બુધવાર, 8 મે, 2019

જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે

 
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી જેમાં 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. 
સૌરાષ્ટ્રની શાન ગણાતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે. જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને વિમાન મારફતે ગોરખપુર લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થઇ રહ્યું છે. તો ગોરખપુર ઝુ તરફથી ભરતીય ગેંડાની જોડી તેમજ વિવિધ પ્રકારના પીજન્ટની જોડીઓ સક્કર બાગ ઝૂને આપવામાં આવશે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો