મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2019

રાષ્ટ્રપતિ કોવિંદે પાંચ સંસ્થાઓને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કર્યા


- માનવીય સ્તંત્રતાને હાંસલ કરવાના વિચારો માટે ચાર વર્ષના પુરસ્કાર અપાય

હાલના સમયમાં પણ ગાંધીની સિસંગતતાને ઉજાગર કરતાં રાષ્ટ્રપતિએ આજે કહ્યું હતું કે ગાંધીજીના વિચારો થકી માનવીય સ્વતંત્રતા મેળવવાની ફિલોસોફીએ અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા.
વડા પ્રધાન મોદીની હાજરીમાં વર્ષ ૨૦૧૫.૨૦૧૬,૨૦૧૭ અને ૨૦૧૮ માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપતા તેમણે કહ્યું હતું કે  ગાંધીજી એક મહાન વિઝનરી હતા. 
વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી સાથે સંયુક્ત રીતે આક્ષયપાત્ર  ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલ તેમજ એકલ અભિયાન ટ્રસ્ટ તેમજ યોહેઇ સાસાકાવાને ગાંધી શાંતિ પુરસ્કાર અપાયો હતા. સંઘર્ષ માટે ગાંધી મોડેલ્સ અને ગાંધી વિચારોએ અનેક લોકોના જીવનમાં સિધ્ધીઓ અપાઇ હતી. આપણા સમયના અનેક લોકોને સિધ્ધીઓ મેળવવામાં મદદ કરી હતી.'
અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જૂનિ.થી દક્ષિણ આફ્રિકા નેલસન મંડેલા અને પોલેન્ડના લેચ વાલેચા સુધી અનેક મહાન લોકોએ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવી હતી અને તેમના વિચારોને અપનાવ્યા હતા. સમકાલીન માનવીય જીવનને સમજવામાં તેમના વિચારો ખૂબ જ ઉપયોગી બને છેએમ રાષ્ટ્રપતિ એ કહ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો