ગુરુવાર, 7 ડિસેમ્બર, 2017

મધ્યપ્રદેશ વિધાનસભાએ 12 કે તેથી ઓછી વયની છોકરીઓના બળાત્કાર પર મૃત્યુદંડની સજા જાહેર કરી
TAT-1 EXAM on 31st DECEMBER



મધ્યપ્રદેશ વિધાનસભાએ સર્વસંમતિથી દંડ વિધિ (મધ્યપ્રદેશ સંશાધન) વિધ્યાક, 2017 પસાર કર્યો છે, જે 12 વર્ષ કે તેનાથી નીચેની છોકરીઓને મૃત્યુ સુધી ફાંસી આપવામાં આવશે.


આ સાથે, મધ્યપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં આવા બળાત્કારના દોષિત લોકોએ ફાંસીનો સામનો કરવો પડશે. 

હવે બિલને તેમની મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે, જે પછી તે કાયદો બનશે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા આરબીઆઇએ ડેબિટ કાર્ડના MDR ચાર્જિસમાં ફેરફાર કર્યા
TAT-1 EXAM on 31st DECEMBER



- નાના અને મોટા વેપારીઓ માટે અલગ અલગ દરો

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડેબિટ કાર્ડના વ્યવહારો માટે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા એમડીઆર ચાર્જિસમાં ફેરફાર કર્યા છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સેવા માટે બેંકો દ્વારા વેપારીઓ પાસેથી વસૂલાતી રકમ એમડીઆર(મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) તરીકે ઓળખાય છે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સેવા માટે બેંકો દ્વારા વેપારીઓ પાસેથી વસૂલાતી રકમ એટલે  MDR : ૨૦ લાખ સુધીના ટર્નઓવરવાળા વેપારીઓ પાસેથી રૃ. ૨૦૦ની મર્યાદામાં ૦.૪૦ ટકા  MDR વસૂલ કરાશે : નવા દરો પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવશે : ૨૦ લાખથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓ પાસેથી ૧૦૦૦  મર્યાદામાં ૦.૯૦ ટકા  MDR વસૂલાશે

તાજેતરના નોટિફિકેશન અનુસાર ૨૦ લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ પાસેથી વ્યવહાર દીઠ ૨૦૦ રૃપિયાની મર્યાદામાં ૦.૪૦ ટકા એમડીઆર વસૂલ કરવામાં આવશે. જો ક્યુઆર(ક્વિક રિસ્પોન્સ) કોડથી પેમેન્ટ સ્વીકાર્યુ હશે તો વ્યવહાર દીઠ ૨૦૦ રૃપિયાની મર્યાદામાં ૦.૩૦ ટકા વસૂલાશે.

૨૦ લાખ રૃપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ પાસેથી વ્યવહાર દીઠ ૧૦૦૦ રૃપિયાની મર્યાદામાં ૦.૯૦ ટકા એમડીઆર વસૂલ કરવામાં આવશે. જો ક્યુઆર(ક્વિક રિસ્પોન્સ) કોડથી પેમેન્ટ સ્વીકાર્યુ હશે તો વ્યવહાર દીઠ ૧૦૦૦ રૃપિયાની મર્યાદામાં ૦.૮૦ ટકા વસૂલાશે. ડિજિટલ પેમેન્ટ માટે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે એમડીઆરના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


આરબીઆઇના નોટિફિકેશન અનુસાર નવા દરો પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવશે. નોટબંધી પછી ગયા ડિસેમ્બરથી  ૨૦૦ રૃપિયાના વ્યવહાર પર ૦.૨૫ ટકા એમડીઆર વસૂલવામાં આવતો હતો. ૧૦૦૦ રૃપિયાથી ૨૦૦૦ રૃપિયા સુધીના વ્યવહાર પર ૦.૫ ટકા એમડીઆર વસૂલવામાં આવતો હતો. નોટબંધી અગાઉ ૨૦૦૦ રૃપિયા સુધીના વ્યવહાર પર ૦.૭૫ ટકા અને ૨૦૦૦ રૃપિયાથી ઉપરના વ્યવહાર પર ૧ ટકા એમડીઆર વસૂલવામાં આવતો હતો.


અંગકોર વાટ પછી તાજમહેલ વિશ્વની બીજાક્રમની શ્રેષ્ઠ યુનેસ્કો વિરાસત
TAT-1 EXAM on 31st DECEMBER


- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના અભિપ્રાયોના આધારે યાદી બનાવાઇ

- યાદીમાં ચીનની દિવાલ અને પેરૃના માચુ પિચુનો પણ સમાવેશ

આગ્રામાં ભારતના આઇકોનિક સમાન  વિશ્વ પ્રસિધ્ધ સફેદ સંગેમરમરથી બનાવવામાં આવેલો પ્રેમનો પ્રતિક તાજ મહેલ યુનેસ્કોની વિશ્વની વિરાસતોમાં બીજી હેરિટેજ સાઇટ છે, એમ ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલે કહ્યું હતું.


જ્યાં દર વર્ષે ૮૦ લાખ પ્રવાસીઓ આવે છે તે તાજમહેલને મોગલ બાદશાહ શાહજહાંએ પત્નીની યાદમાં બનાવેલો. કમ્બોડિયાના અંગકોર વાટ પછી તાજમહેલનો ક્રમ આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના અભિપ્રાયો અને રેટિંગના આધારે પ્રવાસ આયોજન કંપનીએ આ યાદી તૈયાર કરી હતી.