મંગળવાર, 26 નવેમ્બર, 2019


મુંબઇ હુમલો : 11 મી વર્ષગાંઠ પર 26/11 ના શહીદોને રાષ્ટ્ર યાદ કરે છે
 
આ હુમલામાં 166 લોકોએ ગુમાવ્યા હતા જીવ
આજે 26 નવેમ્બરના રોજ મુંબઈ હુમલાને 11 વર્ષ પૂરા થયા છે. નોંધનીય છે કે, આ એ તારીખ છે જ્યારે મુંબઈમાં એક આંતકી હુમલો થયો અને જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર 10 આતંકીઓએ 60 કલાક સુધી ચાલેલ આ હુમલામાં અનેક 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા. આજના દિવસે સમગ્ર રાષ્ટ્ર શહીદોને યાદ કરે છે. 



આજે બંધારણની 70મી વર્ષગાંઠ, દેશભરમાં વિવિધ કાર્યક્રમો


26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં લાગુ થયું હતું દેશનુ બંધારણ
દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ અપનાવ્યું હતું. બંધારણની જોગવાઈ 26 નવેમ્બર 1950થી સંપૂર્ણપણે લાગું થયું હતું. સંવિધાનના રચયતાના યોગદાન અંગે આભાર પ્રગટ કરવા અને તેમાં સામેલ ઉત્કૃષ્ટ મુલ્યો અને નિયમો પ્રત્યે લોકોને જાગૃત કરવા 26 નવેમ્બરને બંધારણ દિવસના રૂપે ઉજવવામાં આવે છે. આજનો બંધારણ દિવસ ખાસ છે, કેમ કે બંધારણને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આજે આ દિવસે સંસદના મુખ્ય ખંડમાં બંને ગૃહની સંયુક્ત બેઠક થશે, જેને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ સંબોધન કરશે.


Constitution Day



Constitution Day (National Law Day), also known as Samvidhan Divas, is celebrated in India on 26 November  every year to commemorate the adoption of the Constitution of India.