શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

રાષ્ટ્રપતિએ 2016 નો સંગીત નાટક અકાદમી એવોર્ડ્સ રજૂ કર્યો



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલી સમારોહમાં વર્ષ 2016 માટે સંગીત નાટક અકાદમીની ફેલોશીપ્સ (એકેડેમી રત્ન) અને સંગીત નાટક એકેડેમી પુરસ્કાર (એકેડેમી પુરસ્કાર) નું પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ.

 

સંગીત નાટક એકેડેમી પુરસ્કારો

સંગીત નાટક એકેડેમીની ફેલોશીપ્સ અને સંગીત નાટક એકેડેમી એવોર્ડને દેશના પર્ફોર્મિંગ આર્ટ્સના કલાકારો તેમજ વિદ્વાનોના દેખાવ પર આપવામાં આવેલા સૌથી વધુ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનની વચ્ચે માનવામાં આવે છે. તે સંગીત નાટક અકાદમી, ભારતની નેશનલ એકેડેમી ઓફ સંગીત, ડાન્સ અને ડ્રામા દ્વારા આપવામાં આવે છે.


સંગીત નાટક અકાદમી એવોર્ડ્સ સંગીત, નૃત્ય, થિયેટર, અન્ય પરંપરાગત કલા અને કઠપૂતળીની શ્રેણીઓમાં આપવામાં આવે છે, તેમજ પર્ફોર્મિંગ આર્ટસમાં યોગદાન અને શિષ્યવૃત્તિ માટે આપવામાં આવે છે. 2003 થી આ પુરસ્કાર રૂ. 1 લાખ, એક પ્રશસ્તિ, એક અંગવસ્તરામ (શાલ), અને તમ્રાત્ર (પિત્તળની તકતી). 

'અગ્નિ-૫'નું પાંચમું સફળ પરીક્ષણ, ૧૯ મિનિટમાં ૪૯૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું

- અગ્નિ-૫ પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ મિસાઈલ , જગતનું સૌથી ઘાતક શસ્ત્ર

- પાંચ પરીક્ષણમાં સફળતા પછી મિસાઈલ સ્ટ્રેટેજીક કમાન્ડ ફોર્સમાં સામેલ કરવાનો માર્ગ મોકળો

મિસાઈલ સર્જનમાં તમિલનાડુનું વિશેષ પ્રદાન,

ભારતે આજે પાંચમી વખત પરમાણુ સક્ષમ મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓડિસ્સાના બાલાસોર ખાતે આવેલા અબ્દુલ કલામ ટાપુના મિસાઈલ ટેસ્ટ મથકેથી આ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. સવારે ૯:૫૪ મિનિટે મોબાઈલ લોન્ચિંગ પ્લેટફોર્મ પરથી અગ્નિ-૫ને ફાયર કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન ૧૯ મિનિટમાં જ મિસાઈલે ૪૯૦૦ કિલોમીટરનું અંતર કાપી બતાવ્યું હતું. અગ્નિ-૫ની રેન્જ ૫ હજાર કિલોમીટર છે અને તે પરમાણુ શસ્ત્ર વહન કરી શકે છે. જગતના સૌથી ઘાતક શસ્ત્રોમાં અગ્નિ-૫નો સમાવેશ કરવામાં આવે છે. અગ્નિ-૫ કલાકના ૨૮ હજાર કિલોમીટરની ઝડપે પ્રહાર કરી શકે છે.


ICC એવોર્ડ્ઝમાં કોહલી છવાયો: વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને વન ડે પ્લેયર જાહેર


- કોહલી ICCની વન ડે અને ટેસ્ટ ટીમોનો કેપ્ટન: ચહલને ટી-૨૦ના બેસ્ટ પર્ફોમન્સનો એવોર્ડ: સ્મિથ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર: પાકિસ્તાનનો હસન અલી બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા એક વર્ષમાં રનના ઢગલા ખડકનારો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આઇસીસીએ જાહેર કરેલા વર્ષ ૨૦૧૬-૧૭ના એવોર્ડમાં છવાઈ ગયો હતો. કોહલીને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટરને એનાયત કરવામાં આવતી સર ગારફિલ્ડ ટ્રોફી (ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ) અને વન ડે ક્રિકેટર ઓફ ધ યરની ટ્રોફીના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઇસીસીની ટેસ્ટ અને વન ડે ટીમ ઓફ ધ યરનું સુકાન કોહલીને જ સોંપવામાં આવ્યું હતુ, જે ભારતીય ક્રિકેટ માટે અને કેપ્ટન કોહલી માટે વિશેષ ગૌરવરૃપ બની રહ્યું હતુ. નોંધપાત્ર છે કે, કોહલી વર્ષ ૨૦૧૨માં પણ વન ડે પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. કોહલી ઉપરાંત ભારતના યઝવેન્દ્ર ચહલને બેસ્ટ ટી-૨૦ પર્ફોમન્સ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવશે.  જ્યારે આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં કેપ્ટન તરીકે કોહલીની સાથે ભારતના આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને  સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું હતુ. જ્યારે વન ડે ટીમમાં પણ કેપ્ટન કોહલી ઉપરાંત મુંબઈના ઈનફોર્મ બેટ્સમેન રોહિત શર્મા અને ગુજરાતના મીડિયમ પેસર જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  આઇસીસીએ ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૧૬ થી લઈને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ્ઝની જાહેરાત કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાનનો હસન અલી ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર અને અફઘાનિસ્તાનનો રશિદ ખાન એસોસિએટ્ ક્રિકેટર ઓફ ધ યર બન્યો હતો. સાઉથ આફ્રિકાના મારાઈસ ઇરાસ્મુસને બેસ્ટ અમ્પાયર જાહેર કરવામાં આવ્યા હતા.