બુધવાર, 4 એપ્રિલ, 2018


રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે બેટરી ઓપરેટેડ કાર


છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ,મુંબઇ માં વરિષ્ઠ પ્રવાસીઓ સહિત મહિલા પ્રવાસીઓને રાહત આપતો ઉપક્રમ મધ્ય રેલવેએ હાથમાં લીધો છે. મેલ/એક્સપ્રેસમાં આવતા પ્રવાસીઓ સામાન સાથે લઈ જવા માટે બેટરી પર ચાલતી કારને સોમવારથી શરૃ કરવામાં આવી છે. આ કારનો લાભ લેવા માટે પ્રવાસીઓએ ૪૦ રૃપિયા ખર્ચવા પડશે.

સીએસએમટી સ્ટેશને ૧૦૦થી પણ વધુ મેલ/એક્સપ્રેસમાં લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે. જેમાં મહિલા પ્રવાસીઓ સહિત વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. બેટરી ઓપરેટેક કારની માગણી અનેક વખતથી પ્રલંબિત હતી. આ બાબતે મધ્ય રેલવેએ અનેક વખત ટ્રાયલ પણ લેવાઈ હતી. આખરે આ બેટરી કારની સોમવારથી શરૃઆત કરવામાં આવી છે. આ કારને ચાર્જ કરવા માટે મધ્ય રેલવેએ સીએસએમટી સ્ટેશનથી વીજળી ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો