મંગળવાર, 15 જાન્યુઆરી, 2019

સમગ્ર દેશમાં ભારતીય સેના દિવસની થઈ રહી છે ઉજવણી


Image result for bhartiya sena diwas

સમગ્ર દેશમાં આજે ભારતીય સેના દિવસની ઉજવણી થઈ રહી છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી આઝાદીના રખેવાળ તથા દેશના ગર્વ સમાન ભારતીય સેનાના તમામ જવાનો તથા તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતીય સેના દિવસના અવસરે દેશના જવાનો તથા તેમના પરિવારજનોને શુભકામના પાઠવી હતી. ટ્વીટ સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશને બહાદુર જવાનો પર ગર્વ છે. 

આ અવસરે સેના પ્રમુખ બીપીન રાવતે કહ્યું હતું કે ભારતના પાડોશી દેશ દ્વારા સતત આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેને નિષ્ફળ કરવા માટે ભારતીય સેના સતત કાર્યરત છે. તેમજ ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ કરવા માટે સેના મજબુતી સાથે કાર્યવાહી કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 15મી જાન્યુઆરીએ સેના દિવસની ઉજવણી થાય છે. લેફ્ટનન્ટ જનરલ - ફિલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાએ ભારતીય ભૂમિ દળના શીર્ષ કમાન્ડરનું પદ સંભાળ્યું હતું તેના અનુસંધાને આ ઉજવણી થાય છે.




PM મોદીએ ગુરુ ગોવિંદ સિંહજીના સન્માનમાં સ્મારક સિક્કો રજૂ કર્યો

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શીખોના 10માં ગુરુ ગોવિંદ સિંહજીની 352મી જયંતીના અવસરે તેમના સન્માનમાં એક સ્મારક સિક્કો રજૂ કર્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહજીને એક સારા યૌદ્ધાની સાથે જ એક કવિ પણ જણાવ્યા.
વડાપ્રધાન મોદીના આવાસ પર થયેલા કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યુ, ગુરુ ગોવિંદ સિંહજીને હું શ્રદ્ધાપૂર્વક નમન કરુ છુ. PM મોદીએ દેશવાસીઓને લોહડીના પર્વની પણ શુભકામનાઓ પાઠવી.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા ગ્રંથ દ્વારા સમગ્ર દેશને જોડ્યો છે. એ મારુ સૌભાગ્ય છે કે મને તેમના સન્માનમાં સિક્કો રજૂ કરવાનો અવસર મળ્યો. ગુરુ ગોવિંદ સિંહજીનુ કાવ્ય ભારતીય સંસ્કૃતિના ઝાંખી અને આપણા જીવનની સરળ અભિવ્યક્તિ છે. જેમ કે તેમનુ વ્યક્તિત્વ બહુઆયામી હતુ તેવી જ રીતે તેમના કાવ્યમાં પણ અનેકાવિધ વિષયોને પોતાની અંદર સમાવેશ કર્યા છે.
સરકારના અથાગ પ્રયત્નોથી કરતારપુર કૉરિડોર બનવા જઈ રહ્યો છે. હવે ગુરુ નાનકના માર્ગ પર ચાલનારા તમામ ભારતીય દૂરબીન સિવાય પોતાની આંખોથી ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકશે. ઓગસ્ટ 1947મા જે ચૂક થઈ હતી તે તેમનો પ્રાયશ્ચિત છે.