતના અંતે વિમાનની નજીકની વિમાનને ઉડાડવા અને જહાજ પાસેથી જહાજને પાસ કરવાની કવાયત પણ કરવામાં આવી હતી. કવાયતમાં ૧૯૯૯માં બનેલી એક ઘટનાને પણ દર્શાવવામાં આવી હતી જેમાં જાપાની ફલેગશિપ એમવી એલોન્દ્રા રેનબોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ઓડિશા સરકારે મુખ્યમંત્રી કલાકાર સહાય યોજના શરૂ કરી


Odisha CM - Naveen Patnaik

રાજ્યના સાહિત્ય અને સાંસ્કૃતિક કલાકારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઓડિાની સરકારે મુખ્યમંત્રિ કલાકાર સહાય યોજના (MMKSY- Mukshyamantri Kalakar Sahayata Yojana) શરૂ કરી છે. તે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા શરૂ કરવામાં આવી હતી.

વિશેષતા

આ યોજના મુખ્યત્વે રાજ્યના સાહિત્ય અને સાંસ્કૃતિક કલાકારોના કલ્યાણ માટે છે. તે રૂ. માસિક નાણાકીય સહાય પૂરી પાડશે.રાજ્ય સરકારે પાત્રતાના માપદંડમાં ઉંમર ઘટાડી દીધી છે, જેની હેઠળ ફક્ત 4000 કલાકારોને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવ્યા છે.

આ યોજના તમામ જિલ્લાઓના કલાકારોની ઓળખને સરળ બનાવશે. આ સમગ્ર રાજ્યમાં આશરે 50000 કલાકારોને ફાયદો થશે. નવા પાત્રતાના માપદંડ અનુસાર, પુરુષ કલાકાર 50 વર્ષની ઉંમર (તે પહેલાં 60 વર્ષની હતી) અને 40 વર્ષથી ઓછી વયના મહિલા કલાકારને તે મેળવી શકે છે (અગાઉ તે 50 વર્ષ હતું) પછી સહાય મેળવી શકે છે.

 



વડાપ્રધાને બાડમેર ખાતે રાજસ્થાનની પ્રથમ ઓઇલ રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેર જીલ્લામાં ઓઇલ રિફાઇનરીના પ્રકલ્પની શરૂઆતમાં એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ (HPCL Rajasthan Refinery Ltd -HRRL) નું ઉદઘાટન કર્યું. તે રાજસ્થાનમાં સૌપ્રથમ ઓઇલ રિફાઇનરીની સ્થાપના છે.


આ પ્રોજેક્ટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને રાજસ્થાન સરકાર વચ્ચે સંયુક્ત સાહસ તરીકે હાથ ધરવામાં આવે છે. એચપીસીએલ પાસે આ પ્રોજેક્ટમાં 74 ટકા હિસ્સો છે, જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો 26 ટકા છે.