મંગળવાર, 16 જાન્યુઆરી, 2018

ભારત ઇઝરાયેલની મૈત્રી ક્ષિતિજ વિસ્તરી મોસાદની જાસૂસીનો લાભ ભારતને મળશે



- ઈઝરાયેલના વડાપ્રધાનની છ દિવસીય ભારતયાત્રાનો પ્રારંભ 'ગાર્ડ ઓફ ઓનર' શરૃ

- બંને દેશ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, પેટ્રોલિયમ સહિતના નવ કરાર: ઈઝરાયેલમાં ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ખોલાશે.

મોદીએ નેતાન્યાહૂને 'માય ફ્રેન્ડ બીબી' કહીને સંબોધન કર્યું, જ્યારે નેતાન્યાહૂએ મોદીને 'નરેન્દ્ર' કહીને દોસ્તી બતાવી.

 ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ છ દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે થયેલા દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાયન્સ, ટેકનલોજી, પેટ્રોલિયમ સહિતના ૯ કરારો થયા હતા.


ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને ભારતના વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યા પછી સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે ભારત-ઈઝરાયેલ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, ફિલ્મ, ગેસ, પેટ્રોલિયમ, મેડિસિન વગેરેને લગતા કુલ ૯ મહત્વના કરારો થયા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો