શુક્રવાર, 20 એપ્રિલ, 2018


સોમનાથ મહાદેવ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ
Image result for somnath mahadev mandir
·        ભારતની અસ્મીતાના પ્રતિક સમાન
·        તે સમયે મહાદેવને વિશ્વની ૧૦૮ નદી અને સમુદ્રના જળનો કરાયો હતો અભિષેક
ભારતના બાર દિવ્ય શિવજ્યોતિર્લિંગમાના પ્રથમ દેવાધિદેવ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો તીથી પ્રમાણે આજે પ્રાણપ્રતિષ્ઠા દિવસ તા. ૧૧મે ૧૯૫૧ અને તે સમયની વૈશાખ સુદ પાંચમના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે સવારે ૯.૪૬ મીનીટે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ દિવસના અનુસંધાને પ્રતિવર્ષ તિથી અને તારીખ મુજબ સોમનાથ મહાદેવ મંદિરે મહાપૂજા, ધ્વજારોહણ, દિપમાળા, વિશેષ શણગાર અને ખાસ અભિષેકથી પ્રતિષ્ઠા દિન ઉજવાય છે. સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ સદીની મહાન ઘટનાઓમાં ગણાય છે. સોમનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા સમયે તે સમયે ભોળાનાથ ભગવાનને વિશ્વની ૧૦૮ નદી સમુદ્રના જળનો અભિષેક કરવામાં આવ્યો હતો.

૧૯૪૭માં ભારત આઝાદ થયું અને ૧૩ નવેમ્બરે કારતક સુદ એકમના સાપરમાં પર્વે ભારતના સપુત વલ્લભભાઇ પટેલે સોમનાથ ખાસ આવ્યા અને તે મંદિરની દુર્દુશા ખંડેર જોઇ તેનું હૃદય દ્રવી ઉઠયું તુરંત જ સોમનાથ સમુદ્ર સ્થળે પહોચી હાથમાં સમુદ્રના જળની અંજલી લઇ સંકલ્પ કર્યો કે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થવું જ જોઇએ.

૧૯ એપ્રિલ ૧૯૫૦ના રોજ તત્કાલીન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઇના હસ્તે જુના ખંડિત મંદિરના સ્થાને ભૂમિ ખનન વિધી કરી અને મંદિરનું નવસર્જન થયું ૮ મે ૧૯૫૦ના રોજ નવાનગરના મહારાજા જામસાહેબ વરદ હસ્તે શિલાન્યાસ થયો અને ૧૯૫૧, ૧૧મી મે વૈસાખ સુદ પાંચમે નવનિર્મિત મંદિરમાં શિવલિંગ પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી.


માત્ર ૮ વર્ષની વયે શંકરાચાર્યજીએ દ્વારકામાં સ્થાપી હતી શારદાપીઠ


  • ·        આજે દ્વારકામાં ઉજવાશે આદિ શંકરાચાર્યની જન્મ જયંતી
  • ·        રાજા સુધન્વાને અપાયેલા તામ્રપત્રમાં શારદાપીઠની સ્થાપનાનો ઉલ્લેખ; એ સમયે દ્વારકાએ પશ્ચિમ ભારતની રાજ

સંસ્કૃતને દેવભાષા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં જીવનમુલ્યો આધારિત વૈદિક શિક્ષણનો ધર્મધ્વજ ફરકારવવાનું કામ સૈકાઓ અગાઉ આદિ શંકરાચાર્યજીએ કર્યું હતું. દ્વારકામાં તેઓએ ૮ વર્ષની ઉંમરે શારદાપીઠની સ્થાપના કરી સંસ્કૃત ભાષાના પ્રશિક્ષણનો પ્રારંભ કર્યો હતો જે કામ આજે પણ સંસ્કૃત પ્રેમી વિદ્વાનો માટે આકર્ષણરૃપ બની રહ્યું છે.

આદિ શંકરાચાર્યજીએ પશ્ચિમ ભારતમાં પોતાની પ્રથમ પીઠ અહીં આઠમી સદીમાં સ્થાપી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તેનું નામ શારદાપીઠ રાખવામાં આવ્યું હતું. પછી થી તેમણે પોતાના શિલ્ય મંડન મિશ્રને સુરેશ્વરાચાર્ય નામ આપી આ પીઠના પ્રથમ શંકરાચાર્ય તરીકે નિમ્યા હતા. દ્વારકાએ સમયે પશ્ચિમ ભારતની રાજધાની ગણાતી હતી. તેથી અહીં જૈન, વૈષ્ણવ, શિવા સુર્ય અને સાકત સંપ્રદાયના મહાન તિર્થ આવેલા હોવાથી આદિ શંકરાચાર્યે અહીં પીઠની સ્થાપના કરી હતી. આદી શંકરાચાર્ય ઉપરાંત રામાનુજાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઇ, નરસિંહ મહેતા જેવા ભકતો કબીર અને ગુરૃનાનક જેવા સંતોએ પણ દ્વારકાનગરીની યાત્રા કરી હતી.

આદિ શંકરાચાર્યની જન્મ જયંતીની તા. ૨૦ એપ્રિલના દ્વારકા ખાતે ઉજવણી થનાર હોવાનું જણાવી દ્વારકાધીશ સંસ્કૃત એકેડમી એન્ડ ઇન્ડોલોનું રીસર્ચ ઇન્સ્ટીટયૂટના પથદર્શક પ્રા. જયપ્રકાશ દ્વિવેદી જણાવે છે કે, આદિ શંકરાચાર્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી. તેનો ઉલ્લેખ તામ્રપત્રમાં જોવા મળે છે. એ સમયના રાજા સુધન્વાને અપાયેલા તામ્રપત્રમાં સનાતન ધર્મન્ત સ્થાપના માટે શારદાપીઠની સ્થાપના કરવામાં આવી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિ.ની સ્થાપના પૂર્વે અહીં સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના થઇ હતી. એ સમયે અમદાવાદની યુનિવર્સિટી સામે જોડાણ હતું. હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંસ્કૃત ભાષાના અભ્યાસ, સંવર્ધન, સંશોધનનું કામ ચાલે છે. આદિ શંકરાચાર્ય દ્વારા રચિત સાહિત્ય જૂદા જૂદા ૨૫૦ જેટલા પુસ્તકોમાં જોવા મળે છે. જેમાં ન બહુ પ્રચલિત નર્મદા અષ્ટક્રમ તેઓએ નર્મદાના કાંઠે રચ્યુ હોવાની સંભાવના છે. આદિ શંકરાચાર્યએ માત્ર ૮ વર્ષની ઉંમરે અહીં આવી શારદાપીઠની જે સ્થાપના કરી વૈદિક ધર્મના પ્રચાર - પ્રસારનું કામ હાથ ધર્યું હતું. તે આજે તેમના ઉત્તરાધિકારી એવા ૭૮માં શંકરાચાર્ય સ્વરૃપાનંદ સરસ્વતીજી દ્વારા દેશભરમાં આગળ વધતું રહ્યું છે.



મિસિસ ઇન્ડિયા પેજન્ટમાં વડોદરાની પરિણીત સુંદરી રનર અપ બની




110 કિલો વજન હતુ અને દ્રઢ નિશ્ચયથી 50 કિલો વજન ઉતાર્યુ.


દિલ્હી ખાતે તાજેતરમાં સંપન્ન થયેલી મિસિસ ઇન્ડિયા ક્વીન ઓફ સબસ્ટન્સ પેજન્ટમાં વડોદરાની પરિણીત સુંદરી મેધા એન્જિનિયર સેકન્ડ રનર્સ અપ બની છે. મેધા મૂળ વડોદરાની જ છે અને ૧૬ વર્ષ યુએસ અને કેનેડામાં રહ્યા બાદ પરત વડોદરા આવી છે.

રોજ નિયમિત એક્સરસાઇઝ અને હળવા ખોરાક દ્વારા મેં મારા વજનમાં ૫૦ કિલોનો ઘટાડો કર્યો
પોતાની આ સિદ્ધી અંગે મેધાએ કહ્યું હતું કે 'બીજી સ્ત્રીઓની જેમ મને મારી ઉમર  બતાવતા શરમ નથી આવતી હું ૪૦ વર્ષની છું અને મે પેજન્ટમાં એટલા માટે ભાગ લીધો કે ભારતીય સ્ત્રીઓ અને ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓને મેસેજ આપવા માગુ છું કે લગ્ન કરીને માતા બન્યા બાદ જીવન પુરૃ થતુ નથી હકિકતે તે પછી બીજી ઇનિંગ શરૃ થાય છે. રોજ એક કલાક એક્સરસાઇઝ કરો અને શુધ્ધ તથા હળવો ખોરાક લેવાથી તમે પણ વિશ્વ સુંદરી બની શકો છો.

બે વર્ષ પહેલા હું કેનેડામાં હતી ત્યારે મારૃ વજન ૧૧૦ કિલો હતું. ત્યાના લોકોની ફિટનેસ પ્રત્યેનો પ્રેમ જોઇને હું પણ પ્રેરાઇ અને મે એક્સરસાઇઝ અને હળવા ખોરાકથી ૫૦ કિલો વજન ઓછુ કરી નાખ્યું અને કેનેડાની નેશનલ ફિટનેસ કોમ્પિટિશનમાં છઠ્ઠા નંબર પર વિજેતા થઇ.

વડોદરા રિટર્ન આવ્યા બાદ મારા પતિ અનુપે મને મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને વિવિધ રાઉન્ડના અંતે એનઆરઆઇ અને ભારતની મળીને ૪૫ સુંદરીઓ વચ્ચેની કોમ્પિટિશનમાં હું સેકન્ડ રનર અપ વિજેતા થઇ'.