શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
- મહત્વાકાંક્ષી યોજનાને ૨૪મી સપ્ટેમ્બરે લોન્ચ કરાશે
- વિશ્વની સૌથી મોટી આ હેલ્થકેર સ્કીમમાં દેશના ૧૦.૩૪ કરોડ ગરીબ પરિવારને પાંચ લાખનો વીમો મળશે
Image result for pradhan mantri jan arogya yojana

વડાપ્રધાન મોદી ૨૩મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખૂલ્લી મૂકશે. દેશની ખાનગી તેમજ પબ્લિક ૧૫૦૦૦ હોસ્પિટલે આ યોજનામાં જોડાઇને ૧૦.૭૪ કરોડ ગરીબ પરિવારને આરોગ્ય વીમાનો લાભ આપવા પેનલમાં જોડાવા તૈયારી દર્શાવી છે.
વડાપ્રધાન ૨૩મી સપ્ટેમ્બરે યોજનાનું લોંચિંગ કરશે અને તેનો અમલ ૨૫મી સપ્ટેમ્બરથી લાગુ થશે.
દેશના ૨૭ રાજ્યે કેન્દ્ર સાથે એમઓયુ કરીને આ યોજનામાં સ્થાન મેળવ્યું છે. બાકીના છ રાજ્ય ભવિષ્યમાં જોડાશે.
આ યોજનામાં દેશના ગરીબ પરિવારને રૂપિયા પાંચ લાખના વીમાનું રક્ષણ મળશે. આ લાભ દેશની ૪૦ ટકા જનતાને મળશે. આ યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના બનશે.

પ્રવાસી ભારતીય દિવસ

Image result for પ્રવાસી ભારતીય દિવસ

પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે તેનો હેતું વિદેશી ભારતીય સમુદાયને દેશ ના વિકાસ માટે કરેલા યોગદાન ને દર્શાવે છે.

વર્તમાનમાં લગભગ 3.12 કરોડ ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વસેલા છેભારતના પ્રથમ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન જાન્યુઆરી 2003 માં દિલ્હી ખાતે, 'લક્ષ્મીમલ સિંઘવી' સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું

13મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન મહાત્મા ગાંધી જયારે 9 જાન્યુઆરી1915 ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત (મુંબઇ)  પરત ફર્યા હતા તે વાતને 100 વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી સ્વરૂપે જાન્યુઆરી 2015માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દિલ્હીની બહાર એવા રાજ્યોની સાથે ભાગીદારી કરી  કરવામાં આવે છે જ્યાં પ્રવાસી ભારતીઓની સંખ્યા વધારે હોય.