મંગળવાર, 19 જૂન, 2018


ઉત્તર પ્રદેશમાં યોગગુરુ "પતંજલિ"નુ જન્મસ્થળ

Image result for yoga guru patanjali images

- દેશ-વિદેશમાં યોગ દિવસની ઉજવણીની તૈયારી વચ્ચે વાસ્તવિકતા

- ગોંડા જિલ્લાના કોંડર ગામે ૨૨૦૦ વર્ષ પહેલા ગુરુ પતંજલિનો જન્મ થયો હતો
- યોગચાર્યના જન્મસ્થળે જ યોગનો કાર્યક્રમ નથી થતો!

૨૧મી જુને દેશ-વિદેશમાં યોગ દિવસ ઉજવાશે, તેની તડામાર તૈયારી ચાલે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે (યુનેસ્કો) સત્તાવાર જાહેરાત કર્યા પછી વૈશ્વિક સ્તરે ફેલાયેલા ભારતીય યોગનું મહત્ત્વ ઓર વધ્યું છે. યોગના સર્જક આચાર્ય પતંજલિ હતા. યોગસૂત્રની રચના પતંજલિએ કરી હતી. અલબત્ત, યોગ દિવસની ઉજવણી વચ્ચે યોગગુરુ પતંજલિનું જન્મસ્થળ પ્રાથમિક સુવિધાનો અભાવ ભોગવી રહ્યું છે.


ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં આવેલું કોંડર ગામ પંતજલિની જન્મભૂમિ છે.

અહીં તેમના જન્મ સ્થળને સાચવવા માટે સ્થાનિક લોકોએ ભેગા થઈને પતંજલિ જન્મભૂમિ ન્યાસની સ્થાપના કરી છે. પરંતુ ફંડના અભાવે અહીં કોઈ વિકાસ કામગીરી થઈ શકી નથી.


ભગવદાચાર્યના કહેવા પ્રમાણે ૨૨૦૦ વર્ષ પહેલા મહર્ષિ પતંજલિએ લખેલા વિવિધ ગ્રંથોમાં પોતાના જન્મસ્થળનો ઉલ્લેખ કર્યો હતો. એ ઉલ્લેખમાં મહર્ષિએ પોતાને ગોંનાદીર્ય ગણાવતા હતા. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા અને શ્રાવસ્તી વચ્ચેના વિસ્તારને ગોનાર્દ કહેવામાં આવતુ હતું. ઈસવીસન પૂર્વે બીજી સદીમાં એટલે કે ૨૨૦૦ વર્ષ પહેલા પતંજલિ અહીં જન્મ્યા હોવાની માન્યતા છે.

ઘણા યોગ સંશોધકો અભ્યાસ કે જીજ્ઞાસાવશ લખનૌથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા ગામ પહોંચે છે. પરંતુ તેમના માટે અહીં કોઈ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. યોગનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર થયા પછી અહીં પ્રવાસીઓ વધ્યા છે.
ગુજરાતમાં ૬૬,૦૦૦ અને સુરત જિલ્લામાં ૨૨૦૦ જેટલા સિકલસેલ પીડિત છે


- આજે વિશ્વ સિકલસેલ દિવસ

- લોહીની ખામીથી થતો સિકલસેલ આદિવાસી જાતિમાં વધુ જોવા મળે છે 

- આજે સિવિલમાં જાગૃતિ કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ

સિકલસેલ રોગ લોહીની ખામીથી થાય છે. ગુજરાતમાં આ રોગથી ૬૬૦૦૦ વ્યક્તિઓ પીડાય છે. જેમાં સુરત જીલ્લામાં ૨૦૦ થી વધુ દર્દીઓ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. અશ્વીનભાઈ વસાવાએ કહ્યું કે સિકલસેલ વારસાગત રોગ છે. આ રોગમાં લોહીની ખામી સર્જાય છે. સામાન્ય રીતે આ રોગ આદીવાસીઓમાં થાય છે. સિકલસેલ રોગ મુખ્યત્વે આફ્રીકા અને એશીયાના દેશોમાં જોવા મળે છે.

વર્ષ ૨૦૦૮ થી લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી તા. ૧૯ મી જૂને વર્લ્ડ સિકલ સેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 

ગુજરાતમાં અંદાજીત આ રોગના ૬૬૦૦ દર્દીઓ છે. જેમાં સુરત જીલ્લામાં ૨૨૦૦ થી વધારે દર્દીઓ નોંધાયા છે. વર્ષ ૨૦૧૮ માં નવી સિવિલ હોસ્પિટલ અને જીલ્લા પંચાયત સુરત દ્વારા ૧૮૦૦ જેટલા સિકલસેલના દર્દીઓને તપાસ કરી સારવાર આપીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરત જીલ્લામાં ૧૬૩ દંપત્તિ સિકલસેલથી પીડાઈ છે

સુરત જિલ્લા પંચાયતના ઓફિસર ડો. પિયુષ શાહે કહ્યું કે વર્ષ ૨૦૧૭-૨૦૧૮ દરમિયાન સુરત જિલ્લામાં સિકલસેલના રોગ અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૬૩ દંપત્તિઓ આ રોગથી પીડાઈ છે. જેમાં ૧૨૩ દંપત્તિના બાળકોને આ બિમારી માટે નિદાન કરાયું હતું.

૧૨૩ મહિલાના ગર્ભમાં રહેલા શિશુને સિકલસેલની બિમારીની તપાસ કરી સારવાર આપી હતી. જેમાંથી ૧૨ બાળકોમાં આ રોગની ખામી હોવાની શોધવામાં આવી હતી. તે પૈકી ૪ બાળકના ગર્ભપાત કરવામાં આવ્યા હતા.

જો કે બાળકમાં રોગની ખામી ધરાવતા જાણવા મળે તો તેના માતા-પિતા કે પરિવારજનો આ રોગ અંગે સમજાવવામાં આવે છે. બાદમાં પરિવારની સંમત્તિ બાદ ગર્ભપાત કરવામાં આવ્યું હતું. આ રોગ અંગે કાઉન્સેલરો દ્વારા જાગૃત્તિ ફેલાવી માર્ગદર્શન આપવામાં આવે છે.

સિકલ સેલમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો


ડોક્ટરની સુચના મુજબ ફોલીક એસીડ, દર્દશામક દવા, મેલેરીયાની દવા નિયમિત લેવી, વધારે પ્રવાહી લેવું, નિયમિત રસીકરણ બીની રસી મૂકવી, સામાન્ય તકલીફ હોય તો પણ તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એવું ડો. અશ્વીનભાઈ વસાવાએ કહ્યું હતું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 48મો જન્મદિવસ

Image result for rahul gandhi


-19 જૂન 1970માં જન્મ થયો હતો

રાહુલ ગાંધી આજે કોંગ્રેસ પાર્ટીનાં સૌથી ઉંચા પદ પર છે પરંતુ રાહુલ ગાંધીની આ સફર એટલી સરળ પણ નથી.

રાહુલ ગાંધી જ્યારે 14 વર્ષનાં હતા ત્યારથી તેમના દાદી ઈન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકો દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામા આવી હતી.રાહુલ ગાંધીએ ઘણી વખત આ વાતનો જાહેરમાં ઉલ્લેખ પણ કર્યો છે કે આ ઘટનાની તેમના પર ખૂબ ઉંડી અસર થઈ છે કારણ કે પ્રિયંકા અને રાહુલ બન્ને સાથે ઈન્દિરા ગાંધીને ખૂબ લાગણી હતી.  

ઈન્દિરા ગાંધીનાં મૃત્યુ વિશે વાત કરતા રાહુલ જણાવે છે કે મને બેડમિન્ટન રમવાનો બહુ શોખ છે,મારી દાદીનાં ઘરમાં બેડમિન્ટન શિખવાડવા માટે બે પોલિસ જવાનો રાખ્યા હતાં જે દાદીની સુરક્ષા માટે રખાયેલ હતા,એક દિવસ આ જવાનો એ જ મારી દાદીની હત્યા કરી નાખી બસ ત્યારથી મારા જીવનની શાંતી છિનવાઈ ગઈ.

ત્યાર બાદ રાહુલ 1991 માં જ્યારે 21 વર્ષનાં હતા ત્યારે જ તેમના પિતા રાજીવ ગાંધીની ચિતાને આગ આપવી પડી.

આ તમામ ઘટના માંથી બહાર આવી રાહુલે 2004માં 34 વર્ષની ઉંમરે પહેલી વખત અમેઠીમાંથી સાંસદ બન્યાં.

રાહુલ ગાંધી સેંટ સ્ટીફન કૉલેજ દિલ્હી,હાર્વર્ડ કૉલેઝ અને રોલિન કૉલેઝ ફ્લોરિડા અને કૈમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે.

જાન્યુઆરી 2013માં રાહુલ ગાંધીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનાં અધ્યક્ષનાં બની પદભાર સંભાળ્યો.હા એ વાત જુદી છે કે રાહુલે પદભાર સંભાળ્યા પછી લગભગ 30 થી પણ વધુ ચૂંટણીઓ માં હાર મળી છે.
રાહુલનું મોસાળ ઈટાલીમાં છે.રાહુલની માતા સોનિયા ગાંધીનું જન્મસ્થળ આ જ છે.આ શહેર વેનિસથી લગભગ 100 કીમી દૂર છે. રાહુલ ગાંધી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી બ્રિટનમાં મેનેઝમેન્ટ કંસલ્ટેટની નોકરી કરી ચુક્યા છે.

પાર્ટીમાં રાહુલ ગાંધીની તાજપોશી પછી પાર્ટીમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે.પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સક્રિયતા હવે પાર્ટીમાં ઓછી થઈ ગઈ છે.રાહુલ હવે ફ્રન્ટફુટ પર રમવા લાગ્યા છે.


પાર્ટીને પૂરા જોશ સાથે આગળ વધારે છે.તાજુ ઉદાહરણ જોઈએ તો કર્ણાટકમાં ભાજપને બહુમતી હોવા છતાં સતાથી દૂર રાખવામા સફળ થયા હતાં તથા 2019 માટે તમામ વિપક્ષોને એક મંચ પર લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે


18 વર્ષના લાંબા સમયની રાહ બાદ આ રાજ્યની થશે રણજી ટ્રોફીમાં એન્ટ્રી




- BCCIની 9 સભ્યોની કો-ઓર્ડિનેશન કમિટિએ નિર્ણય કર્યો નવી

BCCIએ આગામી સત્રમાં રાજ્યના ઘરેલુ ક્રિકેટમાં એન્ટ્રી પર નજર રાખવા માટે 9 સભ્યોની કો-ઓર્ડિનેશન કમિટિએ નિર્ણય કર્યો છે કે, હવે ઉત્તરાખંડની એક ટીમ રણજી ટ્રોફીમાં રમશે.

અઢાર વર્ષ જેટલા લાંબા સમયની રાહ બાદ હવે ઉત્તરાખંડની રણજી ટ્રોફીમાં એન્ટ્રી થઇ છે. સોમવારે બેઠક દરમિયાન સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું કે, ઉત્તરાખંડ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરશે.

9 સભ્યોની સમિતિમાં રાજ્યના વિભિન્ન ક્રિકેટ સંઘોના 6 સભ્યો અને ઉત્તરાખંડ સરકારન એક નોમિનેટેડ સભ્ય હશે. આ સિવાય હાલમાં જ નિવૃત્ત થયેલા રત્નાકર શેટ્ટી સહિત BCCIના બે પ્રતિનિધિઓ હશે. વિનોદ રાયે જણાવ્યું કે, ઉત્તરાખંડના દરેક વિરોધી સંઘોએ પરસ્પરના મતભેદો ભૂલાવી દીધા છે. જેથી કરીને રણજી ટ્રોફીમાં રાજ્યની ટીમની ભાગીદારી નિશ્ચિત થાય. એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં BCCIના પ્રતિનિધિ પણ હશે. જે આગામી અઠવાડિયાથી કામ કરશે.


બેઠકમાં COA સભ્ય ડાયના એડૂલ્જી અને BCCIના CEO રાહુલ જોહરી પણ ઉપસ્થિત હતા. BCCIની ટેક્નીકલ સમિતિએ બિહાર અને પૂર્વોત્તરની ટીમને આગામી સત્રથી સામેલ કરવાનો નિર્ણય કર્યો છે જેથી રણજી ટ્રોફીમાં ટીમોની કુલ સંખ્યા 36 થશે.


અમેરિકાએ બનાવ્યુ દુનિયાનું સૌથી પાવરફુલ સુપર કોમ્પ્યુટર


- એક સેકન્ડમાં 2 લાખ ટ્રિલયન ગણતરી કરી શકે છે

- સુપર કોમ્પ્યુટરમાં 4608 સર્વર, એક કરોડ GBની મેમરી

અમેરિકન વૈજ્ઞાનિકોએ બનાવેલા દુનિયાના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટરને પહેલી વખત દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યુ છે.

આ સુપર કોમ્પ્યુટર એક સેન્ડમાં 2 લાખ ટ્રિલિયન(એક ટ્રિલયન એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણે એકડા ઉપર બાર મીંડા) ગણતરી કરી શકે છે. તેની આ ક્ષમતાના કારણે એનર્જી, એડવાન્સ મટિરિયલ, અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં રિસર્ચમાં નોંધપાત્ર મદદ મળશે.

અમેરિકાના એનર્જી વિભાગની ઓક રિજ નેશનલ લેબોરેટરી દ્વારા આ કોમ્પ્યુટર બનાવાયુ છે. જેને સમિટ નામ આપવામાં આવ્યુ છે. અગાઉના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ટાઈટન કરતા પણ તે આઠ ગણુ વધારે પાવરફુલ છે.


કોમ્પ્યુટરમાં 4608 સર્વર જોડવામાં આવ્યા છે. દરેક સર્વર 22 કોર આઈબીએમ પાવર 9 પ્રોસેસરથી સજ્જર છે. કોમ્પ્યુટરની મેમરી 10 પેટાબાઈટ છે (એક પેટાબાઈટ બરાબર 10 લાખ જીબી)