બુધવાર, 10 એપ્રિલ, 2019


CRPFના શૌર્ય દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોન્ચ કરી 'વીર પરિવાર' મોબાઈલ એપ

રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારજનોને , મેડલ આપી કર્યા સન્માનિત
સી.આર.પી.એફ. , આજે 54 માં , શૌર્ય દિવસની ઉજવણી કરી રહી છે. 
વર્ષ 1965માં , આજના દિવસે , સી.આર.પી.એફ.ની , નાની ટુકડીએ ગુજરાતના , કચ્છના ,રણમાં સરદાર પોસ્ટ પર  બહાદુરીથી લડતા , પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. 
સી.આર.પી.એફ.ના જવાનોએ , પાકિસ્તાનના , 34 સૈનિકોને ઠાર કર્યા હતા. જેમાં સી.આર.પી.એફ.ના છ સૈનિક શહિદ થયા હતા. કેન્દ્રીય રિઝર્વ, પોલીસ દળ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવ એપ્રિલને શૌર્ય દિવસના રૂપમાં ઉજવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , આ પ્રસંગે , નવી દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ , સી.આર.પી.એફ. જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ , એનાયત કર્યા હતા.તથા રાષ્ટ્રપતિએ આ પ્રસંગે , સી.આર.પી.એફ. - વીર પરિવાર નામની મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો