સોમવાર, 19 નવેમ્બર, 2018


જ્ન્મદિવસ

Image result for indira gandhi birthday

Image result for birthday of jhansi ki rani image

સુરતના હેરીટેજ પ્લેસ કિલ્લો અને મુગલસરાઇ હાલ નવા રંગરૂપમાં 



- આજથી હેરીટેજ વીકની ઉજવણી

- પોર્ટુગીઝોની કોઠી સામે સ્થપાઇ હતી મુગલસરાઇ

શહેર પર થતાં વારંવારના આક્રમણને ખાળવા કિલ્લો બનાવાયો હતો

સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું  શહેર સુરત પોતાનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે સુરત મુખ્ય બંદર બની રહ્યું.૧૯થી ૨૫ મી નવેમ્બર સુધી જ્યારે હેરિટેજ વીકની ઉજવણી થઇ રહી છે ત્યારે સુરતના મહત્વની હેરિટેજ જગ્યાઓ  પહેલા કરતા ઘણી બદલાઈ ચુકી છે.
મુગલસરાઇ 
૧૬મી સદી દરમિયાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચૂકી હતી, જેથી અનેક વિદેશી પ્રજાઓ પોતાનો વેપાર વિક્સાવવા માટે અહીં આવવા લાગી. તેમાં અરબો, ડચ ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને બ્રિટીશરો મુખ્ય હતાં. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦નાં રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ સુરત બંદરે વેપાર કરવાનાં ઉદ્દેશથી આવ્યું અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથી જ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ યેનકેન રીતે તેમને અટકાવવાની કોશિશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝોની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી. અને મુગલસરાઈ ની સ્થાપના કરી હતી. આ હેરીટેજ પ્લેસ હાલ નવા રૂપરંગમાં જોવા મળે છે. અને અહીં હાલ સુરત મ્યુનિ.ની મુખ્ય કચેરી ચાલે છે. 
કિલ્લો
શહેરમાં ૧૬મી સદીનો કિલ્લો છે. આ કિલ્લાને રીનોવેશન કરાવીને નવા રૂપ રંગ આપવામાં આવ્યા છે અને આજે પણ આ કિલ્લાની ખૂબસુરતી યથાવત  છે.કિલ્લાનું પણ પોતાનું આગવું મહત્વ છે જે સુરતના ઇતિહાસનો સાક્ષી  છે. કિલ્લાનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશથી શહેર પર થતાં વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંન્યો હતો. તેણે આ કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઇતિહાસકારોના મત પ્રમાણે સુરત આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું બંદર હતું. બાર્બોસા નામના પોર્ટુગીઝ પ્રવાસીએ ઇ.સ. ૧૫૧૪માં ગુજરાતની મુલાકાત દરમિયાન સુરતને બધાજ પ્રકારના વ્યાપાર માટેનું અને રાજાને મહત્વની આવક મોકલતું કેન્દ્ર તેમજ મલબાર અને અન્ય બંદરો સાથે વ્યાપાર કરતું દર્શાવ્યું હતું.  

બાર્બોસાની મુલાકાતના ટૂંકા સમય પછી પોર્ટુગીઝોએ સુરત પર હુમલો કર્યો હતો. ઇ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝ ચાંચિયાઓએ તેમના સરકાર એન્ટોનિયો ડા સિલ્વરીઆની આગેવાની હેઠળ સુરત પર આક્રમણ કર્યું હતું અને શહેરને બાળ્યું હતું. ૧૫૩૧માં ફરીથી તેમણે સુરત પર આક્રમણ કર્યું હતું. અમદાવાદના રાજા સુલ્તાન મહમૂદ ત્રીજાએ આ હુમલાઓને ખાળવા મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ તેણે ખુદાવંદ ખાનને સોંપ્યું હતું. રીનોવેશન કરાયેલા આ કિલ્લાને હાલ મ્યુનિ.હેરીટેજ તરીકે સાચવણી કરી રહ્યું છે. 



સુરતનું સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ એટલે ગોપી તળાવ

 
તાપી ના કિનારે વસેલું સુરત શહેર જે એક એતિહાસિક શહેર છે. જેમાં ઘણી હેરિટેજ જગ્યાઓ છે. જે આજે પણ હયાત છે. લોકો તેના પરથી સુરત નો ઇતિહાસ અને સુરતના મહત્વ જાણી શકે છે. સુરતની ખૂબસૂરતીમાં વધારો કરતું કિલ્લા બાદ મહત્વનું સ્થળ ગોપી તળાવ છે. સુરતના સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. આજે આ તળાવ ને નવેસરથી બાંધી ને લોકો માટે એક ફરવાના સ્થાન તરીકે ડેવલોપ કરવામાં આવ્યું છે.
ગોપીતળાવ ઈ. સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર અઠ્ઠાવન એકર જેટલો હતો. તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતા, જેમાંથી તેર બાજુએ તળિયા સુધી પહોંચી શકે તેવાં પગથિયાં વગરનો ઢાળ હતો.
તળાવમા શિવમંદિર બાંધવામાં આવ્યું હતું, આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાએ ગોપીતળાવને ફરી એક વાર ઐતિહાસિક રૂપ આપવા કમર કસી હતી. આખરે આ તળાવ તૈયાર થઇ ગયું અને સુરતને નવું નજરાણું મળ્યું છે.
સમગ્ર સુરતને એક સમયે જે તળાવમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તે તળાવ મૃતપ્રાય અવસ્થામાં પહોચી ગયું હતું. પરંતુ તેના સુંદર રીનોવેશને તેના ઐતિહાસિક મુલ્યોમાં વધારો કર્યો હતો. અને તેમાં પણ કલા ઉત્સવના સંગીતમય કાર્યક્રમો અને રંગબેરંગી રોશનીએ ગોપી તળાવની સુંદરતામાં ચાર ચાંદ ઉમેર્યા હતા.
ગોપીકલા ઉત્સવ સમયે ગોપીતળાવમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડે છે. જેથી લોકો આ ઉત્સવનો આનંદ માણી શકે. કલા ઉત્સવ દરમિયાન સાંજના સમયે ખાસ સ્ટેજ શોનું આયોજન કરવામા આવે છે. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ક્રૃતિઓ રજુ કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ગોપીતળાવમાં દર ડિસેમ્બરમાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

વડનગરમાં તાનારીરી મહોત્સવમાં પાંચ મિનીટમાં 21 રાગ ગાવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

-વડનગરમાં બે દિવસીય તાનારીરી મહોત્સવનું સમાપન

-ગિનીઝ બુક ઓફ વર્લ્ડની ટીમ સ્વરાધિકા ધારી પંચમદાની કળા માણી અભિભૂત બની


માત્ર પાંચ  જ મિનીટમાં વિવિધ ર૧ રાગ ગાવાની ઘટનાને ગિનીઝ બુકમાં સ્થાન મેળવી વર્લ્ડ રેકોર્ડ કરવાની સાથે રવિવારે વડનગરમાં યોજાયેલા બે દિવસીય તાના-રીરી મહોત્સવનુ સમાપન કરવામાં આવ્યુ હતુ. 

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દેશમાં નૃત્ય અને ગીત સંગીત ક્ષેત્રના નામાંકીત કલાકારોને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

છેલ્લા ૧પ વર્ષથી વડનગરમાં આવેલી સંગીત બેલડી તાના-રીરીની યાદમાં બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૭ અને ૧૮ મી નવેમ્બરે તાનારીરી સમાધી સ્થળે યોજાયેલી 

તાનારીરી મહોત્સવ દરમિયાન નૃત્ય અને સંગીતનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો.
અકબર બાદશાહના નવરત્નો પૈકીના સંગીત સમ્રાટ તાનસેને દિપક રાગ ગાતા શરીરમાં ઉઠેલી અગનજવાળાઓ ઠારવા નાગર કન્યાઓ તાના-રીરીએ મેઘમલ્હાર ગાયુ હતુ. આ સંગીત બેલડીની યાદમાં છેલ્લા ૧પ વર્ષથી વડનગર ખાતે તાનારીરી મહોત્સવ ઉજવાય છે.

બે દિવસીય મહોત્સવના અંતિમ દિને મુંબઈના ગજાનનુ સાલુકેસ્વરાધીકા ધારી પંચમદા,પદ્મભૂષણ ડૉ. 

શ્રીમતી એન.રાજમસંગીતકાર સુશ્રી સાધના સરગમઋષિકેશ સેનુદા જેવા દેશના પ્રખ્યાત કલાકારો દ્વારા 

શરણાઈ વાદનવાંસળી વાદનગીતોવાયોલીન વાદનઅને કલાત્મક નૃત્યો રજુ કરવામાં આવ્યા હતા.
સંગીત અને ભારતીય સંસ્કૃતીને દર્શાવતા નૃત્યોના અદભુત સમન્વય નિહાળી આ વિસ્તારના હજારો સંગીતપ્રેમીઓ અભિભૂત બન્યા હતા.

સળંગ ર૧ રાગ રજુ કરી સૌને ડોલાવ્યા
સ્વરાધિકા ધારી પંચમદાએ વડનગર ખાતે રાગ જોગથી શરૃ કરીને ભૈરવીબૈરાગીબસંતબુખારી,ભૈવરલલીતબીલાવલહિંડોલગુર્જરતોડીમુળતાનીમધુમતીભોપાલીયમનપૂર્વકલ્યાણ,મારવાવાચસ્પતિકલાવતીરાજેશ્રીગોરખ કલ્યાણશિવરંજનીદરબારીમાલકૌશ અને છેલ્લેે રાગ ભેરવી ગાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.


વિમેન્સ વર્લ્ડ બોક્સિંગમાં મેરી કોમનો વિજયી પ્રારંભ


- ભારતની ચાર બોક્સરો ક્વાર્ટર ફાઈનલમાં

- લોવલીના અને ભાગ્યવતી પણ અંતિમ આઠમાં પ્રવેશ્યા : સરિતા દેવીનો પ્રિ-ક્વાર્ટરમાં પરાજય


પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી ભારતની ૩૫ વર્ષીય મહિલા બોક્સર મેરી કોમે ઘરઆંગણે શરૃ થયેલી વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વિજયી પ્રારંભ કર્યો હતો. મેરી કોમે ૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં વિજયી પંચ સાથે શુભારંભ કરતાં કઝાખ્સ્તાનની એ. ક્લાસેનાયેવાને ૫-૦થી હરાવી હતી. આ જીતની સાથે મેરી કોમે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. મેરીની સાથે ભારતની અન્ય ત્રણ બોક્સરો પણ અંતિમ આઠમાં પ્રવેશી હતી, જેમાં મનીષા મૉન, લોવ્લીના બોર્ગોહાઈન અને ભાગ્યવતી કચારી સમાવેશ થાય છે. 



પંકજ અડવાણીએ બિલિયર્ડઝમાં ડબલ ટાઈટલ સાથે ૨૧મી વર્લ્ડ ચેમ્પીયનશીપ જીતી

 


- બિલિયર્ડ્ઝના લોંગ ફોર્મેટની ફાઈનલમાં ભારતના બી. ભાસ્કરને હરાવ્યો

- અડવાણીએ રેકોર્ડ ચોથી વખત વર્લ્ડ બિલિયર્ડઝમાં બેવડા ટાઈટલ મેળવ્યા


ભારતના લેજન્ડરી ક્યુઈસ્ટ પંકજ અડવાણીએ મ્યાનમારમાં રમાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપમાં શોર્ટ બાદ લોંગ ફોર્મેટમાં પણ ચેમ્પિયનશીપ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે અડવાણીએ ક્યુઈસ્ટ તરીકેની કારકિર્દીમાં નવી ઉંચાઈ હાંસલ કરતાં કારકિર્દીનું ૨૧મું વર્લ્ડ ટાઈટલ હાંસલ કર્યું હતું. જ્યારે આઇબીએસએફની વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપમાં પંકજે ચોથી વખત શોર્ટ અને લોંગ એમ બંને ફોર્મેટમાં ટાઈટલ જીતીને 'ગ્રાન્ડ ડબલ'ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 



એક ભારતીયના પ્રયાસના કારણે હવે ઉજવાય છે ઈન્ટરનેશનલ મેન્સ ડે

 Image result for international men's day
ઘણાને ખબર નહી હોય પણ આજે ઈન્ટરનેશનલ મેન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રિય પુરુષ દિવસ છે.
પરિવારથી માંડીને સમાજમાં પુરુષનુ પણ યોગદાન હોય છે.જોકે એ વાત અલગ છે કે પુરુષો પોતાની લાગણીઓને અસરકારક રીતે વ્યક્ત કરી શકતા નથી.આમ છતા તે પોતાની ફરજને ઈમાનદારીથી નિભાવવાનો પ્રયત્ન કરતા હોય છે.
પુરુષોના યોગદાનની નોંધ લેવા માટે અમેરિકાની મિસોરી યુનિવર્સિટીના અધ્યાપક થોમસ યોસ્ટરે પ્રયત્નો કર્યા બાદ પહેલી વખત 1992માં આંતરાષ્ટ્રિય પુરુષ દિવસની ઉજવણી કરાઈ હતી.જોકે 1995 આવતા સુધીમાં આ ઉજવણી બંધ થઈ ગઈ હતી.કારણકે તેમાં કોઈએ ઝાઝો રસ બતાવ્યો નહતો.
એ પછી ત્રિનીદાદ એન્ડ ટોબેગોના ભારતીય મૂળના નાગરિક ડો.જિરોમ તિલકસિંહે ફરી પુરુષ દિવસના સેલિબ્રેશનના પ્રયાસો શરુ કર્યા હતા.તેમનુ માનવુ હતુ કે સમાજમાં પુરુષોનુ આત્મસન્માન પણ જળવાવુ જોઈએ અને તેમને પડતી સમસ્યાઓનુ પણ સમધાન થવુ જોઈએ.તેમને લાગ્યુ હતુ કે તેમના માટે સૌથી સન્માનિય તેમના પિતા છે.એટલે તેમણે તેમના પિતાના જન્મ દિવસ 19 નવેમ્બરને મેન્સ ડે તરીકે ઉજવવાનુ વિચાર્યુ હતુ.
1989માં પહેલી વખત ફુટબોલ વર્લ્ડકપમાં ટ્રિનિડાડની ટીમે ક્વોલિફાય કર્યુ હત અને આ પણ 19 તારીખનો જ દિવસ હતો.એટલે જિરોમે 19 નવેમ્બરને આંતરરાષ્ટ્રિય પુરષ દિવસ જાહેર કરવાના પ્રયાસો કર્યા હતા.જિરોમના પ્રયાસના પગલે યુનેસ્કોએ 19 નવેમ્બરને પુરુષ દિવસ જાહેર કરી દીધો હતો.
આજે દુનિયાના 70 દેશોમાં પુરુષ દિવસની ઉજવણી કરાઈ છે.ભારતમાં પહેલી વકત 2007માં પુરુષ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ


દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ KMP એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કુંડલી-મનેસર-પલવલ(KMP) એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ. એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરવાની સાથે જ વડાપ્રધાને ગુરુગ્રામમાં રેલીને સંબોધિત કરી. આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટનની સાથે જ હવે રાજધાની દિલ્હીને બહારથી આવનાર વાહનોથી રાહત મળશે. એક્સપ્રેસ-વેની મદદથી રાજધાનીને પ્રદૂષણથી રાહત મળશે.

આ રૂટ ખુલ્યા બાદ દિલ્હીમાં પ્રદૂષણ ઘટવાની સંભાવના છે કેમ કે રાષ્ટ્રીય રાજધાનીમાં આવનાર ટ્રકોને એક બાઈપાસ રસ્તો મળી જશે. એક્સપ્રેસનો 53 કિલોમીટર ભાગ પહેલાથી ચાલુ છે પરંતુ સોમવારે આખા રસ્તાનું ઉદ્ધાટન થયા બાદ કુલ 136 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રાફિક શરૂ થઈ જશે.
2009માં એક્સપ્રેસ-વેની કંન્સટ્રક્શન કંપનીએ પોતાનુ કામ રોકી દીધુ હતુ પરંતુ કેન્દ્ર સરકાર વચ્ચે બચાવ બાદ 2016માં કામ ફરી શરૂ થયુ. આ સાથે જ ચાર લેનના પ્રસ્તાવિત આ એક્સપ્રેસ વેને 6 લેનમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો હતો.