શુક્રવાર, 29 જૂન, 2018

ભારતના મહાન આંકડાશાસ્ત્રીય પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનું Google Doodle

 



- ભારતનાં મહાન આંકડાશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પ્રશાંતચંદ્ર મહાલનોબિસની 125મી જન્મજયંતી પર ગુગલ ડૂડલ

આંકડાશાસ્ત્રનાં ક્ષેત્રમાં તેમના અદ્વિતીય યોગદાન બદલ આજે તેમણે યાદ કરવામાં આવે છે.
પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનો જન્મ 29 જૂન આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેમના જન્મ દિવસ પર જાણીએ 10 અજાણી વાતો
1. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનો જન્મ 29 જૂન 1893 કલકતામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બ્રાહ્મો બોય્ઝ સ્કૂલ કલકતામાં થયું
2. 1993માં તેમણે કૈંમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિક અને ગણિત બન્ને વિષયની ડિગ્રી મેળવી.તેઓ ત્યાં એક માત્ર ભૌતિકવિજ્ઞાની હતા જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોઈ.
3.કેમ્બ્રિજ છોડ્યા પછી તેઓ પ્રેસિડેંસી કોલેજ કલકતામાં જોડાઈ ગયા જ્યાં તેમણે આંકડાશાસ્ત્ર ભણવાની શરૂઆત કરી.
4. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસએ પ્રેમાથા નાથ બેનર્જી,નિખિલ રંજન સેન અને આરએન મુખર્જી સાથે મળીને 17 ડિસેમ્બર 1931માં Indian Statistical Institute ની સ્થાપના કરી.
5. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસને પંચવર્ષિય યોજના માટે તૈયાર કરેલ ડ્રાફ્ટને કારણે પણ ઓળખવામાં આવે છે.
6. 1949નાં મંત્રીમંડળમાં આંકડાશાસ્ત્રીય સલાહકાર બન્યાં.તેમણે ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા તથા બેરોજગારી ખતમ કરવાના સરકારનાં મુખ્ય ઉદેશ્યને પૂર્ણ કરવાની યોજનાનું મોડેલ તૈયાર કર્યુ.
7. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસને અંતરની જાણકારી પ્રાપ્ત કરવામાં મહારથ હાંસલ કરેલ હતી.
8. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસ સેંપલ સર્વેનો કન્સેપ્ટ લાવ્યા હતાં. જેના આધારે આજે મોટી મોટી યોજનાઓ બનાવવામાં આવે છે.
9. 1968માં મહાલનોબિસને પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરાયા.
10. 28 જૂન 1972માં મહાન આંકડાશાસ્ત્રીય પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનું અવસાન થયું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો