શનિવાર, 8 સપ્ટેમ્બર, 2018

ભગવતીકુમાર શર્મા - ગુજરાતી ભાષાના સાહિત્યકાર
Image result for bhagwatikumar sharma
ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી.

તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના  અધ્યક્ષ રહ્યા હતા.

નવલકથા
·         અસૂર્યલોક (૧૯૮૭) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા)
·         ઊર્ધ્વમૂલ (૧૯૮૧)
·         સમયદ્વીપ
·         આરતી અને અંગાર
·         વીતી જશે આ રાત?
·         રિક્તા
·         ના કિનારો ના મઝધાર
·         વ્યક્તમધ્ય

નવલિકા
·         દીપ સે દીપ જલે
·         હૃદયદાનં
·         રાતરાણી
·         છિન્ન ભિન્ન
·         અડાબીડ
·         વ્યર્થ કક્કો - છળ બારાખડી
·         તમને ફૂલ દીધાનું યાદ

નિબંધ
·         શબ્દાતીત
·         બિસતંતુ
·         અન્ય ફેરફાર કરો
·         સંભવ (છંદો)
·         પાંદડાં જેનાં (કાવ્ય સંગ્રહ)
·         ઉજાગરો (કાવ્ય સંગ્રહ)
·         સરળ શાસ્ત્રીજી (જીવન ચરિત્ર)
·         નિર્લેપ (ભાગ-૧,,,૪) (હાસ્ય લેખો)
·         સાત યુગોસ્લાવ વાર્તાઓ (અનુવાદ)
·         આષાઢનો એક દિવસ નામના (અનુવાદ)
·         શ્વાસ ઉચ્છ્વાસ (સંપાદન)
·         ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ (સંપાદન)

તેમને ૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ૧૯૮૮માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.૧૯૯૯માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. ૨૦૦૩માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો.

૧૯૯૯માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. ૨૦૧૭માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.

International Literacy Day


મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકાઈ ખેડૂતો માટેની વોઇસ મેસેજ સર્વિસ
 Image result for voice message service for farmer by reliance
રાજ્યનાં 1.8 લાખ ખેડૂતો આ વિનામૂલ્યે સેવાનો લાભ લઈ શકશે, રિલાયન્સ ફાઉન્ડેશન કરશે સંચાલન

ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યનાં 1 લાખ 8 હજાર ખેડૂતોને ખેતીની માહિતી મળી રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશનની વોઇસ મેસેજ સર્વિસ સેવાને વિનામુલ્યે શરૂ કરવામાં આવી. રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ઈન્ફર્મેશન સર્વિસિસ કાર્યક્રમ હેઠળ રાજયમાં ખેતી, પશુપાલન, મત્સ્યોધ્યોગ, આરોગ્ય અને રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીના ઉપયોગથી વોઇસ મેસેજ, ટેક્સ્ટ એસ એમ એસ દ્વારા માહિતી 3 લાખ કરતાં પણ વધારે ખેડૂતો અને પશુપાલકો, યુવાઓ, માછીમારો ને મોબાઈલ દરરોજ પર વિનામુલ્યે આપવામાં આવે છે.

આ ઉપરાંત મોબાઈલ કોન્ફરન્સ, સમાચાર પત્રો, વોટ્સ એપ, જીઓ ચેટના મધ્યમ દ્વારા પણ માહિતી આપવામાં આવે છે. આ તમામ માહિતી રાજ્યની કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, રોજગાર વિભાગ પાસેથી મેળવીને સમયસર ટેક્નોલોજીના મધ્યમથી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં માહિતી પૂરી પાડવા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર 1800 419 8800 શરૂ કરવામાં આવ્યો છે. જેના ઉપયોગથી માહિતી મફત મેળવી શકે છે.

આજરોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ એગ્રી એશિયા સમિટનાં પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનની મોબાઈલ વોઇસ મેસેજ સેવાનો 1 લાખ 8 હજાર ખેડૂતોને શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોની વિગત આત્મા પ્રોજેકટ દ્વારા આપવામાં આવી હતી. આ માહિતી દાહોદ, નર્મદા, પંચમહાલ, મહીસાગર, પાટણ, સુરત, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને માટે શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ખેતીને લગતી માહિતી સમયસર ટેક્નોલોજીના માધ્યમથી ખેડૂતો સુધી પહોચે. તેના ઉપયોગ થકી ખેડૂતો બિયારણ, ખાતર, રોગ જીવાતની વૈજ્ઞાનિક માહિતી મેળવી તેનો ઉપયોગ કરી ખેતી ખર્ચ માં ઘટાડો કરી શકે અને તેમને આર્થિક ફાયદો થાય અને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં રિલાયન્સ ફાઉન્ડેશનનો પ્રયન્ત રહેલ છે.

12મીથી પ્રારંભ થનારો તરણેતરનો મેળો આ વર્ષે પ્લાસ્ટીક મુક્ત બનશે

Image result for tarnetar fair

-ચાર દિવસના મેળા સાથે ગ્રામીણ રમતોત્સવ

-જન આરોગ્ય જાળવવા માટે સ્વચ્છતાને પ્રાધાન્ય અપાશે પરંપરાગત ગાડા, પાવા અને અશ્વહરિફાઈનંઈ આયોજન


દરવર્ષની માફક આ વર્ષે થાન નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આગામી તા.૧૨થી ચાર દિવસના મેળાનો પ્રારંભ થશે. આ મેળાની મુખ્ય થીમ પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ અને સ્વચ્છતા આધારિત રાખવામાં આવી છે. 

શ્રાવણ મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળોએ યોજાતા લોકમેળામાં તરણેતરના ભાતીગળ પરંપરાગત મેળાનું સ્થાન વિશેષ રહ્યું છે. 
કબડ્ડી, લંગડી, ખો-ખો, રસ્સા ખેંચ, દોડ, કુદ, સહિતની વિવિધ રમતોનું આયોજન થશે તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગાડા હરિફાી, અશ્વ હરિફાઈ, છત્રી હરિફાઈ સહિતની સ્પર્ધાઓનું આયોજન થશે મેળામાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટીકનાં પાઉચનાં વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.