મંગળવાર, 25 જુલાઈ, 2017

ભીમ એપ...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-એનસીપીઆઇ-એ આજે કહ્યું હતું કે દેશમાં ૧.૬૦ કરોડ લોકોએ ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ એપ ડાઉનલોડ કર્યો છે અને  ૪૦ લાખ લોકો સક્રિય રીતે એનો ઉપયોગ  કરે છે તેમજ ટુંક સમયમાં એક નવું જ વર્ઝન લોંચ કરવામાં આવશે. ભીમ એપ સરળ, સાદુ અને ઝડપી ચૂકવણી કરવા માટેનું સમગ્ર દેશમાં એક સામાન્ય મંચ છે.

' ૩૦ ડીસેમ્બર, ૨૦૧૬ના રોજ શરૃઆત કરવામાં આવી હતી ત્યાર પછીથી ભીમ દ્વારા કરવા આવતા વ્યવહારમાં સતત વધારો જ થતો ગયો છે. ૧.૬૦ કરોડ  લોકોએ તેને ડોઉનલોડ કર્યો એ કંઉ નાની સૂની સિધ્ધી ના કહેવાય. દેશમાં હવે ડીજીટલ ટ્રાન્ઝેકશન રોકડ વ્યવહારને ઓછું કરી રહ્યું છે'એમ એનસીપીઆઇના વડા એ.પી.હોતાએ કહ્યું હતું.

હાલમાં એપનું ૧.૩ વર્ઝન ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે અને ટુંક સમયમાં ૧.૪ વર્ઝન પણ શરૃ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. હવે તો ભીમ રેફરલ યોજના પણ ઉપલબ્ધ છે જયાં હાલના ભીમના વપરાશકર્તાઓ નવા ગ્રાહકોને આનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપી શકે છે. તેઓ રિફર કરનારનું નામ પણ આપી શકે છે અને રિફર કોડ પણ મેળવી શકશે.


ભારતના 14માં રાષ્ટ્રપતિના રામનાથ કોવિંદ...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



ભારતના 14માં રાષ્ટ્રપતિના રૂપે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદની શપથ લીધી. ચીફ જસ્ટિસ ખેહરે તેમને રાષ્ટ્રપતિ પદની શપથ અપાવી.

નાનકડા ઘરમાં માટીના ઘરમાં ઉછર્યો છું. આપણો મોટા ભાગનો સમાજ જે જમીન સાથે જોડાએલો છે હું ત્યાંથી આવ્યો છું. દેશની માટીની કિંમત જાણું છું.

પ્રણવ મુખર્જીએ શુભકામના પાઠવી હતી અને શપથ ગ્રહણ પહેલા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું
આરંભ મોબાઇલ એપ્લિકેશન...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......





કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામ્ય રસ્તાઓની જાળવણી માટે અને સમુદાય કરાર માટે આરમભ મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો. પંચાયતી રાજના કેન્દ્રીય પ્રધાન, ગ્રામીણ વિકાસ, પીવાના પાણી અને સ્વચ્છતા લોન્ચ કરવામાં આવી હતી.


આરામ મોબાઇલ એપ્લિકેશનનો હેતુ, માર્ગની યાદી, શરત સર્વેક્ષણો અને ખર્ચ અંદાજ ઉત્પન્ન કરવા અને વાર્ષિક માર્ગ જાળવણી યોજનાઓની તૈયારી અને દેખરેખ માટેના અન્ય સંબંધિત ડેટા એક્ત્રિત કરવાનો છે. તેનો ઉપયોગ રાજ્ય સ્તરે સંસ્થાઓની સેવા વિતરણને વધારવામાં મદદ કરશે, જેમાં કામગીરી આધારિત ગ્રામ્ય રસ્તાઓ જાળવણી કરારનું અમલીકરણ કરવામાં આવશે.

FSSAI  ચાની બેગ (tea bags)માં સ્ટેપલર પીન પર મૂક્યો પ્રતિબંધ...
GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ જાન્યુઆરી 2018 થી ચાના બેગમાં સ્ટેપલર પિનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કલમ (15) FSS એક્ટ, 2006 હેઠળ FAASI એ પ્રતિબંધના આદેશમાં એવું માનવામાં આવ્યુ છે કે ચા સાથે અજાણતામાં પિવાયેલ કોઈપણ છૂટક સ્ટેપલ પિન એ આરોગ્ય માટે ગંભીર કારણ બની શકે છે.

FSSAI એ ફૂડ સિક્યુરિટીના નિયમન અને દેખરેખ હેઠળ ભારતમાં જાહેર આરોગ્યનું રક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર એક એજન્સી છે. FSSAI એ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ સ્થાપવામાં આવી હતી અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હસ્તક હેઠળ કામ કરે છે.


પાણીમાં તરતી પવન ચક્કી...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



વિશ્વની સૌપ્રથમ તરતી પવન ચક્કી ઉત્તર સમુદ્રના સ્કોટલેન્ડના કિનારે બંધાયેલ છે. 

હાઈવીન્ડ(HYWIND) તરીકે ઓળખાતા પવન ફાર્મ (WIND FARM), ટ્રાયલ પ્રોજેક્ટ છે, જેનો હેતુ 20,000 ઘરોને  ઊર્જા પુરી પાડવાનો છે.
ભારતના પ્રથમ ઉપગ્રહ 'આર્યભટ્ટ'ના જનક યુ.આર.રાવનું ૮૫ વર્ષે નિધન....

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



ઈસરોના પૂર્વ ચેરમેન અને દેશના જાણીતા વિજ્ઞાની પ્રોફેસર ઉડુપી રામચંદ્ર (યુ.આર.)રાવનું આજે ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના બેંગાલુરુ સ્થિત ઘરે મધરાતે ૩ વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. ૧૯૮૪થી ૧૯૯૪ સુધી દસ વર્ષ ઈસરોના ચેરમેન રહી ચૂકેલા પ્રોફેસર રાવ ભારતમાં ઉપગ્રહના જનક ગણાય છે. તેમની આગેવાનીમાં જ દેશનો પ્રથમ ઉપગ્રહ 'આર્યભટ્ટ' ૧૯૭૫માં તૈયાર થયો હતો. પ્રોફેસર રાવનો જન્મ ૧૯૩૨ની ૧૦મી માર્ચે કર્ણાટકના અંદામારુ ગામે થયો હતો.

શેડમાં પ્રથમ ઉપગ્રહ તૈયાર કર્યો

વિક્રમ સારાભાઈએ જ્યારે ૧૯૬૦-૭૦ના દાયકામાં યુવા વિજ્ઞાનીઓની ટીમ સાથે ભારતનો અવકાશ કાર્યક્રમ શરૃ કર્યો ત્યારે તેમાં યુવાન યુ.આર.રાવ પણ શામેલ હતા. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માં કામ કરતા રાવને સારાભાઈએ ઉપગ્રહની કમાન સોંપી હતી. સારાભાઈના અવસાન પછી યુ.આર.રાવે કુશળતાપૂર્વક દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કરી બતાવ્યો હતો. એ વખતે ઈસરો પાસે ઉપગ્રહ બનાવવા માટે આધુનિક કહી શકાય એવુ બિલ્ડિંગ પણ ન હતુ. માટે બેંગાલુરુના જીઆઈડીસીના શેડમાં વર્કશોપ તૈયાર કરી ત્યાં ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો.

મંગળયાનમાં સક્રિય હતા

ઈસરોમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ ઈસરોની સલાહકાર સમિતિમાં હતા અને સક્રિયપણે માર્ગદર્શન આપતા રહેતા હતા. જ્યારે મંગળયાન માટે વિજ્ઞાનીઓની ટીમ તૈયાર થઈ રહી હતી ત્યારે ઈસરોના ડિરેક્ટર રાધાકૃષ્ણન સૌથી પહેલા જઈને પોફેસર રાવને મળ્યાં હતા. રાવ સૌથી પહેલા મંગળયાનની ટીમમાં જોડાયા હતા. જોકે તેમને સક્રિય કામગીરી કરવાની ન હતી, પણ માર્ગદર્શકનો રોલ ભજવવાનો હતો.

અમેરિકા મુકીને ભારત આવ્યા હતા

૧૯૬૬માં ઈસરોમાં કામગીરી શરૃ કરીએ પહેલા તેઓ અમેરિકા હતા અને ત્યાં મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) તથા યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણાવતા હતા. વિક્રમ સારાભાઈના આગ્રહથી તેઓ દેશના અવકાશ કાર્યક્રમને આગળ ધપાવવા ભારત આવ્યા હતા. ગુજરાત સાથે તેમને અંગત નાતો હતો. અમેરિકાથી આવ્યા પછી તેઓ અમદાવાદમાં પીઆરએલમાં જોડાયા હતા. અહીં રહીને ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિજિક્સમાંથી તેમણે પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે બ્રહ્માંડ કિરણો પર ડોક્ટરેટ કર્યું હતું અને એ શોધનિબંધમાં તેમના ગાઈડ ડો.વિક્રમ સારાભાઈ હતા.

ઉપગ્રહોના વૈશ્વિક નિષ્ણાત

પ્રોફેસર રાવ સેટેલાઈટ ટેકનોલોજીના નિષ્ણાત તરીકે જગવિખ્યાત થયા હતા. માટે જ ૨૦૧૩માં તેમને 'ધ સોસાયટી ઓફ સેટેલાઈટ પ્રોફેશનલ્સ ઈન્ટરનેશનલ' દ્વારા અમેરિકામાં 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આવુ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય વિજ્ઞાની હતા. ભારત સરકારે તેમના જ્ઞાનની કદર કરીને ૧૯૭૬માં પદ્મભૂણષથી નવાજ્યા હતા, જ્યારે ૨૦૧૭માં પદ્મવિભૂષણનું સન્માન મળ્યું હતુ.

બ્રહ્માંડ કિરણોના અભ્યાસુ


ઈસરોના ચેરમેનકાળ દરમિયાન તેમણે ભારતનું સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલ વિકસાવવા પર ધ્યાન આપ્યું હતુ. સેટેલાઈટ ઉપરાંત કોસ્મિક રે એટલે બ્રહ્માંડમાં દૂરથી આવતા કિરણોના તેઓ અભ્યાસુ હતા. તેમણે ૩૫૦થી વધારે વૈજ્ઞાનિક સંશોધન પત્રો (રિસર્ચ પેપર) રજૂ કર્યા હતા. વડાપ્રધાન સહિતના આગેવાનોએ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ.