શનિવાર, 12 જાન્યુઆરી, 2019


ઈસરોની ઈચ્છા મહિલાને અવકાશમાં મોકલવાની છે, જાણો ક્યારે લોન્ચ થશે ગગનયાન મિશન


ભારતની અવકાશી સંસ્થા ઈસરો દ્વારા ભારતના પહેલા સમાનવ અવકાશી મિશન ગગનયાન માટે જોર શોરથી તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.ઈસરોની ઈચ્છા આ ઐતહાસિક મિશનમાં મહિલાને અવકાશમાં મોકલવાની છે.

ઈસરોના પ્રમુખ કે સિવાને કહ્યુ હતુ કે ઈસરોએ આ વર્ષે 2 જીએસએલી અને એમકે 3 લોન્ચ કર્યા છે.આ સિવાય સૌથી ભારે સેટલાઈટ જીસેટ 11 પણ લોન્ચ કરાયો છે.ઈસરો પાસે હાલમાં 158 પ્રોજેક્ટ છે.જેમાંથી 94 પુરા થઈ ગયા છે.જમ્મુ યુનિવર્સિટીમાં સાયન્સ સેન્ટરની પણ સ્થાપના કરાઈ છે.

કે.સિવાને કહ્યુ હતુ કે ઈસરો માટે 30000 કરોડ રુપિયા મંજૂર કરાયા છે,જેમાંથી 10000 કરોડ રુપિયા તો ગગનયાન મિશન માટે છે.જે આગામી વર્ષોમાં ખર્ચાશે.આ સિવાય ઈસરોએ આ વર્ષે 20000 લોકોને રોજગારી આપી છે.

ઈસરો ચીફે કહ્યુ હતુ કે ગગનયાન મિશનમાં માનવીય અને એન્જિનિયરિંગ એમ બે પાસાની પરીક્ષા થશે.આ મિશન માટે એક નવુ સેન્ટર પણ બનાવાયુ છે.2020માં પહેલુ મિશન અને 2021માં બીજા મિશનની તૈયારી પુરી થશે.એ પછી ડિસેમ્બર 2021માં ગગનયાન મિશન હાથ ધરાશે.આગામી વર્ષ માટે પ્લાન થયેલા 32 મિશન પૈકીના 14 લો્ન્ચ વ્હિકલ સાથે જોડાયેલા છે.

તેમના મતે ગગનયાન માટે ભારતમાં થનારી ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે.સંભવિત અવકાશયાત્રીઓને વધુ તાલીમ માટે રશિયા મોકલી શકાય છે.ઈસરો ઈચ્છે છે કે આ મિશન માટે કોઈ ભારતીય મહિલાને મોકલવામાં આવે.જોકે તે ટ્રેનિંગ પર નિર્ભર કરે છે. હાલમાં તો મહિલા અને પુરષ એમ બંનેને તાલીમ આપવામાં આવી રહી છે.

 
પક્ષીઓ માટે કરુણા અભિયાનનો અમદાવાદમાં પ્રારંભ


ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન ની શરૂઆત કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે અમદાવાદ થી રાજ્ય વ્યાપી કરૂણા અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો.

10 થી 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ માં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે પક્ષીઓની પણ માણસ જેટલી જ ચિંતા કરી કાળજી લે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અબોલા પક્ષીઓ નાં જીવ બચાવી અહિંસક અને કરૂણા સભર ગુજરાત બનાવવા ની નેમ પણ વ્યક્ત કરી હતી. વધુ માં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કરૂણા અભિયાન દ્વારા છેલ્લા બે વર્ષ માં 40 હજાર જેટલા પક્ષીઓ ને બચાવી શકાયા છે.


1901માં સેમ્યૂઅલે પતંગ વડે ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી



1901માં શોધાયેલી આ પતંગ કોડી વોર કાઇટના નામથી જાણીતી બની હતી


16 ઓકટોબર 1908ના રોજ બ્રિટનમાં એરોપ્લેન ઉડાડનાર પ્રથમ વ્યકિત પણ હતો


 
પતંગ આજે ભલે મનોરંજનનું સાધન બની હોય પરંતુ ઇસ ૧૯૦૧માં બ્રિટનના સેમ્યુઅલ કોડીએ પતંગની મદદથી બોટ વડે અઘરી ગણાતી ઇગ્લીશ ચેનલ પાર કરી હતી. ઇસ ૧૮૬૭માં ડેવનપોર્ટ લોવામાં જ્ન્મેલા સેમ્યૂઅલને એક ચાઇનિઝ કુકે પતંગના નિયમો સમજાવીને પતંગ ચગાવતા શિખવ્યું હતું.

કોડી સેમ્યુઅલને ઉડતી પતંગને બળ કરતી જોઇને આ શકિતનો ઉપયોગ કશુંક લિફટ કરવા માટે કરવાનો વિચાર આવ્યો હતો.તેને કેટલાક મિત્રો અને પતંગ રસિયાઓની મદદથી આને લગતા પતંગ પ્રયોગો અને શો શરૃ કર્યા હતા.૧૯૦૧માં પતંગની લિફટિંગ ક્ષમતામાં અનેક પ્રકારના સુધારા વધારા કરી સિંગલ દોરી વડે એક કરતા વધુ પતંગો ઉડાડી શકાય એવી ટેકનિક શોધી હતી.પોતાની આ શોધની ૧૯૦૧માં પેટન્ટ કરાવી હતી.ત્યાર બાદ આ પતંગ કોડી વોર કાઇટના નામથી જાણીતી બની હતી.

કોડીની આ વિશિષ્ટ પતંગને બ્રિટનના હવામાન વિભાગે પણ માન્ય રાખી તો અને રોયલ મિટિરિઓલોજી સોસાયટીએ પણ બિરદાવી હતી. કોડીએ પતંગની આ ડિઝાઇનને બ્રિટનની વોર ઓફિસને ઓફર કરી હતી.આ વોર કાઇટનો થોડો ઉપયોગ બીજા બોઅર યુદ્ધ દરમિયાન પણ થયો હોવાનું માનવામાં આવે છે.

પતંગની લિફટિંગ ક્ષમતા ચકાસવા માટે કોડીએ લંડનમાં ૨૦૦૦ ફૂટની ઉંચાઇએ એક કરતા અનેક વાર પતંગ પ્રયોગો કર્યા હતા.૧૯૦૩માં એલેકઝાન્ડર પેલેસ ખાતે કોડીની પતંગનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. એ સમયની ડબલ લાઇનિંગ કેનવાસવાળી બેરથન બોટમાં પતંગનો ઉપયોગ કરીને ઇગ્લીશ ચેનલ પણ પાર કરી હતી.એ સમયે હવામાન જાણવા તથા બલૂન મિલિટરી ઓબર્ઝવેશન માટે સાવ સાદી રચના ધરાવતા બલૂનનો પ્રાથમિક ધોરણે ઉપયોગ પ્રચલિત હતો.



જે સહેજ પવન વધી જાય તો પણ સાવ નકામા બની જતા હતા. એટલું જ નહી તે ૧૬ ઓકટોબર ૧૯૦૮ના રોજ બ્રિટનમાં એરોપ્લેન ઉડાડનાર પ્રથમ વ્યકિત પણ હતો. સેમ્યુઅલના એર સાયન્સને લગતા પ્રયોગોને કારણે જ બલૂન તથા હેલિકોપ્ટરને લગતી શોધ વધુ સરળ બની હતી. આ ઉપરાંત ૧૬ ઓકટોબર ૧૯૦૮ના રોજ બ્રિટનમાં એરોપ્લેન ઉડાડનાર તે પ્રથમ વ્યકિત પણ હતો.

 

સોમનાથમાં ભગવાન સૂર્યની તપસ્યા કરી મહર્ષિ યાજ્ઞાવલ્કયે મેળવ્યો હતો યજૂર્વેદ

 Image result for kite

- સોમનાથ તીર્થ છે સૂર્ય ઉપાસનાની ભૂમિ

- ભાસ્કર તીર્થ તરીકે ઓળખાતા પ્રભાસ ક્ષેત્રમાં એક સમયે હતા ૧૬ સૂર્યમંદિરો

- હજુ ૨થી ૩ સૂર્ય મંદિરો હયાત

 

સૂર્યદેવનું મહાપર્વ છે મકરસંક્રાન્તિ સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ- પ્રભાસ ખંડમાં ૧૬ સૂર્ય દેવતાઓના મંદિરો હતા. સૂર્યનું એક નામ ભાસ્કર પણ  છે. પ્રભાસ એક સમયે ભાસ્કર તિર્થ તરીકે પણ ઓળખાતું. જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી સ્થિત થયા તે વખતે અપાયુ હતું. આ ઉપરાંત મહર્ષિ યાજ્ઞાવલ્કયે સોમનાથમાં ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજૂર્વેદ મેળવ્યો હતો.

એક વાયકા મુજબ યજુર્વેદાચાર્ય યાજ્ઞાવલ્ક્ય મહર્ષિએ સોમનાથમાં તપસ્યા કરી હતી અને આ રીતે તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજુર્વેદ મેળવ્યો હતો અને પ્રભાસના હિરણ-સરસ્વતી અને કપિલા નદીના સંગમ ઉપર સૂર્યનારાયણની અર્ધવર્તુળાકાર દ્વાદશ મૂર્તિ સ્થાપી અને તે પછી વિશ્વામિત્ર સરોવરમાં મૂર્તિ સાથે ઊભા રહી તપશ્ચર્યા કરી અને શ્રાવણ સુદ ૧૪ પૂર્ણિમાએ મધ્યાન્હે તેમને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું અને યાજ્ઞાવલ્ક્યે સૂર્યનારાયણની સ્તુતિ કરી જે આજે પણ સૂર્ય સ્ત્રોત્રમાં ઉલ્લેખ હોવાનું મનાય છે.

ભારત વનપર્વ અધ્યાય ૮૨મા જણાવાયેલ મુજબ સૂર્ય આ પ્રદેશમાં પોતાની પૂર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઓ પૈકી બાર કળાઓ સૂર્યમંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસખંડમાં લખાયો છે. તેવાં બાર સૂર્ય મંદિરો વેદકાળમાં હતા જે કાળક્રમે લુપ્ત થયા છે. અને હાલ બેથી ત્રણ જેટલા સૂર્ય મંદિરો હજુયે યથાવત છે. તે સમયે ઊંચા મકાનો તેની આસપાસ ન હોવાને કારણે સૂર્યોદયના પ્રથમ સીધા કિરણો તેની ઉપર પડતા.

સોમનાથ તિર્થમાં ૧૬ સૂર્ય મંદિરો

ઈતિહાસકાર સ્વ. શંભુપ્રસાદભાઈ દેસાઈએ પ્રભાસ-સોમનાથમાં ઉલ્લેખ કરેલ ૧૬ સૂર્યમંદિરોમાં સાંમ્બાદિત્ય સૂર્યમંદિર- સોમનાથથી ઉત્તરે, વર્તમાનમાં હાલ શાક મારકેટ પાસે ત્યાં મ્યુઝીયમ છે, સાગરાદાત્ય સૂર્યમંદિર- ત્રિવેણી માર્ગે હાલ છે, ગોપાદિત્ય સૂર્યમંદિર- રામપુષ્કરથી ઉત્તરે- હાલ નથી, ચિત્રાદિત્ય સૂર્યમંદિર- બ્રહ્મકું પાસે, ભાટીયા ધર્મશાળા પાછળ હશે, હાલ નથી. રાજભટ્ટાક સૂર્ય મંદિર- સાવિત્રી પાસે, સાહુના ટીંબા ઉપર કે પાસે સંભાવના, હાલ નથી. નાગરાદિત્ય સૂર્યમંદિર- નદી તટે, વર્તમાન ટીંબા પાસે જુનું મંદિર. નંદાદિત્ય સૂર્યમંદિર- નગર ઉત્તરે- કનકાઈ માર્ગે સંભવતઃ, હાલ નથી. કંર્કોટ કાક સૂર્યમંદિર- સમુદ્ર તટે શશિભૂષણ પૂર્વે - હાલ નથી. દુર્વા આદિત્ય સૂર્યમંદિર- યાદવાસ્થળીમાં- હાલ નથી. મુળ સૂર્યમંદિર- સુત્રાપાડામાં- હાલ છે. પર્ણાદિત્ય સૂર્યમંદિર- ભીમદેવળ - હાલ છે. બાર્લાક સૂર્યમંદિર- પ્રાચીના ગાંગેચા પાસે, હાલ નથી. આદિત્ય સૂર્યમંદિર- ઊંબા પાસે ૧૬ માઈલ દૂર- હાલ છે, મકલ સૂર્યમંદિર- ખોરાસા પાસે- હાલ નથી. બકુલાદિત્ય સૂર્યમંદિર- ઉના દેલવાડા વચ્ચે, હાલ નથી. નારદાદિત્ય સૂર્યમંદિર- ઉના ગામે, હાલ નથી.