બુધવાર, 16 જાન્યુઆરી, 2019


મુખ્યમંત્રીએ અમદાવાદ ફ્લાવર શો-2019નો પ્રારંભ કરાવ્યો
o 

Image result for flower show 2019 ahmedabad
તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી , ફૂલોની વિવિધ વેરાયટીસને શહેરીજનો નિહાળી શકશે. આર્કિડ, ઈંગ્લીશ ગુલાબ, કોર્નેશન, તેમજ અન્ય ફૂલોમાંથી બનાવેલા જીરાફ, બટર ફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમીંગો, કળા કરતો મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી પ્લેન, બુલેટ ટ્રેન સહિત , 50થી વધુ કૃતિઓનો લોકો આનંદ ઉઠાવી શકશે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના પાલડી સ્થિત રીવરફ્રન્ટ ખાતે અમદાવાદ ફ્લાવર શો 2019નો પ્રારંભ કરાવ્યો હતો. તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી , ફૂલોની વિવિધ વેરાયટીસને શહેરીજનો નિહાળી શકશે. આર્કિડ, ઈંગ્લીશ ગુલાબ, કોર્નેશન, તેમજ અન્ય ફૂલોમાંથી બનાવેલા જીરાફ, બટર ફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમીંગો, કળા કરતો મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી પ્લેન, બુલેટ ટ્રેન સહિત , 50થી વધુ કૃતિઓનો લોકો આનંદ ઉઠાવી શકશે. આ શોમાં અલગ અલગ 3 સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં ફોટોગ્રાફી કરી શકાશે. આ સાથે મુલાકાતીઓ માટે ખાણી-પીણીના , 50 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. મુલાકાતીઓ આજે બપોરે 2થી રાત્રે 9 વાગ્યા સુધી , શોની મુલાકાત લઈ શકશે. આવતીકાલે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી , અને 18થી 22 જાન્યુઆરી દરમિયાન , સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી , મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે.

પ્રધાનમંત્રી આવતીકાલથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, અમદાવાદ, ગાંધીનગર અને સેલવાસામાં વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ


મલ્ટી સ્પેશ્યાલીટી એવા સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને , પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે દેશને અર્પણ કરશે. 1300 બેડનો જનરલ વોર્ડ ધરાવતી આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર , હેલિપેડની વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થઈ શકે.
ગુજરાત સરકારનું અત્યંત આધુનિક મેડિકલ સેવા કેન્દ્ર , અમદાવાદમાં તૈયાર થઇ ચુક્યું છે. મલ્ટી સ્પેશ્યાલીટી એવા સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને , પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે દેશને અર્પણ કરશે. 1300 બેડનો જનરલ વોર્ડ ધરાવતી આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર , હેલિપેડની વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થઈ શકે.
વાડીલાલ સારાભાઇ હોસ્પિટલની બરાબર પાછળ , આ નવી મેડિકલ સર્વિસ શરૂ થવાને કારણે , લોકોને સસ્તી અને અસરકારક સારવાર મળી શકશે. મા અમૃતમ યોજના અને અન્ય આરોગ્ય યોજનાઓને આવરી લેતી આ હોસ્પિટલમાં , ગરીબોને પરવડી શકે , તેવી સસ્તી સારવાર કરવામાં આવશે. આરોગ્ય સેવાને વધુ સસ્તી બનાવવા તરફનું , ગુજરાત સરકારનું આ પહેલું કદમ છે.
આ ઉપરાંત અમદાવાદના આંગણે , એક અનેરો મહોત્સવ યોજાવાનો છે, અને તે છે અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 2019. દુબઇમાં યોજાતા દુબઇ શોપિંગ ફેસ્ટીવલની તર્જ પર જ , આ શોપિંગ ફેસ્ટીવલ , 17થી 28 જાન્યુઆરી સુધી યોજાઇ રહ્યો છે. પાંચ હજાર બ્રાંડના અલગ-અલગ ઉત્પાદકનો તેમાં મળશે. ગ્રાહકોને સસ્તી અને ડિસ્કાઉન્ટ સાથેની ચીજવસ્તુઓ એમાં મળી શકશે. જેથી આ શોપિંગ ફેસ્ટીવલનો લોકો વધુમાં વધુ લાભ લઇ શકે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આ ફેસ્ટીવલ યોજાવાને કારણે , દેશ-વિદેશથી આવનારા પ્રતિનિધિઓ , અને રાજનેતાઓ પણ , આ શોપિંગ ફેસ્ટીવલને મન ભરીને માણશે

વિશ્વના સૌથી મોટા મેળાનો શુભારંભઃ સદીઓથી ત્રિવેણીમાં સ્નાનની પરંપરા

- કુંભ મેળામાં 1.4 કરોડ શ્રધ્ધાળુનું સંગમમાં પવિત્ર સ્નાન

- આ વર્ષનો મેળો સૌથી વિશાળ 3200 હેકટરના વિસ્તારમાં યોજાયો: ગયા વર્ષ કરતાં બમણો મોટો

 - ઉત્તર પ્રદેશ સરકારે આજ સુધીના સૌથી વધુ રૂપિયા 4200 કરોડ ફાળવી યાત્રિકોને વિશેષ સુવિધાઓ આપીઃ મેળો 50 દિવસ ચાલશે

- વિક્રમજનક 2.25 કરોડ શ્રધ્ધાળુઓની હાજરીમાં 13 અખાડાના 'શાહી સ્નાન' સંપન્નઃ યોગીનો દાવો

સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ આજે સવારે અલ્લાહાબાદના સંગમ તીર્થ ખાતે 'હર હર ગંગે'ના નારા સાથે કુંભ મેળાની શરૂઆત થઇ હતી. સાધુઓના શાહી સ્નાન બાદ 1.4 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારી હતી. આ કુંભ મેળા માટે ઉત્તર પ્રદેશ ઔઔ સરકારે રૂપિયા 4200 કરોડ ફાળવ્યા છે જે આજ સુધીની સૌથી મોટી રકમ છે. અગાઉની 2013માં સરકારે લગભગ 1300 કરોડ જેવી રકમ ફાળવી હતી.
વિશ્વના સૌથી મોટા મેળા તરીકે જાણીતો કુંભ મેળો 50 દિવસ ચાલશે. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમનું ધાર્મિક તેમજ પૌરાણિક મહાત્મ્ય છે. તીવ્ર ઠંડીમાં પણ શ્રધ્ધાળુઓએ કુંભમાં હાજરી આપી હતી. 13 અખાડાના સાધુએ પ્રથમ સ્નાન કર્યું હતું. દરેક અખાડા માટે 45 મિનિટનો સમય પાળવાયો હતો. અખાડાના સાધુઓસરઘસ આકારે ધૂનો અને મંત્રોચ્ચાર સાથે સંગમ ખાતે પહોંચ્યા હતા. નાગા સાધુઓની આ ધાર્મિક વિધિ જોવા લાયક હોય છે અને લાખો વિદેશી લોકો પણ આ આનંદ માણવા આવે છે.
કુંભ મેળામાં લગભગ 12 કરોડ લોકો ભાગ લે તેવી સંભાવના છે. મેળો ચોથી માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલશે.
આ વર્ષનો કુંભ મેળો અગાઉ કરતાં વિશાળ 3200 હેકટર વિસ્તારમાં ફેલાયો છે. રાજ્ય સરકારે યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ કરી છે. મહાકુંભ 12 વર્ષે એકવાર આવે છે. કુંભ મેળા દરમિયાન છ શાહી સ્નાન થાય છે. મકર સક્રાંત (જાન્યુઆરી 15), પોષ પૂર્ણિમા (જાન્યુઆરી 21), મૌની અમાસ (ફેબુ્રઆરી 4), વસંત પંચમી (ફેબુ્રઆરી 10) માઘી પૂર્ણિમા (ફેબુ્રઆરી 4) અને છેલ્લે મહાશિવરાત્રિ (માર્ચ 4)
દર છ વર્ષે યોજાતા મેળાને અર્ધકુંભ અને 12 વર્ષે યોજાતા મેળાને કુંભ કહે છે. યોગી સરકારે 12 વર્ષે યોજાતા મેળાને 'મહાકુંભ' નામ આપ્યું હતું.
2013માં યોજાયેલા કુંભમેળામાં દર 10 પૈકી એક નાગરિકે હાજરી આપી હતી. આ વર્ષે આ આંકડો વધવાની શક્યતા છે. મેળા માટે કુંભનગરી નામનું હંગામી શહેર બાંધવામાં આવ્યું હતું.

મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમિટમાં 19 જાન્યુઆરીએ આફ્રિકા ડે ની ઉજવણી કરાશે
 
- આફ્રિકા ડેની ઉજવણીમાં 1000 થી વધુ લોકો ભાગ લેશે
- વૈશ્વિક સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો પાર્ટનર દેશો
- ભારતમાં યોજાનારા સૌથી મોટા આફ્રિકન અગ્રણીઓના સંમેલનનેદેશના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ સંબોધન કરશે

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 ના ભાગરૂપે સૌ પ્રથમવાર આફ્રિકા ડે- આફ્રિકા દિવસની 19 જાન્યુઆરી, 2019 ના રોજ ઉજવણી કરાશે એવું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે, “વૈશ્વિક નેતાઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો માટે વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર અને રોકાણો અંગે તકોની ચર્ચા કરવા અને ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા સંયુક્ત મંચ પૂરો પાડવાના હેતુથી આફ્રિકાને સમર્પિત ખાસ એવા "આફ્રિકા ડે"નું આયોજન કરવામાં આવ્યું છે
સમગ્ર દિવસભર ચાલનારા આફ્રિકા દિવસનો ઉદ્દઘાટન સમારંભ 19મી જાન્યુઆરીના રોજ સવારે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઓને વિશેષ સંબોધન કરશે
ગુજરાત હાલમાં આફ્રિકાના 54 દેશોમાંથી 51 દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જે વર્ષ 2017-18 દરમિયાન 19.6 બિલિયન અમેરિકન ડૉલરની હતી. છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાંથી આફ્રિકન દેશોમાં થતી કુલ નિકાસ બમણાથી વધુ થઈ છે. આફ્રિકાના દેશોમાં ગુજરાતમાંથી થતી નિકાસ આશરે 30% હિસ્સો ધરાવે કરે છે”.
આ સમગ્ર આયોજન સરળતાથી થઈ શકે એ માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર ઑફ કોમર્સને ભાગીદાર સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે આ નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો ભાગીદાર દેશો બન્યા છે. જે આફ્રિકા ખંડમાંથી બે દેશો પ્રથમવાર ભારતના સૌથી મોટા બિઝનેસ સમિટ માટે ભાગીદાર બનનાર છે.

આ બાબત સંસાધન સમૃદ્ધ અને ઝડપી વિકાસશીલ ખંડ તરીકે વધતા જતા મહત્વને પ્રથાપિત કરે છે. આ સમિટ માટે આશરે 800 જેટલા ભારતીય વેપારીઓની થયેલી નોંધણી સાથે આશરે 180 થી વધુ આફ્રિકન વેપાર ઉદ્યોગના અગ્રણીઓએ જોડાવાની ખાતરી આપી છે. હાલમાં, ગુજરાતમાં હાલમાં અભ્યાસ કરતા 100 થી વધુ આફ્રિકન વિદ્યાર્થીઓ પણ ભાગ લેનાર છે. 
આ ઉદ્દઘાટન સમારંભમાં રવાન્ડા પ્રજાસત્તાકના પ્રમુખ અને આફ્રિકન સંઘના અધ્યક્ષપૌલ કાગમે સંબોધન કરશે. આફ્રિકાના 10થી 15 જેટલા મંત્રીઓ પણ આ આફ્રિકા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આફ્રિકન દેશોના દિલ્હી ખાતેના આશરે 20 જેટલા રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ આ દિવસે ભાગ લેવાની સહમતિ દર્શાવી છે. 
ઉર્જામંત્રીશ્રીએ તકનીકી સત્ર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સત્ર બાદ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ અહીં યોજાનારા વિવિધ તકનીકી સત્રમાં જોડાશે, જેનું આફ્રિકા સાથેના વેપાર તથા વેપારની તકો અને એના પડકારોને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 
અત્રે ઉલ્લેખનિય છે કે, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા, એગ્રો-બિઝનેસ, જેમ્સ એન્ડ જ્વેલરી, માઇનિંગ એન્ડ મિનરલ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો આફ્રિકન વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિઓ માટે ધ્યાનાકર્ષક ક્ષેત્રો છે. આ પ્રસંગે, વિશેષ કરીને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને ખનિજ વિકાસ જેવા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 12 થી 15 જેટલાં એમઓયુ પર હસ્તાક્ષર થશે
આ પ્રદર્શન આશરે ક્ષેત્રફળ 2,200 ચોરસમીટરનું ક્ષેત્રફળ વિસ્તારમાં આફ્રિકન અને ભારતીય કંપનીઓએમના અરસપરસના રસ ધરવતા ઉત્પાદનોને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશિષ્ટ આફ્રિકા પેવેલિયનનું પણ ઊભું કરાશે, જેમાં 54 આફ્રિકન દેશોમાંથી વિવિધ ઉત્પાદનો અને સેવાઓદર્શાવવામાં આવશે. આફ્રિકાના કુલ 54 દેશો પૈકીના 32 આફ્રિકન રાષ્ટ્રોએ આફ્રિકન પેવેલિયનમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે. જોકે, હજુ પણ બાકીના કેટલાક દેશોની જોડાવાની અપેક્ષા છે. સુઝલોન, વેદાંત, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ વગેરે જેવી ભારતીય અગ્રણી કંપનીઓમાં ભાગ લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અગાઉ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 જે 10 થી 13 જાન્યુઆરી 2017માં યોજાઈ હતી તેમાં આફ્રિકન ખંડના દેશોમાંથી નોંધપાત્ર સહભાગિતા જોવા મળી હતી. જેમાં 18 આફ્રિકન દેશોમાંથી 160 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ રાજ્યો અને સરકારોના વડાઓ સહિતઅનેક વિદેશી પ્રતિષ્ઠિત અગ્રણીઓએ આ આયોજનની પ્રશંસા કરેલી છે.