શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2019


ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી


ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને દિલ્હી-શ્રીનગર શ્રીનગર-દિલ્હી જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેકટરોમાં પણ હવાઈ યાત્રાના અધિકારની સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.

આ નિર્ણયથી કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ A.S.I.રેન્કના આશરે સાત લાખ એંસી હજાર કર્મચારીઓને ફાયદો થશે જે અત્યાર સુધી આ સુવિધાના પાત્ર ન હતા. આમાં ડ્યૂટી સમયે યાત્રા અને રજા દરમિયાન કરવામાં આવતી યાત્રાનો સમાવેશ છે એટલે કે જમ્મુ-કાશ્મીર થી રજાઓ માટે ઘર જવા અને પરત આવવાની યાત્રાનો સમાવેશ થાય છે.

આ સુવિધા કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળને આપવામાં આવી રહેલી હવાઈ કુરિયર સેવાની ઉપરાંતની સુવિધા છે જેથી જવાનોના યાત્રાનો સમય ઘટી શકે. કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળની માટે હવાઈ કુરિયર સેવાને જમ્મુ-શ્રીનગર-જમ્મુ સેકટરની માટે મંજૂરી આપવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો