બુધવાર, 24 ઑક્ટોબર, 2018

PM મોદીને પ્રતિષ્ઠિત સિયોલ પીસ પ્રાઈઝ એવોર્ડ અપાશે



વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેમ્પિયન્સ ઓફ અર્થનો એવોર્ડ મળ્યા બાદ હવે વૈશ્વિક અર્થતંત્રમાં યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત સિયોલ પીસ પ્રાઈસ (Seoul Peace Prize) એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.


સિયોલ પીસ પ્રાઈઝ કલ્ચરલ ફાઉન્ડેશનના વડા વોન ઈ હ્યોકે (Kwon E-hyock) કહ્યુ છે કે પીએમ મોદીને ભારત અને દુનિયામાં ધનિકો તેમજ ગરીબો વચ્ચેની ખાઈ દુર કરવાના કામ માટે આ સન્માન આપવામાં આવી રહ્યુ છે.

ફાઉન્ડેશને પીએમ મોદીના નોટબંધીના નિર્ણયની પણ પ્રશંસા કરી છે.