શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2019


ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી


ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને દિલ્હી-શ્રીનગર શ્રીનગર-દિલ્હી જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેકટરોમાં પણ હવાઈ યાત્રાના અધિકારની સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.

આ નિર્ણયથી કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ A.S.I.રેન્કના આશરે સાત લાખ એંસી હજાર કર્મચારીઓને ફાયદો થશે જે અત્યાર સુધી આ સુવિધાના પાત્ર ન હતા. આમાં ડ્યૂટી સમયે યાત્રા અને રજા દરમિયાન કરવામાં આવતી યાત્રાનો સમાવેશ છે એટલે કે જમ્મુ-કાશ્મીર થી રજાઓ માટે ઘર જવા અને પરત આવવાની યાત્રાનો સમાવેશ થાય છે.

આ સુવિધા કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળને આપવામાં આવી રહેલી હવાઈ કુરિયર સેવાની ઉપરાંતની સુવિધા છે જેથી જવાનોના યાત્રાનો સમય ઘટી શકે. કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળની માટે હવાઈ કુરિયર સેવાને જમ્મુ-શ્રીનગર-જમ્મુ સેકટરની માટે મંજૂરી આપવામાં આવી હતી.

ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને ખુલ્લું મૂક્યું

ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને ખુલ્લું મૂકીને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત તકની ભૂમિ છે અને સાઉથ કોરિયા અમારો નેચરલ પાર્ટનર છે. ભારત અને સાઉથ કોરિયાના બિઝનેસ સંબંધ લાંબા સમયથી છે. જે છેલ્લા થોડાં વર્ષોમાં વધુ નજીક આવ્યા છે. 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સાઉથ કોરિયા આવ્યો હતો. જે ઇકોનોમિક ગ્રોથ માટે મારો રોલ મોડલ છે. તેમણે આંકડાકીય માહિતી આપતાં કહ્યું હતું કે ભારતમાં કોરિયાનું રોકાણ છ બિલિયન ડોલર છે. વર્ષ 2015 બાદ ભારતમાં હુન્ડાઈ સેમસંગ એલજી વિશ્વસનીય બ્રાન્ડ બની છે. અત્યાર સુધીમાં 600 કોરિયન કંપનીએ ભારતમાં રોકાણ કર્યું છે. અન્ય કંપનીઓને આવકારવા અમે આતુર છીએ. તેમણે કહ્યું હતું કે ઇલેક્ટ્રીકલ વાહન બનાવવામાં સાઉથ કોરિયા અગ્રેસર છે. ભારતમાં ઇલેક્ટ્રીક વાહન માટે બહોળી તક રહેલી છે. જે માટે ભારત સરકાર સ્ટાર્ટ અપ ઇન્ડિયા સહિતની યોજનામાં સહયોગ આપે છે. આ સાથે જ ભારત-કોરિયા સ્ટાર્ટ અપ હબને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.  
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ અને જળવાયુ પરિવર્તન માનવતાની સામે આજે બે મોટા પડકાર છે. દક્ષિણ કોરિયાના સોલમાં આજે યોન સેઈ વિશ્વ વિદ્યાલય સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરતાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના જીવન દર્શન અંગે સિદ્ધાંતોમાં આ સમસ્યાઓનો ઉકેલ ઉપલબ્ધ છે.
આ અવસર પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનએ કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જયંતિ કોરિયાના અહિંસક સ્વતંત્રતા સંગ્રામની 100મી જયંતિની સાથે ઉજવવામાં આવશે. યોનસેઈ વિશ્વ વિદ્યાલય આ સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્ર હતું. સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ સચિવ બાન કી મૂનએ આ અવસરે પોતાના સંબોધનમાં વિશ્વ શાંતિ જળવાયુ પરિવર્તન અને માનવ અધિકારોના સમર્થનમા પ્રધાનમંત્રીના પ્રયાસોની સરાહના કરી હતી.
ભારતે પાણી દેખાડયું : પાકિસ્તાનને અપાતું પાણી બંધ કર્યું
 Image result for sindhu,jhelum river
- ભારતની ત્રણ નદી સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી કાશ્મીર અને પંજાબ તરફ વળાશે
- એક વિશેષ પ્રોજેક્ટની મદદથી પાક. જતી ત્રણેય નદીનું પાણી યમુના નદી તરફ વાળવામાં આવશે : કેન્દ્રીય પ્રધાન
 Image result for sindhu,jhelum river
કેન્દ્રના આ પગલાથી પંજાબ અને કાશ્મીરમાં કૃષિ ક્ષેત્રે મોટો ફાયદો થશે 
હાલ કાશ્મીરમાં આ માટે એક ડેમ રાવી નદી પર તૈયાર થઇ રહ્યો છે, ટૂંક સમયમાં કામ પુરું થઇ જશે તેવો દાવો 

પુલવામા હુમલા બાદ બદલો લેવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સરકારે અગાઉ પાકિસ્તાની વસ્તુઓની આયાત પર ૨૦૦ ટકા ડયુટી નાખી હતી ત્યારે હવે પાકિસ્તાન તરફ જતા પાણીના વહેણને બદલવાની તૈયારી કરી લીધી છે.
ઘણા સમયથી માગ થઇ રહી છે કે પાકિસ્તાન તરફ જતું પાણી રોકીને તેને ભારતમાં ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની ત્રણેય નદીઓનું વહેણ પાકિસ્તાન તરફ જતુ અટકાવવા માટે તેને ભારત તરફ વાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 
નીતીન ગડકરી બાગપતમાં યમુનાના વોટર ટ્રીટમેંટ પ્લાંટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન જતી ત્રણ નદીઓનું પાણી યમુનામાં લાવવામાં આવશે. જેના માટે ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે દિલ્હી-આગરાથી ઇટાવા સુધી જળમાર્ગ ડીપીઆર તૈયાર થઇ ચુક્યુ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત બાગપાતમાં રિવર પોર્ટ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે બન્ને દેશોને યોગ્ય ભાગમાં પાણી મળી રહે તેના પર ધ્યાન અપાયું હતું, જે બાદ ભારતમાંથી વહેતી ત્રણેય નદીઓનું પાણી પાકિસ્તાન જઇ રહ્યું છે. હવે આ ત્રણેય નદીનું પાણી વાળીને યમૂના નદીમાં ઠાલવવામાં આવશે. જેને પગલે યમુના નદીનું પાણી વધી જશે અને તેનાથી દેશને વધુ પાણી મળતા ઘણો ફાયદો થશે. 
હાલના આયોજન મુજબ પાકિસ્તાન જતું આ પાણી જમ્મુ કાશ્મીર અને પંજાબમાં વાળવામાં આવશે તેમ ગડકરીએ જણાવ્યું હતું. જોકે અગાઉ પણ ઉરી હુમલા બાદ સરકારે આ જ પ્રકારના પગલા લેવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત કાશ્મીરમાં કેટલાક ડેમ પ્રોજેક્ટના ઉદઘાટન પણ કરવામાં આવ્યા છે, જેનું કામ ચાલી રહ્યું છે. ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ પાણીને વાળવા માટેના ડેમને બનાવવાનું કામકાજ શરુ થઇ ગયું છે. આ ડેમ હાલ રવી નદી પર શાહપુર અને કાંડીમાં તૈયાર કરવામા આવી રહ્યા છે.