શનિવાર, 20 ઑક્ટોબર, 2018

ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ માટે 100 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી

 


- ધમ્મચક્રપ્રવર્તનના સમારંભમાં સમિતિને 40 કરોડ રૂપિયાનો ચેક આપ્યો


 

દીક્ષાભૂમિ આ પવિત્ર સ્થાનનો વિકાસ કરતી સમયે વિશ્વનો દરજ્જો મેળવતી વારસાસ્થળ બનવું અને વિશ્વના તમામ અનુયાયી અહીં  આવશે અને તે માટે ૧૦૦ કરોડ રૂપિયાનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. 

એમાંથી ૪૦ કરોડ રૂપિયાનો પહેલા તબક્કાનો ચેક કમિટિને આપવામાં આવ્યો છે.  આ પવિત્ર ભૂમિ માટે, એના વિકાસ માટે નાણાંની અછત પડવા નહીં દઇશું, એવી ખાતરી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ ધમ્મચક્ર પ્રવર્તન દિવસના સમારોહમાં બોલી બતાવી. 

 

દીક્ષા ભૂમિમાં ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક કમિટી તરફથી ૬૨મી ધમ્મચક્રપ્રવર્તન દિવસના મુખ્ય સમારોહમાં  સંબોધન કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે તથાગત ગૌતમ બુદ્ધના પંચશીલના માધ્યમથી શીખામણ આપી. ધમ્મતત્વના આધારે જ ભારતના બંધારણની નિર્મિતી થઇ છે. સ્વાતંત્ર્ય, સમતા અને બંધુના આ શીખામણનો એમાં સમાવેશ કર્યો. આપણા દેશનું સંવિધાન વિશ્વમાંનું સર્વોત્તમ સંવિધાન છે. ડો. બાબા સાહેબ આંબેડકરે આપેલા  સંવિધાનના માધ્યમથી જ દેશનો વિકાસ થયો છે. 

રાજ્યના ૩૨ હજાર સ્કૂલોમાં સંવિધાનનું વાચન કરવામાં આવે છે. સંવિધાનના મૂળ સિદ્ધાંતની શીખામણ વિદ્યાર્થીઓને સ્કૂલોમાંથી આપવામાં આવે છે. કેન્દ્રના પ્રધાન નિતીન ગડકરી, રામદાસ આઠવલે, રાજ્યના પ્રધાન રાજકુમાર બડોલે, નાગપુરના મેયર નંદા જીચકાર સાથે ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતાં.