મંગળવાર, 16 જાન્યુઆરી, 2018

70મો ઈન્ડિયન આર્મી ડે: જનરલ કે.એમ કરિઅપ્પાના સન્માનમાં મનાવાય છે 15th January



- અમે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવનાર પડકારો સામે લડવાનું આયોજન કર્યું છે: સેના પ્રમુખ રાવત

જનરલ કે. એમ કરિઅપ્પા આઝાદ ભારત પહેલા સેના પ્રમુખ બન્યા હતા અને તેમના સન્માનમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ આર્મી ડે મનાવવામાં આવે છે.

આર્મી ડે નિમિત્તે દિલ્હીના કેન્ટ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ થઈ. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સંબોધન કર્યું. સેના દિવસની પૂર્વ સંધ્યાએ સેના અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે અમારો દેશ અમારી સેના પર ગર્વ કરે છે તેમજ અમારા ઉદ્દેશ્યોને સમ્માન અને ગૌરવ સાથે પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરે છે. આજે ગત વર્ષનું આત્મવિશ્લેષણ અને ચિંતન કરતા અમે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવનાર પડકારો સામે લડવાનું આયોજન કર્યું છે.


2017માં ભારતીય સેનાને સરહદો પર અને દેશની અંદર કેટલાક ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ છે. અમારા સૈનિકોએ સરહદો પર વિરોધીઓને કડક જવાબ આપ્યો છે. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન માનવાધિકારના મૂલ્યોને જાળવી રાખવા અમારું વલણ હંમેશા સતર્ક રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 9 જાન્યુઆરીએ દિલ્હીના કેન્ટ પરેડ ગ્રાઉન્ડમાં આર્મી ડે રિહર્સલ દરમિયાન ધ્રુવ હેલિકોપ્ટરથી રસ્સીના સહારે ઉતરતી વખતે 3 જવાન ઘાયલ થયા હતા.

ભારત ઇઝરાયેલની મૈત્રી ક્ષિતિજ વિસ્તરી મોસાદની જાસૂસીનો લાભ ભારતને મળશે



- ઈઝરાયેલના વડાપ્રધાનની છ દિવસીય ભારતયાત્રાનો પ્રારંભ 'ગાર્ડ ઓફ ઓનર' શરૃ

- બંને દેશ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, પેટ્રોલિયમ સહિતના નવ કરાર: ઈઝરાયેલમાં ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ખોલાશે.

મોદીએ નેતાન્યાહૂને 'માય ફ્રેન્ડ બીબી' કહીને સંબોધન કર્યું, જ્યારે નેતાન્યાહૂએ મોદીને 'નરેન્દ્ર' કહીને દોસ્તી બતાવી.

 ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ છ દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે થયેલા દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાયન્સ, ટેકનલોજી, પેટ્રોલિયમ સહિતના ૯ કરારો થયા હતા.


ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને ભારતના વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યા પછી સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે ભારત-ઈઝરાયેલ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, ફિલ્મ, ગેસ, પેટ્રોલિયમ, મેડિસિન વગેરેને લગતા કુલ ૯ મહત્વના કરારો થયા હતા.