બુધવાર, 4 એપ્રિલ, 2018


ગુજરાતની શૌચાલય યોજનાનું બિહારમાં માર્કેટિંગ


ગુજરાતમાં શૌચાલય યોજનાની જેમ બિહારમાં શૌચાલય યોજનાને અમલમાં મુકવા માટે કેન્દ્ર સરકારની સૂચનાથી વડોદરા અને આસપાસના સાત જિલ્લાઓના રાજ્ય સરકારના ૬૨ કર્મચારીઓને બિહાર મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં સરકારે જે રીતે ગ્રામ્ય વિસ્તારોને ખુલ્લામાં શૌચ કરવાનું બંધ કરાવી શૌચાલયો બનાવવાની યોજના અમલમાં મુકાઇ છે તેવી જ રીતે બિહારમાં પણ ખુલ્લામાં શૌચાલય પ્રથા બંધ કરાવવા માટે કેન્દ્ર સરકારે પ્રયત્નો કર્યા છે.

ગુજરાતની શૌચાલય યોજનાનુ માર્કેટિંગ કરવા માટે વડોદરા જિલ્લા તેમજ આણંદ, દાહોદ, પંચમહાલ, ગોધરા, નર્મદા અને મહિસાગર જિલ્લામાંથી ૬૨ કર્મચારીઓની ટીમ બિહાર પહોંચી ગઇ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો