શુક્રવાર, 29 જૂન, 2018

સરકાર આજે લોન્ચ કરશે 125 રૂપિયાનો સિક્કો


ભારત સરકાર આજે 125 રુપિયાનો સિક્કો લોન્ચ કરવા માટે જઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના હસ્તે આ સિક્કો ચલણમાં મુકવામાં આવશે.
આ સિક્કો સરકારે મહાન સ્ટેટેસ્ટિશિયન અને વૈજ્ઞાનિક પ્રશાંતચંદ્ર મહાલનોબિસની યાદીમાં બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ પ્રસંગે 5 રૂપિયાનો નવો સિક્કો પણ ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર પડાશે.
પ્રશાંતચંદ્ર મહાલનોબિસની 125મી જન્મજયંતિ નિમિત્તે સરકારે તેમને આ સન્માન આપવાનુ નક્કી કર્યુ છે. પ્રશાંચંદ્રની યાદમાં તેમના જન્મદિવસ 29 જૂનને સ્ટેસ્ટિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
દેશમાં વસતી ગણતરી તથા અન્ય સર્વ કરનારી સંસ્થા ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના પ્રશાંતચંદ્ર મહાલનોબીસે કરી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો